વધુ મંત્રી ન મળતાં JDU નારાજ, શપથ ગ્રહણની ઠીક પહેલા નીતિશ કુમારે કરી ઘોષણા

વધુ મંત્રી ન મળતાં JDU નારાજ, શપથ ગ્રહણની ઠીક પહેલા નીતિશ કુમારે કરી ઘોષણા

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીમાં ધમાકેદાર જીત હાંસલ કર્યા બાદ પીએમ મોદીએ આજે સાંજે 7 વાગ્યે પોતાના મંત્રીમંડળ સાથે શપથ ગ્રહણ કર્યા. શપથ ગ્રહણની ઠીક પહેલા સમાચાર આવી રહ્યા છે કે કેબિનેટમાં વધુ મંત્રીઓને સામેલ કરવામાં ન આવતાં બિહારના મુખ્યમંત્રી અને જેડીયૂ પ્રમુખ નીતિશ કુમાર નારાજ થઈ ગયા છે.

nitish kumar

શપથ ગ્રહણમાં ભાગ લેવા દિલ્હી પહોંચેલા નીતિશ કુમારે મીડિયા સાથે વાતચીત કરતા કહ્યું કે તેઓ મંત્રિમંડળમાં જેડીયૂના માત્ર એક વ્યક્તિને સામેલ કરવા માંગી રહ્યા હતા. માટે તેઓ આ એક પ્રતીકાત્મક ભાગીદારી હતી. અમે તેમને સૂચિત કર્યા છે કે આ ઠીક છે, અમને આની આવશ્યકતા નથી. આ કોઈ મોટો મુદ્દો નથી, અમે સંપૂર્ણ રીતે એનડીએમાં છીએ અને પરેશાન નથી, અમે એક સાથે કામ કરી રહ્યા છીએ, કોઈ ભ્રમ નથી.

નીતિશ કુમારે એલાન કર્યું કે તેમની પાર્ટી એનડીએનો ભાગ રહેશે પરંતુ સરકારમાં સામેલ નહિ થાય. નીતિશ કુમારે કહ્યું કે મંત્રીઓને સામેલ કરવાને લઈ ભાજપ તરફથી મળેલ પ્રસ્તાવને તેમણે મંજૂરી નથી આપી. જણાવી દઈએ કે રાષ્ટ્રપતિ ભવનમાં ભવ્ય શપથ ગ્રહણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. આ શપથ ગ્રહણ સમારોહમાં દેશ-દુનિયાના 6000થી વધુ મહેમાનોને આમંત્રિત કરવામાં આવ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X