ચંબલની વધુ એક ડાકુરાણી રાજકારણમાં આવવા આતુર

ઓરેયાની રહેવાસી 24 વર્ષીય રેણુ યાદવે જણાવ્યું કે 29 નવેમ્બર 2003ના રોજ સ્કૂલ જીતી વખથે તેનું અપહરણ કરી લેવામાં આવ્યું. રેણુએ જણાવ્યું કે ચંદન યાદવના સમૂહએ તેનું અપહરણ કર્યું હતું. ત્યારે તે કિશોરી હતી. રેણુએ જણાવ્યું કે તેના પિતાએ તે સમયે પોલીસ ફરિયાદ કરી હતી પરંતુ પોલીસે કોઇ કાર્યવાહી કરી નહોતી. કારણ કે, રેણુના પિતા ડાકુઓ દ્વારા માંગવામાં આવેલી રકમ ચૂકવી શક્યા નહીં તેથી ડાકુઓએ તેને મુક્ત કરી નહોતી.
2005માં ચંદન યાદવની હત્યા તેના ડાબો હાથ ગણાતા રામવીર ગુર્જરે કરી હતી. ત્યાર બાદ તેણે તક જોઇ એક દિવસ રામવીર ગુર્જરને ગોળી મારી અને ત્યાંથી ભાગી ગઇ. બાદમાં તેણે ઇટાવા પોલીસ મથકે આત્મસમર્પણ કર્યું , પરંતુ પોલીસે તેની ધરપકડ ઇટાવાના સિવિલ લાઇન્સ વિસ્તારમાંથી કરી હોવાનું અને તેની પાસેથી રાઇફલ મળી આવી હોવાનું જણાવ્યું. સાત વર્ષ પછી રેણુ યાદવ ચાલું વર્ષના મે મહિનામાં લખનૌ નારી નિકેતનમાંથી છૂટી. હવે તે રાજકારણમાં આવીને લોકોની સેવા કરવા ઇચ્છે છે. રેણુના કાકા શિવ સિંહ યાદવ સપાના સભ્ય છે અને કાનપુર જિલ્લા પંચાયતના સભ્ય પણ છે.
રેણુનું રાજકારણમાં આવવાનું કારણ સ્પષ્ટ કરતા જણાવ્યું કે તે રાજકારણમાં આવીને તેના જેવી તમામ યુવતીઓ, મહિલાઓની સેવા કરવા ઇચ્છે છે. સૂત્રોએ જણાવ્યાનુંસાર, રેણુ યાદવે સપામાં જલદી સામેલ કરવાની તૈયારી થઇ રહી છે. કહેવામાં આવે છે કે શિવપાલ યાદવ આગામી મહિને ઓરિયામાં થનારા કાર્યકર્તા સંમેલનમાં રેણુને પાર્ટીમાં સામેલ કરવાની ઘોષણા કરી શકે છે. સપા સૂત્રોનું કહેવું છે કે પાર્ટીમાં આગામી લોકસભા ચૂંટણીમાં રેણુ યાદવને ઇટાવાની આસપાસ કોઇ લોકસભાની બેઠક પરથી ઉમેદવાર તરીકે ઉતારવા પર વિચાર થઇ રહ્યો છે, કારણકે સહાતનુભૂતિના આધારે તેની ચૂંટણી જીતવાની શક્યતાંઓ વધારે છે.












Click it and Unblock the Notifications
