PM મોદીએ ઓએનજીસી પ્રોજેક્ટ ત્રિપુરાનું કર્યું ઉદઘાટન
ત્રિપુરા, 1 ડિસેમ્બર: પૂર્વોત્તર રાજ્યોના પ્રવાસ પર નિકળેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે ત્રીજો દિવસ છે. ત્રીજા દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી નાગાલેંડ બાદ ત્રિપુરા પહોંચ્યા. અત્રે તેમણે પલટાનામાં લાગેલા ઓએનજીસી પ્રોજેક્ટને રાજ્યને સમર્પિત કર્યું. ઓએનજીસીના 726.6 મેગાવોટના આ પ્રોજેક્ટના પૂર્વોત્તર રાજ્યો માટે વીજળીની આપૂર્તિ કરશે. આના દ્વારા કેન્દ્ર લગભગ નવ હજાર કરોડ રૂપિયાની રાશિનું રોકાણ કરશે. આ આ ક્ષેત્રમાં લગાવવામાં આવેલ અત્યાર સુધી સૌથી મોટું પ્રોજેક્ટ છે. પોતાના સંબોધનમાં તેમણે જણાવ્યું કે તેઓ અત્રે મળેલા સન્માનથી અભિભૂત છે. આ અવસર પર વડાપ્રધાને જણાવ્યું કે જ્યારે પૂર્વોત્તર રાજ્યોની તરફ ધ્યાન આપવામાં આવે.


વડાપ્રધાન પૂર્વોત્તર ભારતના લોકોનું હૃદય જીતવાની પૂરજોરમાં પ્રયત્નો કરી રહ્યા છે. કોહિમામાં આદિવાસીઓના પ્રમુખ ઉત્સવના ઉદઘાટન બાદ નરેન્દ્ર મોદીએ ઘણી વાતો કહી. વિસ્તારના વિકાસ પર ભાર આપતા તેમણે જણાવ્યું કે ઊર્જા જીવન રેખા છે. આ ઉપરાંત આ રાજ્યોને રેલલાઇનથી જોડવા માટે 28 હજાર કરોડ રૂપિયા આપવાની પણ વાત કરી.

પોતાના સંબોધન દરમિયાન વડાપ્રધાને પૂર્વની યૂપીએ સરકાર પર પણ નિશાનો સાધ્યો. વડાપ્રધાને જણાવ્યું કે કોઇ પણ વડાપ્રધાનને 15 કલાકની યાત્રા કરવામાં દસ વર્ષ લાગી ગયા.












Click it and Unblock the Notifications
