ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી પહેલા આ દિગ્ગજ નેતા કોરોના પોઝિટિવ, ટ્વીટ કરીને આપી જાણકારી
ડિમ્પલ યાદવે ટ્વીટમાં લખ્યું છે કે, મેં કોવિડ ટેસ્ટ કરાવ્યો હતો, જેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મને કોરોના રસીના બંન્ને ડોઝ આપવામાં આવ્યા હતા અને હજૂ પણ કોઈ લક્ષણો દેખાતા નથી.
લખનઉ : સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવની પત્ની ડિમ્પલ યાદવ કોરોના વાયરસથી સંક્રમિત થઈ છે. તેણે પોતે ટ્વીટ કરીને માહિતી આપી છે. ડિમ્પલ યાદવે ટ્વીટમાં લખ્યું છે કે, મેં કોવિડ ટેસ્ટ કરાવ્યો હતો, જેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મને કોરોના રસીના બંન્ને ડોઝ આપવામાં આવ્યા હતા અને હજૂ પણ કોઈ લક્ષણો દેખાતા નથી. મારી અને અન્યની સલામતી માટે મેં મારી જાતને ક્વોરેન્ટાઇન કરી દીધી છે. જે લોકો મને તાજેતરમાં મળ્યા છે, તેઓને વિનંતી કરવામાં આવે છે કે, તેઓ તેમનો ટેસ્ટ જલ્દી કરાવે.

ડેપ્યુટી સીએમઓ મિલિંદ વર્ધને પુષ્ટિ કરી કે, ડિમ્પલ યાદવ અને તેમની પુત્રી ટીનામાં કોઈ લક્ષણો નથી. હાલ બંને હોમ આઈસોલેશનમાં છે. ઉલ્લેખીય છે કે, કોરનાની બીજી લહેર દરમિયાન અખિલેશ યાદવ પણ પોઝિટિવ આવ્યો હતો. જો કે, થોડી સાવચેતી રાખ્યા બાદ તેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.
આ જિલ્લામાં સરકારી હોસ્પિટલમાં કાફલાની સંખ્યા 100 થી વધીને 200 થશે
દેશમાં ઓમિક્રોનના વધતા કેસ વચ્ચે યોગી સરકાર એલર્ટ મોડમાં છે. મંગળવારના રોજ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે બુંદેલખંડના ઝાંસી, મહોબ, ચિત્રકૂટ વગેરે જિલ્લાઓની સરકારી હોસ્પિટલોમાં બેડની સંખ્યા વધારવાના નિર્દેશ આપ્યા છે. આ જિલ્લામાં સરકારી હોસ્પિટલમાં કાફલાની સંખ્યા 100 થી વધીને 200 થશે.
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તેમના સરકારી આવાસ પર કોવિડ 19ની સ્થિતિ અંગે સમીક્ષા બેઠક યોજી
મંગળવારના રોજ ઉત્તર પ્રદેશમાં 23 નવા કોરોના સંક્રમિત કેસ નોંધાયા હતા, જ્યારે 15 સંક્રમિત સાજા થયા હતા. હવે રાજ્યમાં સક્રિય કોરોના દર્દીઓની સંખ્યા વધીને 211 થઈ ગઈ છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મંગળવારના રોજ તેમના સરકારી આવાસ પર કોવિડ 19ની સ્થિતિ અંગે સમીક્ષા બેઠક યોજી હતી. જે બાદ સારી સ્વાસ્થ્ય સુવિધાઓને ધ્યાનમાં રાખીને બુંદેલખંડના ઝાંસી, મહોબા, ચિત્રકૂટ વગેરે જિલ્લાઓ માટે સૂચનાઓ જાહેર કરવામાં આવી હતી.
55 વધારાના લોકોનું કોન્ટેક્ટ ટ્રેસિંગ કરવામાં આવશે
અધિકારીઓ સાથેની બેઠકમાં મુખ્યપ્રધાન યોગીએ કોરોનાથી બચવા અને સારવારની વ્યવસ્થાને વધુ અસરકારક રાખવા સૂચના આપી હતી. આ સાથે કોવિડ પ્રોટોકોલનું ચુસ્તપણે પાલન કરવાનું પણ કહેવામાં આવ્યું હતું. પાટનગર લખનઉમાં કોરોનાની ત્રીજી લહેરના ખતરાને ધ્યાનમાં રાખીને કોન્ટેક્ટ ટ્રેસિંગનો વ્યાપ વધારવામાં આવશે. હવે પ્રત્યેક નવા સંક્રમિત માટે 55 વધારાના લોકોનું કોન્ટેક્ટ ટ્રેસિંગ કરવામાં આવશે.
-
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર? -
New LPG Booking Rules: 'હવે 35 દિવસ પહેલા બુક નહીં થાય સિલિન્ડર', બદલાયા LPG બુકિંગના નિયમ -
ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા સરકાર એક્શનમાં, વિધાનસભામાં બિલ આપશે -
Weather News: આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી, 80ની ઝડપે ફૂંકાશે પવન, UP-બિહાર સહિત 7 રાજ્યોમાં એલર્ટ -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
No LPG Crisis: 'હોર્મુઝથી 4-5 દિવસમાં 5 LPG જહાજ ભારત આવશે', સરકારની મોટી જાહેરાત, LPG અછતને 'બાય-બાય'?








Click it and Unblock the Notifications
