તેલંગણામાં કેસીઆર વિરુદ્ધ કોંગ્રેસ, TDP અને CPIનું મહાગઠબંધન
તંલગણાની ત્રણ મુખ્ય વિપક્ષી પાર્ટીએ કેસીઆર વિરુદ્ધ મહાગઠબંધ બનાવવાનું એલાન કર્યું
નવી દિલ્હીઃ તેલંગણામાં જેવી રીતે કેસીઆર વિધાનસભાને સમય પહેલા ભંગ કરી દીધી અને સમય પહેલા ચૂંટણીની વાત કરી રહ્યા હતા, આ દરમિયાન વિપક્ષી દળો પણ મોટી ગેમ રમી ગયા. પ્રદેશની ત્રણ મુખ્ય વિપક્ષી પાર્ટીએ કેસીઆર વિરુદ્ધ મહાગઠબંધ બનાવવાનું એલાન કર્યું છે, જેમાં કોંગ્રેસ, ટીડીપી અને કોમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ઈન્ડિયા સામેલ છે. ત્રણેય દળોએ એકસાથે મળીને કેસીઆર વિરુદ્ધ ચૂંટણી લડવાનો નિર્ણય લીધો છે, એવામાં આગામી વિધાનસભા ચૂંટણીમાં કેસીઆરની પાર્ટી ટીઆરએસની મુશ્કેલીઓ વધી શકે છે.

રાષ્ટ્રપતિ શાસનની માગણી
આ તમામ પાર્ટીઓએ સાથે મળીને તેલંગણામાં રાષ્ટ્રપતિ શાસન લગાવી દેવાની માગણી કરી છે. વિપક્ષનું કહેવું છે કે જ્યાર સુધી પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીનો સમય ન આવે ત્યા સુધી અહીં રાષ્ટ્રપતિ શાસન લગાવવું જોઈએ. આ બાબતે ટીડીપી, કોંગ્રેસ, તેલંગણા જન સમિતિ અને સીપીઆઈના નેતાઓએ રાજ્યપાલ ઈએસએલ નરસિમ્હન સાથે મુલાકાત કરી અને પ્રદેશમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવાની માગણી કરી છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા મુજબ આ મહાગઠબંધન આગામી 2019ની લોકસભા ચૂંટણીનો રસ્તો નક્કી કરશે અને અમે એકસાથે મળીને લોકસભા ચૂંટણીમાં પણ મેદાનમાં ઉતરશું.

તમામ વર્ગો પાસેથી સમર્થનની અપીલ
માનવામાં આવી રહ્યું છે કે આ મહાગઠબંધન પ્રદેશમાં તમામ સંગઠનો, કર્મચારીઓ, બેરોજગારો અને મહિલાઓના સગઠનો પાસેથી પણ સમર્થનની માગણી કરશે, જેનાથી સત્તા હાંસલ કરી શકે. કોંગ્રેસના આરસી ખુંટીનું કહેવું છે કે આ હજુ પ્રાથમિક તબક્કામાં છે, હજુ સીટોની વહેંચણી પર અમે વાત નથી કરી, પરંતુ એક મોટા ગઠબંધન તરફ આગળ વધવાનો ફેસલો લીધો છે, જેમાં ટીડીપી પણ સામેલ છે. ત્યારે વિધાનસભાની ચૂંટણીમાં કેસીઆરની મુશ્કેલીઓ વધી શકે છે અને વહેલી ચૂંટણી કરાવવાનો કેસીઆરનો દાવ ઉલટો તેમની પાર્ટીને જ ભારે પડી શકે છે.

35 વર્ષમાં પહેલી વખત કોંગ્રેસની સાથે
પહેરી વાર આવું બનવા જઈ રહ્યું છે જ્યારે ટીડીપીએ કોંગ્રેસની સાથે હાથ મિલાવ્યા હોય. ખુંટીનું કહેવું છે કે કોંગ્રેસમાં ટીડીપી વિરુદ્ધ કોઈપણ પ્રકારની દુર્ભાવના નથી. જણાવી દઈએ કે 6 સપ્ટેમ્બરે રાજ્યપાલે વિધાનસભા ભંગ કરવાનો મુખ્યમંત્રીની ભલામણ સ્વીકારી લીધી હતી. મુખ્યમંત્રી કેસીઆરે પોતાના પદની સાથે તમામ કેબિનેટ મંત્રીઓનું રાજીનામું રાજ્યપાલને સોંપ્યું હતું. જે બાદ તેઓ રાજ્યના કેર ટેકર તરીકે મુખ્યમંત્રીનું પદ સંભાળી રહ્યા છે. આ પણ વાંચો-શ્રી રેડ્ડીનો વધુ એક પબ્લિસિટી સ્ટંટ, સચિન તેંડુલકર નિશાને
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના











Click it and Unblock the Notifications
