પંજાબ: જમીન-જાયદાદના સરળ વિભાજન માટેં ભગવંત માને લોન્ચ કરી વેબસાઇટ
પંજાબમાં હવે પરિવારની જમીન મિલકતનું વિભાજન કરવાનું સરળ બનશે. હવે લોકો મહેસૂલ વિભાગમાં જમીન-મિલકતની વહેંચણીની નોંધણી કોઈપણ પ્રયાસ વિના કરી શકશે.મુખ્યમંત્રી ભગવંત માન દ્વારા રાજ્યના નાગરિકોની સુવિધા માટે મહેસૂલ વિભાગની કામ
પંજાબમાં હવે પરિવારની જમીન મિલકતનું વિભાજન કરવાનું સરળ બનશે. હવે લોકો મહેસૂલ વિભાગમાં જમીન-મિલકતની વહેંચણીની નોંધણી કોઈપણ પ્રયાસ વિના કરી શકશે.મુખ્યમંત્રી ભગવંત માન દ્વારા રાજ્યના નાગરિકોની સુવિધા માટે મહેસૂલ વિભાગની કામગીરીને ડિજીટલ કરીને મહત્વનો નિર્ણય લીધો છે. તેમણે ફેમિલી પાર્ટીશન (જમીન-મિલકત વિભાજન) ફાઇલ કરવાની પ્રક્રિયાને વધુ સરળ બનાવવા માટે વેબસાઇટ શરૂ કરી છે.

આ વેબસાઇટ કરી લોન્ચ
મુખ્યમંત્રીએ વેબસાઇટ https://eservices.punjab.gov.in લોન્ચ કરી છે. તેમણે આ પગલાને રાજ્યની જનતાની સુવિધા માટે ક્રાંતિકારી નિર્ણય ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે આનાથી પરિવારની જમીન-મિલકતની નોંધણીની પ્રક્રિયા વધુ સરળ બનશે. તેમણે કહ્યું કે આ વેબસાઈટથી પરિવાર વિભાજન માટેની લોકોની અરજીઓ સરળતાથી એક ક્લિકમાં સબમિટ થઈ જશે.

હવે સહેલાઇથી પારિવારીક જમીન - જાયદાદનુ કરી શકાશે વિતરણ
ભગવંત માને જણાવ્યું હતું કે અરજીની રજૂઆત બાદ સંબંધિત સર્કલ રેવન્યુ ઓફિસર દ્વારા કાર્યવાહી કર્યા બાદ આ ઓનલાઈન અરજીઓ કાનુનગો ઈન્ચાર્જ અને ત્યારબાદ સંબંધિત તલાટીને મોકલવામાં આવશે. તેમણે કહ્યું કે રેવન્યુ રેકોર્ડ્સ સાથે મેમોરેન્ડમની તમામ હકીકતો ચકાસ્યા પછી તલાટી સંબંધિત પક્ષને રૂબરૂ હાજર રહેવા અને વિભાજનની નોંધ કરવા માટે બોલાવશે.

સરળ ખરીદી અને વેચાણ માટે થશે મદદરૂપ
મુખ્યમંત્રીએ કહ્યું કે નોંધણી કર્યા બાદ સંબંધિત તલાટી તેને ચકાસણી માટે કાનુનગો સમક્ષ રજૂ કરશે અને પછી અંતિમ આદેશો માટે સંબંધિત CRO (આસિસ્ટન્ટ કલેક્ટર ગ્રેડ-2) સમક્ષ રજૂ કરશે. ભગવંત માને કહ્યું કે વિગતોની ચકાસણી કર્યા બાદ દરેક અરજી માટે પોર્ટલ પર ઓર્ડર દાખલ કરવામાં આવશે.
તેમણે કહ્યું કે આ નાગરિક કેન્દ્રિત પહેલ સીમાંકનની પ્રક્રિયાને સરળ બનાવવા માટે મહત્વપૂર્ણ સાબિત થશે અને આનાથી પરસ્પર સંમતિથી વિવાદોનું સમાધાન શક્ય બનશે. ભગવંત માને વધુમાં જણાવ્યું હતું કે આ પ્રક્રિયા જમીનની સરળ ખરીદી અને વેચાણ માટે મદદરૂપ થશે, ઉપરાંત પાકના નુકસાનનું વળતર મેળવવા અને જમાબંધીની નકલ સરળતાથી મેળવી શકાશે.
-
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
Weather Update: આસામ-બંગાળ સહિત 13 રાજ્યોમાં આંધી-તોફાનની આગાહી


Click it and Unblock the Notifications
