Odisha Train Accident: બાલાસોર રેલ દૂર્ઘટના માટે જવાબદાર કોણ? ટ્રેન એક પાટા પરથી બીજા પાટા કેવી રીતે જાય?
Indian Railway Track: બાલાસોરમાં બનેલી મોટી ટ્રેન દુર્ઘટનાએ સમગ્ર દેશના લોકોના હ્રદય કંપાવી દીધા છે. રુંવાડા ઉભા કરી દેતી આ ઘટનામાં મૃત્યુઆંક 233 પર પહોંચી ગયો છે. આ સ્થિતિમાં ત્રણ ટ્રેનોનું એકબીજા સાથે અથડાવું અને પાટા પરથી ઉતરવું એ એક મોટો પ્રશ્ન છે.
શુક્રવારે સાંજે બહનાગા બજાર સ્ટેશન પર પહેલા બેંગ્લોર-હાવડા એક્સપ્રેસ અને પછી કોરોમંડલ એક્સપ્રેસના ડબ્બા પાટા પરથી ખડી પડ્યા હતા. આ પછી એક માલગાડી પણ તેમની સાથે અથડાઈ હતી. આ હૃદયદ્રાવક અકસ્માતે અનેક સવાલો ઉભા કર્યા છે.

બાલાસોર અકસ્માતમાં અત્યાર સુધીમાં 233 મુસાફરોના મોત થયા છે અને 900થી વધુ લોકો ઘાયલ થયા છે. કેવી રીતે ટ્રેનો એકબીજા સાથે અથડાઈ અને બોગીઓ પલટી ગઈ. શું આટલા લોકોના મોત કોઈ બેદરકારી દર્શાવે છે? આખરે આટલા મોટા અકસ્માત માટે જવાબદાર કોણ? કેવી રીતે ત્રણ ટ્રેનો એકબીજા સાથે અથડાઈ? ચાલો આ બધા પ્રશ્નોના જવાબ જાણવાનો પ્રયાસ કરીએ.
એક જ ટ્રેક પર બે ટ્રેન કેવી રીતે આવે છે? આનું એક કારણ માનવીય ભૂલ હોઈ શકે છે અને બીજુ ટેકનિકલ ખામી હોઈ શકે છે. ઓડિશાના બાલાસોરમાં થયેલી આ દુર્ઘટનામાં પણ ટેક્નિકલ ખામી જવાબદાર હોવાનું કહેવાય છે. સમાચાર મુજબ બાલાસોરમાં ટ્રેનો અથડાવાનું કારણ સિગ્નલમાં ખામી હોવાનું પણ જણાવવામાં આવી રહ્યું છે.
વાસ્તવમાં, લોકો પાયલટને ટ્રેક બદલવાની સૂચના આપવામાં આવે છે. આ સૂચનાઓ રેલવે સ્ટેશનના પાવર રૂમમાંથી આપવામાં આવે છે. ટ્રેન કયા ટ્રેક પર કેવી રીતે અને ક્યારે જશે, આ તમામ કામગીરી કંટ્રોલ રૂમમાંથી લોકો પાયલોટ દ્વારા કરવામાં આવે છે. ટ્રેક પરના ટ્રાફિકને નિયંત્રિત રીતે અવલોકન કરે છે અને ટ્રેનના ટ્રેક પરની સૂચનાઓનું પાલન કરે છે.
સરળ રીતે કહીએ તો, બે ટ્રેક વચ્ચે સ્વીચ છે. આ સ્વીચની મદદથી બે ટ્રેક એકબીજા સાથે જોડાયેલી હોય છે. ટ્રેનનો ટ્રેક બદલતી વખતે લોકો પાયલોટ કંટ્રોલ રૂમમાંથી સૂચનાઓ આપે છે. આ પછી, બે ટ્રેક વચ્ચેની સ્વીચ ટ્રેનની મૂવમેન્ટને જમણી કે ડાબી તરફ વાળે છે, ત્યારબાદ ટ્રેનનો ટ્રેક બદલાય છે અને પાટા ચેન્જ થાય છે.
દરેક રેલ્વે કંટ્રોલ રૂમમાં એક ડિસ્પ્લે હોય છે જેના પર તે જોઈ શકાય છે કે કઈ ટ્રેન કયા ટ્રેક પર છે અને કયો ટ્રેક ખાલી છે. સામાન્ય ટ્રાફિકની જેમ અહીં પણ લાઇટો હોય છે. તે લીલી અથવા લાલ લાઇટ દ્વારા જોવામાં આવે છે. જો કોઈ ટ્રેક પર ટ્રેન હોય તો લાલ બત્તી દેખાય છે. બીજી તરફ, જો કોઈ ટ્રેક ખાલી હોય, તો લીલી બત્તી દેખાય છે. આ બધું જોઈને કંટ્રોલ રૂમ લોકો પાયલટને સૂચના આપે છે.
હવે બાલાસોર કેસને જોતા અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ડિસ્પ્લે પર સિગ્નલ દેખાડવામાં આવ્યું ન હોત અને આ ભયંકર અકસ્માત થયો. આ દર્દનાક અકસ્માતમાં અત્યાર સુધીમાં 233 લોકોના મોત થયા છે અને 900થી વધુ લોકો ઘાયલ હોવાનું કહેવાય છે.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
