એસપી બન્યા અનાથ નવવધૂના પિતા, કરાવ્યા ધૂમધામથી લગ્ન

આમ તો ઉત્તર પ્રદેશના બુંદેલખંડમાં અવાર નવાર પોલીસની બર્બરતા અને માનવતાને શર્મસાર કરતી ઘટનાઓ સામે આવતી રહે છે. આ વચ્ચે પોલીસનો એક માનવીય ચહેરો પણ સામે આવ્યો છે, જેમા બાંદાના પોલીસ અધિક્ષક ગોખરહી ગામની એક અનાથ દિકરીના ફંડ ઉઘરાવીને માત્ર લગ્ન જ ના કરાવ્યા પરંતુ એક પિતા તરીકેના તમામ રિવાજો નીભાવીને વર-વધૂને આશિર્વાદ પણ આપ્યા હતા.
માહિતી અનુસાર, ગોખરહી ગામમાં ખેડુત રામ સિંહની મોત 16 વર્ષ પહેલા થઇ હતી, તેમની એકમાત્ર દિકરી રીતુ એ સમયે માત્ર 10 વર્ષની હતી. મૃત ખેડૂત પાસે પોતાનું ઘર પણ નહોતું, જેથી તેની વિધવા સરકારી જમીનમાં ઝૂપંડી બાંધીને દિકરી સાથે રહેતી હતી. બીજી તરફ દિકરી 26 વર્ષની થતા તેના લગ્નની ચિંતા સતાવા લાગી. ગામના લોકોએ તેની ચિંતા અને કુરસેજા પીઠના મહંત પરમેશ્વરદાસને જણાવી, આ વચ્ચે તિંદવારી પોલીસ સ્ટેશનના થાનાધ્યક્ષ અબ્દૂલ રજાકે પોલીસ અધિક્ષક બાંદા ઉદય શંકર જયસ્વાલને જણાવી તો આખો પોલીસ વિભાગ જ તેમની મદદ વ્હારે આવી ગયો. રવિવારે ઘાટમપુર ક્ષેત્રના ગામ જૈતીપુરનો યુવક વિકાસ વર બનીને કન્યાના દરવાજે જાન લઇને આવ્યો ત્યારે પોલીસના અનેક અધિકારી જાનની સેવામાં લાગી ગયા. એટલું જ નહીં, બુંદેલી પરંપરા અનુરૂપ કન્યાની વિદાય સમય સુધી પોલીસ અધિક્ષક જયસ્વાલ કન્યાના પિતાની ભૂમિકા નિભાવતા રહ્યાં.
ગામના ગ્રામ પ્રધાન ગયા પ્રસાદ તિવારીએ ગ્રામીણો ઉપરાંત અસહાય પુત્રીના લગ્નમાં પોલીસ અધિકારીઓ પણ જોડાયા હતા. આવું પહેલીવાર થઇ રહ્યું છે કે જ્યારે પોલીસ ગરીબોના કામમાં આવી છે. કન્યાની માતા વિમલા કહે છે કે, અમે લોકો પોલીસનું નામ સાંભળતા ડરતા હતા, પરંતુ મારી પુત્રીના લગ્નમાં જે રીતે પોલીસે ફંડ કરીને સહયોગ કર્યો, તેનાથી એવું લાગે છે કે, વરદીમાં પણ માનવતા છે. પોલીસ અધિક્ષક જયસ્વાલ કહે છે કે આ પુણ્ય કાર્ય કરવા માટે આત્માએ પ્રેરિત કર્યો, તેથી કરી નાખ્યું. અમારી પોલીસ આ પ્રકારના સામાજિક કાર્યોમાં ભાગ લે તો જનતાનો વિશ્વાસ સહેલાયથી જીતી શકાય છે. આ લગ્નમાં પોલીસ તરફથી મહત્વની ભૂમિકા નિભાવનારા થાનાધ્યક્ષ તિંદવારી અબ્દૂલ રજાકે કહ્યું કે, રમજાનના પવિત્ર મહિનામાં અસહાય પુત્રીના લગ્નમાં સહયોગી થવાથી ખુશ છું. અલ્લાહની દૂઆથી ગરીબ પુત્રીના લગ્ન થઇ ગયા.
-
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
Earthquake: રાજસ્થાનના સીકરમાં ધરા ધ્રુજી, ખાટુશ્યામજી સહિત અનેક વિસ્તારોમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
LPG Price: મોંઘવારીનો ઝટકો, ઘરેલું ગેસ 60 અને કોમર્શિયલ ગેસ 115 રૂપિયા મોંઘો, જાણો તમારા શહેરના લેટેસ્ટ રેટ -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે? -
પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અવગણના પર વિવાદ, કેન્દ્રએ રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ









Click it and Unblock the Notifications
