આસામઃ છઠ પૂજા કરીને પાછા આવી રહેલા ભક્તોનો જાનલેવા અકસ્માત, 9ના મોત, ટ્રક-રિક્ષા વચ્ચે ટક્કર

આસામના કરીમગંજ જિલ્લામાં એક ટ્રકની ઑટો-રિક્ષા સાથે ટક્કર થઈ ગઈ જેમાં 9 લોકોના મોત થઈ ગયા.

ગુવાહાટીઃ પૂર્વોત્તર ભારતીય રાજ્ય આસામના કરીમગંજ જિલ્લામાં એક ઝડપી ટ્રકની ઑટો-રિક્ષા સાથે ટક્કર થઈ ગઈ. આ દૂર્ઘટનામાં 3 સગીર સહિત ઓછામાં ઓછા નવ લોકોના મોત થઈ ગયા છે. વળી, ઘણા લોકો ઘાયલ થઈ ગયા છે. કરીમગંજ જિલ્લાના એક પોલિસ અધિકારીએ ઘટના વિશે માહિતી આપી. તેમણે કહ્યુ કે ઑટો રિક્ષામાં સવાર બધા લોકો છઠ પૂજા કરીને પાછા આવી રહ્યા હતા.

assam

આ દૂર્ઘઠના ગુરુવારે સવારે રાષ્ટ્રીય રાજમાર્ગ-8 પર આસામ-ત્રિપુરા સીમા પર કરીમગંજ જિલ્લાના પાથરકંડી પોલિસ સ્ટેશન વિસ્તારના બેઠાખાલ વિસ્તારમાં થઈ જ્યાં પૂર ઝડપે આવતી ટ્રકે ઑટો રિક્ષાની સામ-સામે ટક્કર થઈ. પોલિસ અધિકારીએ કહ્યુ કે માહિતી મળતા પોલિસની ટીમ ઘટના સ્થળે પહોંચી અને જીવ ગુમાવનાર લોકોના મૃતદેહને ત્યાંથી લેવામાં આવ્યા.

પોલિસ અધિકારીએ કહ્યુ, 'દૂર્ઘટના રાષ્ટ્રીય રાજમાર્ગ-8 પર બેઠાખાલ વિસ્તારમાં થઈ. જેના વિશે અમને સૂચના મળી કે ઘટનામાં નવ લોકોના જીવ ગયા છે. વળી, એક શબ કરીમગંજ સિવિલ હૉસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યુ છે.' તેમણે કહ્યુ કે મૃતકોમાં 3 સગીર શામેલ છે. ન્યૂઝ એજન્સીએ પણ ફોટા જાહેર કરીને જણાવ્યુ કે દૂર્ઘટના એક ટ્રક અને એક ઑટો રિક્ષાની સામ-સામે ટક્કર બાદ થઈ. કરીમગંજ જિલ્લાના એક વરિષ્ઠ અધિકારીનુ કહેવુ છે કે શબોને લઈ લેવામાં આવ્યા છે. જો કે, ઘટના સ્થળે લોકોની ભીડ જમા થઈ ગઈ છે.

આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ આ અકસ્માત બાબતે દુઃખ વ્યક્ત કર્યુ હતુ. તેમણે ટ્વિટ કરીને જણાવ્યુ કે આજે સવારે બેઠાખાલ પાથરખેડીમાં એક મોટો અકસ્માત થતા 9 વ્યક્તિના મોત થતાં ભારે શોક વ્યક્ત કરુ છુ. એક ઘાયલને સારવાર માટે હૉસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ જણાવ્યુ કે અકસ્માત બાદ ટ્રક ચાલક ઘટના સ્થળેથી ભાગી ગયો હતો. આસામ પોલિસ તેને શોધવા પ્રયત્ન કરી રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X