Tandoori: ભોપાલ,ઇદોર, જબલપુર અને ગ્વાલિયરમાં તંદુરી રોટી પર બેન, નિયમ તોડવા પર 5 લાખનો દંડ
આ મહાનગરોમાં ખાદ્ય વિભાગ દ્વારા તદુરી રોટી પર બેન લગાવી દેવામાં આવ્યો છે. તમામ હોટેલ ઢાબાના માલિકોને આ મામલે નોટિસ ફટકારવામાં આવી છે.
મધ્યપ્રદેશમાં વધતા પ્રદુષણને જોતા સરકારે મોટો નિર્ણય લીધો છે. ખાદ્ય વિભાગે ભોપાલ,ઇન્દોર જબલપુર અને ગ્વલિયરમાં તંદુરી રોટી પર રોક લગાવી દીધી છે. મધ્યપ્રદેશના ઘણા શહેરોમાં વાયુ પ્રદુષણ ઝડપી વધી રહ્યુ છે. ખાદ્ય વિભાગે આ શહેરોમાં હોટેલ ઢાબા સંચાલકોને નોટીસ ફટકારી છે.

ખાદ્ય વિભાગના નિર્યણ પર તંદુરી રોટલી ખાનાર લોકો માટે જરૂર ખરાબ સમાચાર છે. પરંતુ વધતા જતા પ્રદુષણને જોતા વિભાગે આ નિર્ણય લીધો છે. પર્યાવરણ પ્રેમી આને લઇને પહેલા જ ચિંતા વ્યક્ત કરી ચૂક્યા છે. કોર્ટે પણ ઘણી વાર સરકાર વધતા પ્રદુષણને લઇને કડક પગલા લેવા માટે કહેવામાં આવ્ય છે. આ જોતા ખાદ્ય વિભાગે આ આદેશ બહાર પાડ્યો છે. તમામ હોટલ ઢાબાને નોટીસ પકડાવી દીધી છે. અને કહેવામાં આવ્યુ છે .જો કોઇએ નિયમ તોડ્યો તો 5 લાખનો દંડ કરવામાં આવશે.
બહાર પાડવામાં આવેલા આદેશ મુજબ ખાદ્ય વિભાગે હોટેલ અને ઢાબા સંચાલકોને સ્પષ્ટ રૂપથી કહી દિધુ છે કે,હવે લાકડી અને તુદુરનો ઉપયોગ નથી કરવાનો. આની અવેજીમાં ઇલેક્ટ્રોનિક ઓવન અથવા એલપીજી ગેસ સિલેન્ડરનો ઉપયોગ કરવાનો છે. જણાવી દઇએ કે મધ્યપ્રદેશ મોટા શહેરો ઇંદોર, ભોપાલ ને ગ્વાલિયરમાં તંદુરી રોટી જબરદસ્ત ચલણ છે. તુંદુરી રોટી ખાવાાના ભારે શોખીન છે. પરંતુ પ્રદેશ સરકારે અત્યારે દિશા નિર્દેશ બહાર પાડીને તંદુરી રોટી ખાનાર લોકોને ઝટકો આ્યો છે. સાથે જ આદેશમાં દાઢા હોટેલ માલિકાોની ઉંઘ ઉડાવી દિધી છે. ઢાબા માલિકોને આદેશ છે કે, સરકાર આ આદેશો બાદ ઢાબા હોટેલ કારોબાર જબરદસ્ત અસર પડશે.
કેન્દ્રીય પ્રદુષણ નિયંત્રણ બોર્ડ સીપીસીના રિપોર્ટ અનુસાર ગ્વાલિયરનો એક યુઆઇ 329 સુધી પહોચી ગયો છે. જ્યારે ભોપાલનો 299 કટની 263, પીતમપુર 260, મંડીદીપ 260, જબલપુર 214, સિંગરોલી 253 અને ઉજ્જૈનના વાયુ પ્રદુષણ સુચકાંક 181 પર પહોચી ગયો છે.












Click it and Unblock the Notifications
