RSS સમર્થિત મુસ્લિમ સંગઠન આજે આપશે અનોખી કુર્બાની, જાણો કેમ?
"બકરીદ" કુર્બાનીનો તહેવાર છે. જેમાં બકરાની બલિ આપવામાં આવે છે. પણ આ વખતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંધ (આરએસએસ) સમર્થિત સંગઠન મુસ્લિમ રાષ્ટ્રીય મંચની અવધ બ્રાન્ચ કંઇક અલગ રીતે બકરી ઇદના આ પર્વની ઉજવણી કરશે. આ પર્વ નિમિત્તે તે કોઇ પાણીને બલિ નહીં આપે પણ બકરાના ડિઝાઇન વાળી કેકની બલિ આપશે. એટલે કે બકારના ડિઝાઇન વાળી કેક કાપી આ પર્વની ઉજવણી કરશે.

મુસ્લિમ રાષ્ટ્રીય મંચ આજે લખનઉમાં 5 કિલોની બકરાની કેક કાપશે. એટલું જ નહીં આ સંગઠનના મેમ્બર તેમના ઘરે બકરાની બિરીયાની પણ નહી બનાવે ખાલી સેવઇ અને દહી વડા બનાવશે. અને માંસનું સેવન પણ નહીં કરે.
જો કે આ પાછળ આ સંગઠનના લોકોનું કહેવું છે કે તે જીવ હત્યાનો વિરોધ કરી રહ્યા છે. અને તે આ પર્વને તેમના જન્મદિવસની જેમ કેક કાપીને ઉજવણી કરીને મનાવશે.
અવધના આ સંગઠનના સંયોજક રઇસ ખાને મીડિયાને કહ્યું કે બકરીદ કુર્બાનીનો પર્વ છે. પ્રેમ અને ત્યાગનો પાઠ આ પર્વ આપણને આપે છે. જરૂર પડે તો વ્યક્તિ ભગવાનને તેના બાળકની પણ કુર્બાની આપી શકે છે. પણ કારણવગર બકરાને મારી નાંખવો યોગ્ય નથી.












Click it and Unblock the Notifications
