હિંસા બાદ કાનપુરના ડીએમને હટાવાયા, જાણો કોની કોની કરાઇ બદલી, કોને મળી જવાબદારી?
યોગી સરકાર કાનપુર હિંસા મામલે સતત કાર્યવાહીના મૂડમાં છે. એક તરફ પોલીસ આરોપીઓની ધરપકડ કરી રહી છે તો બીજી તરફ સરકારે 21 IAS અધિકારીઓની બદલી કરી છે. મળતી માહિતી મુજબ કાનપુરની ડીએમ નેહા શર્માને હટાવી દેવામાં આવી છે. નેહા શર્
યોગી સરકાર કાનપુર હિંસા મામલે સતત કાર્યવાહીના મૂડમાં છે. એક તરફ પોલીસ આરોપીઓની ધરપકડ કરી રહી છે તો બીજી તરફ સરકારે 21 IAS અધિકારીઓની બદલી કરી છે. મળતી માહિતી મુજબ કાનપુરની ડીએમ નેહા શર્માને હટાવી દેવામાં આવી છે. નેહા શર્માને સ્થાનિક સંસ્થાની ડાયરેક્ટર બનાવવામાં આવી છે. યોગી સરકારે 9 ડીએમની પણ બદલી કરી છે. તેમાં લખનૌના ડીએમ રહી ચૂકેલા અભિષેક પ્રકાશનું નામ પણ સામેલ છે. હવે તેમને ઉદ્યોગ વિભાગની જવાબદારી સોંપવામાં આવી છે.

કોની કોની કરાઇ બદલી
- ગાઝિયાબાદ ડેવલપમેન્ટ ઓથોરિટીના ઉપાધ્યક્ષ કૃષ્ણા કરુણેશની ગોરખપુર બદલી કરવામાં આવી છે. તેમને ત્યાં ડીએમ બનાવવામાં આવ્યા છે.
- વિજય કિરણ આનંદને ડીએમ ગોરખપુરના પદ પરથી હટાવીને શાળા શિક્ષણના પ્રભારી મહાનિર્દેશક, મૂળભૂત શિક્ષણ વિભાગના વિશેષ સચિવ બનાવાયા છે. આ સાથે કુંભમેળા પ્રયાગરાજનો વધારાનો હવાલો પણ આપવામાં આવ્યો છે.
- અનામિકા સિંહને ફૂડ ઓથોરિટીના ડાયરેક્ટર પદ પરથી હટાવીને યુપી સરકારના મહિલા કલ્યાણ અને બાળ વિકાસ અને પોષણ વિભાગના સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
- સૂર્યપાલ ગંગવારને લખનૌના નવા ડીએમ બનાવવામાં આવ્યા છે, જ્યારે અભિષેક પ્રકાશને લખનૌના ડીએમ પદેથી હટાવીને ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ સચિવનું પદ આપવામાં આવ્યું છે.
- વિશાખ જીને કાનપુર શહેરના નવા ડીએમ બનાવવામાં આવ્યા છે. તેઓ અત્યાર સુધી મુખ્યમંત્રીના વિશેષ સચિવ હતા.
- ભવાની સિંહ ખગરૌતને મધ્યાંચલ વિદ્યુત વિતરન નિગમના એમડી બનાવવામાં આવ્યા છે.
- અનુપમ શુક્લાને વિશેષ ઉર્જા સચિવ બનાવવામાં આવ્યા છે.
- નીલમ સાઈ જૌનપુરના નવા સીડીઓ બન્યા છે.
- સેલવા કુમારીને બરેલીના નવા કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ,
- સૌમ્યા અગ્રવાલને બલિયાના નવા ડીએમ બનાવવામાં આવ્યા છે.
- ઇન્દર વિક્રમ સિંહને અલીગઢના નવા ડીએમ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
- પ્રિયંકા નિરંજનને બસ્તીના નવા ડીએમ બનાવવામાં આવ્યા છે.
- ચાંદની સિંહ જાલૌનની નવી ડીએમ બની છે.












Click it and Unblock the Notifications
