Balasore Train Accident: ઓડિશા ટ્રેન દૂર્ઘટના બાદ રેલવેના 5 કર્મચારી તપાસ હેઠળ
Balasore Train Accident: ઓડિશામાં બાલાસોર ટ્રેન દુર્ઘટના બાદ રેલવેના પાંચ કર્મચારીઓ તપાસ હેઠળ છે. બહાંગ બજાર રેલવે સ્ટેશનના આસિસ્ટન્ટ સ્ટેશન માસ્ટર અને સિગ્નલ વિભાગના અન્ય ચાર કર્મચારીઓની પૂછપરછ કરવામાં આવી છે.
સીબીઆઈ અને રેલ્વે અધિકારીઓનું કહેવું છે કે આ લોકોએ મેઈન્ટેનન્સ કેમ્પેઈન પછી ટેસ્ટિંગ બરાબર નથી કર્યું, કદાચ તેના કારણે સિગ્નલિંગ સિસ્ટમમાં ખામી સર્જાઈ અને આટલી મોટી ટ્રેન દુર્ઘટના થઈ.

રેલવેના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે આસિસ્ટન્ટ સ્ટેશન માસ્ટર એસબી મોહંતી અને ચાર કર્મચારીઓની તપાસ ચાલી રહી છે. જોકે, રેલવે સેફ્ટી કમિશનરનો રિપોર્ટ આવે ત્યાં સુધી આ લોકો તેમની ફરજ બજાવતા રહેશે. ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિંગ સિસ્ટમ સાથે છેડછાડને કારણે મોટી દુર્ઘટના થઈ હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.
નોંધનીય છે કે ઈન્ટરલોકિંગ સિસ્ટમને ભારતીય રેલવેના ધબકારા માનવામાં આવે છે. આ કારણે, ટ્રેનો એક બીજાને યોગ્ય સમયે ક્રોસ કરે છે, સમગ્ર સિસ્ટમ સરળતાથી ચાલે છે. સીબીઆઈના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે અકસ્માતના દિવસે 2 જૂનના રોજ ચાર ઇલેક્ટ્રિકલ સિગ્નલ મેન્ટેનન્સ કર્મચારીઓ ફરજ પર હતા.
પ્રોટોકોલ મુજબ, આ લોકોએ સિગ્નલનું પરીક્ષણ કરવાનું હતું અને આ કામ પછી સહાયક સ્ટેશન મેનેજર સાથે સંકલન કરવાનું હતું. પરંતુ તે પહેલા જ આ લોકો ચાલ્યા ગયા હતા. આ ભયાનક અકસ્માત 2 જૂનના રોજ સાંજે થયો હતો, જેમાં કોરોમંડલ એક્સપ્રેસ અને યશવંતપુર હાવડા એક્સપ્રેસ ટકરાઈ હતી. જેમાં 288 લોકોએ જીવ ગુમાવ્યા, 1100 લોકો ઘાયલ થયા.












Click it and Unblock the Notifications
