યુપીમાં ચામાચીડિયાના મોત પાછળ શું છે કારણ, રિપોર્ટમાં થયો ખુલાસો
ગોરખપુરમાં બે દિવસ પહેલા ડઝનેકની સંખ્યામાં ચામાચીડિયાઓના મોત થયા હતા. આને કોરોના વાયરસથી જોડીને જોવા લાગ્યા હતા.
પૂર્વાંચલના ઘણા જિલ્લાઓમાં થઈ રહેલ ચામાચીડિયાઓના મોતથી ડરવાની જરૂર નથી. વાસ્તવમાં ભારતીય પશુ ચિકિત્સા અનુસંધાન સંસ્થાન, બરેલી તરફથી ચામાચીડિયાઓના મોતને કોરોના વાયરસ સાથે કોઈ સંબંધ હોવાનો ઈનકાર કરી દીધો છે. તમને જણાવી દઈએ કે ગોરખપુરમાં બે દિવસ પહેલા ડઝનેકની સંખ્યામાં ચામાચીડિયાઓના મોત થયા હતા. આને કોરોના વાયરસથી જોડીને જોવા લાગ્યા હતા. ચામાચીડિયાના પોસ્ટમોર્ટમથી રિપોર્ટમાં ખુલાસો થયો છે કે આના પાછળ કોરોના વાયરસ કારણ નથી.

ચામાચીડિયામાં નથી મળ્યો કોરોના વાયરસ
ભારતીય પશુ ચિકિત્સા અનુસંધાન સંસ્થાન, બરેલીના નિર્દેશક ડૉ. આરકે સિંહના જણાવ્યા મુજબ ચામાચીડિયાના મોત પાછળ કોરોના વાયરસ કારણ નથી. ચામાચીડિયોના પોસ્ટમોર્ટનથી આનો ખુલાસો થઈ ગયો છે. ચામાચીડિયામાં કોરોના વાયરસ નથી મળી આવ્યો. તેમણે જણાવ્યુ છે કે રેબીઝની પણ તપાસ કરવામાં આવી છે પરંતુ પોસ્ટમોર્ટમમાં મોત પાછળ ન તો કોરોના વાયસ અને ના રેબીઝ કારણ જોવા મળ્યુ છે. ડૉ. સિંહના જણાવ્યા મુજબ પોસ્ટમોર્ટમથી સ્પષ્ટ થઈ ગયુ છે કે ચામાચીડિયાના મોત બ્રેન હેમરેજના કારણે થયેલ છે. ભીષણ ગરમીના કારણે થયા છે.

બ્રેઈન હેમરેજ થવાથી ચામાચીડિયાના મોત
પૂર્વાંચલમાં તાપમાન 44 ડિગ્રી સેલ્સિયસ પાસે પહોંચી ગયુ હતુ. એવામાં ગરમીના કારણે બ્રેઈ હેમરેડ થવાથી ચામાચીડિયાના મોત થયા હશે. ડૉ. સિંહે જણાવ્યુ કે વધુ તપાસ ચાલુ છે. તેમણે એ પણ જણાવ્યુ કે ચામાચીડિયાની ઈમ્યુનિટી એટલી વધુ નથી હોતી કે તેમણે કોઈ પેથોજન(વાયરસ કે બેક્ટેરિયા) મારી નથી શકતો. આ વાયરસ કે બેક્ટેરિયાના કરિયર ભલે થઈ શકે છે પરંતુ તેમની ખુદ ચામાચીડિયા પર કોઈ અસર થતી નથી.

બલિયાથી પણ મોકલવામાં આવ્યા સેમ્પલ
ગોરખપુર ઉપરાંત બલિયા અને તેની આસપાસના જિલ્લાઓમાંથી પણ ચામાચીડિયાના મરવાના સમાચાર હતા. અહીંથી પણ પાંચ સેમ્પલ તપાસ માટે મોકલવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે ગોરખપુરના એક બગીચામાં ડઝનેક ચામાચીડિયાના શબ મળી આવ્યા હતા. ત્યારબાદ બલિયા અને જૌનપુરથી પણ ચામાચીડિયાના મોતના સમાચાર આવ્યા. અચાનકથી ચામાચીડિયાના મરનારની ઘટનાઓથી લોકોમાં ડરનો માહોલ હતો.
-
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા






Click it and Unblock the Notifications
