Bharat Jodo Yatra: ભારત જોડો યાત્રામાં સામેલ થયા આદિત્ય ઠાકરે, રાહુલ ગાંધી સાથે કરી માર્ચ
આજે મહારાષ્ટ્રના પૂર્વ સીએમના પુત્ર અને પૂર્વ મંત્રી આદિત્ય ઠાકરે ભારત જોડો યાત્રામાં સામેલ થયા.
Bharat Jodo Yatra: કોંગ્રેસની ભારત જોડો યાત્રા હાલમાં મહારાષ્ટ્રમાં છે. આજે મહારાષ્ટ્રના પૂર્વ સીએમના પુત્ર અને પૂર્વ મંત્રી આદિત્ય ઠાકરે ભારત જોડો યાત્રામાં સામેલ થયા. આદિત્ય ઠાકરએ હિંગોલીમાં શુક્રવારે રાહુલ ગાંધી સાથે પદયાત્રા કરી. ગુરુવારે એનસીપી નેતા સુપ્રિયા સુલે પણ નાંદેડમાં રાહુલ ગાંધી સાથે યાત્રામાં સામેલ થયા હતા. તેમની સાથે પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ જયંત પાટિલ અને એનસીપી નેતા જિતેન્દ્ર આવ્હાડે પણ ભાગ લીધો.

સંજય રાઉતે ગુરુવારે (10 નવેમ્બર) કહ્યુ કે રાહુલ ગાંધીની 'ભારત જોડો યાત્રા' નફરતના વાતાવરણને ખતમ કરવા અને દેશને એક કરવા માટેનુ આંદોલન છે. રાઉતે મુંબઈમાં એનસીપી પ્રમુખ શરદ પવારને તેમના ઘરે મળ્યા બાદ પત્રકારો સાથે વાત કરતા આ વાત કહી. એનસીપી પ્રમુખ શરદ પવાર પણ ભારત જોડો યાત્રામાં ભાગ લેવાના હતા પરંતુ તેઓ સ્વાસ્થ્યના કારણોસર તેમાં હાજર રહ્યા ન હતા. કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે ગુરુવારે (10 નવેમ્બર) જણાવ્યુ હતુ કે પવારને તાજેતરમાં હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને ડૉક્ટરોની આરામ કરવાની સલાહને ધ્યાનમાં રાખીને તેઓ યાત્રામાં ભાગ લેશે નહિ.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએબુધવાર અને ગુરુવારે નાંદેડમાં જનસભાને સંબોધી હતી. બુધવારે ભાજપ અને કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતા તેમણે બે વખત માઈક બંધ કરીને કહ્યુ કે સંસદમાં વિપક્ષના નેતાઓ સાથે આવુ જ થાય છે. જ્યારે પણ વિપક્ષના નેતા નોટબંધી, ગરીબી, મોંઘવારી અને ભારત-ચીન સંબંધો પર બોલે છે ત્યારે માઈક બંધ કરી દેવામાં આવે છે. વિપક્ષના નેતાઓનુ કોઈ સાંભળતુ નથી. આ દરમિયાન તેમણે બે વાર માઈક બંધ કરી દીધુ અને કહ્યુ કે સારુ છે કે અહીં મારો કંટ્રોલ છે. આ સિવાય તેમણે બેરોજગારી સહિત અન્ય મુદ્દાઓ પર પણ કેન્દ્ર સરકાર પર પ્રહારો કર્યા હતા.
ગુરુવારે એક જાહેર સભાને સંબોધતા રાહુલ ગાંધીએ કેદારનાથ યાત્રા દરમિયાન આરએસએસના એક નેતાની વાત કહી. તેમણે કહ્યુ કે હું આરએસએસના એક નેતાને મળ્યો હતો. તેમનુ વજન 100 કિલો હતુ. તેઓ દર્શન કરવા હેલીકૉપ્ટરથી આવ્યા હતા. તેમની સાથે એક નોકર પણ હતો જે ફળોની ટોપલી લઈને જતો હતો. જ્યારે મેં RSS નેતાને પૂછ્યુ તો તેમણે કહ્યુ કે તેઓ પ્રસાદ માટે ફળોની ટોપલી લઈ રહ્યા છે. તેમને જોઈને મારા મનમાં પ્રશ્ન થયો કે મારે કહેવુ જોઈએ કે ટોપલી તમારે લઈને ચાલવી જોઈએ. પણ હું કહી ન શક્યો.
તમને જણાવી દઈએ કે કોંગ્રેસની ભારત જોડો યાત્રા 7 સપ્ટેમ્બરના રોજ તમિલનાડુના કન્યાકુમારીથી શરૂ થઈ હતી. તમિલનાડુ બાદ આ પદયાત્રા કેરળ, કર્ણાટક, આંધ્રપ્રદેશ અને તેલંગાણા થઈને મહારાષ્ટ્ર પહોંચી છે. આ યાત્રા રાજ્યની 15 વિધાનસભા અને છ સંસદીય મતવિસ્તારોમાંથી પસાર થશે. આ દરમિયાન 382 કિમીનુ અંતર કાપવામાં આવશે. આ યાત્રા 20 નવેમ્બરે મધ્યપ્રદેશમાં પ્રવેશ કરશે. આ દરમિયાન મધ્યપ્રદેશ કોંગ્રેસના ઘણા વરિષ્ઠ નેતાઓ પણ હાજરી આપશે.
भारत जोड़ो यात्रा में शामिल हुए आदित्य ठाकरे.. pic.twitter.com/dpXy1iJvfy
— Srinivas BV (@srinivasiyc) November 11, 2022
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
