તો કાશીમાં નૌકા વિહાર કરશે બરાક ઓબામા!
નવી દિલ્હી 22 ડિસેમ્બર: તો શું અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામા કાશીના ઘાટોને જોવા માટે આવશે અને અત્રે નૌકાવિહારનો પણ આનંદ માણશે અને એ પણ પવિત્ર ગંગામાં? બની શકે છે કે આવું વાસ્તવમાં બને. જોકે એવા પ્રયત્નો થઇ રહ્યા છે કે ઓબામા પોતાની ભારત યાત્રા દરમિયાન બનારસની મુલાકાત પણ લે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઇચ્છા છે કે ઓબામા જ્યારે આવતા મહિને ભારત આવે તો કાશીમાં પણ થોડા સમય માટે આવે. વારાણસી મોદીનું સંસદીય ક્ષેત્ર પણ છે.

જાણકારોએ જણાવ્યું કે ભારત-અમેરિકાના શિખર નેતાઓ અને અધિકારી ઓબામાના વારાણસી કાર્યક્રમની સંભાવનાઓ પર વિચાર કરી રહ્યા છે. માનવામાં આવી રહ્યું છે કે ઓબામા કાશી જઇ શકે છે. જોકે ત્યાં તેમના જવા પર કેટલીંક શંકાઓ પણ છે. સવાલ કરવામાં આવી રહ્યા છે કે કાશીનું હવાઇ મથક ખૂબ જ નાનુ છે. માટે તેમના વિમાનને ત્યાં લેંડ કરાવવું સરળ નથી. કૂલ મળીને ઓબામાની કાશીયાત્રા પર અત્રે મોટો અવરોધ સામે આવી રહ્યો છે.
ચીની રાષ્ટ્રપતિ અમદાવાદમાં
અત્રે નોંધનીય છે કે આ પહેલા ચીનના રાષ્ટ્રપતિ શી ચિનપિંગને અમદાવાદ લઇને આવી ચૂક્યા છે. એટલે કે પોતાના ભારત પ્રવાસ દરમિયાન મોદી પ્રમુખ દેશોના રાષ્ટ્રાધ્યક્ષોને દેશના બીજા અન્ય શહેરોમાં પણ લઇ જવા માગે છે. સૂત્રોનું કહેવું છે કે ઓબામાના કાશી પ્રવાસ પર ટૂંક સમયમાં નિર્ણય થઇ જશે.
More From
-
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન





Click it and Unblock the Notifications
