શરદ પવારને મોટો ઝટકો, નાગાલેન્ડના તમામ 7 એનસીપી ધારાસભ્યોએ અજીત પવારને કર્યો સપોર્ટ, મોકલ્યુ સમર્થન
નાગાલેન્ડના ધારાસભ્યોએ શરદ પવારને મોટો ઝટકો આપ્યો છે. નાગાલેન્ડના તમા્મ સાત ધારાસભ્યોએ અજિત પવારને સમર્થન આપી દિધુ છે. આ સાથે નાગાલેન્ડના તમામ 7 ધારાસભબ્યો અજિત પવારને સમર્થનો પત્ર મોકલી દિધો છે.

એનસીપી ભાગલા બાદ અજિત પવાર ગૃપની તકાત સતત વધતી જઇ રહી છે. આ વચ્ચે નાગાલેન્ડની તમામ ધારાસભ્યોએ અજિત પવારને સમર્થન કરી દિધુ છે. નાગાલેન્ડ એનસીપીના અધ્યક્ષ વાનયુગોએ ઓડુઓ એ જણાવ્યુ હતુ કે, તમામ ધારાસભ્યોએ અજીત પવાર ગૃપને સમર્થન આપવાનું કામ કર્યુ છે.
એનસીપી સાથે બગાવત કરી અજીત પવાર પોતાની સાથે ઘણા ધારાસભ્યોને લઇને શિંદે ફડણવીસ સરકારમાં શામિલ થઇ ગયા છે. આ સાથે પ્રફુલ પટેલ અને છગન ભૂજબલ સહિત ઘણા ધારાસભ્યો એનસીપીથી અલગ થઇ યા છે અજીત પવાર ગૃપના એનડીએમાં શામિલ થઇ ગયા છે. અજીત પવાર મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અને નાણાંમત્રીનું પદ ગ્રહણ કહ્યુ છે .
નાગાલેન્ડના તમામ 7 એનસીપી ધારાસભ્યો મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી અજીત પવારના સમર્થન પત્ર મોકલ્યો છે. આ સમર્થન પત્રથી શરદ પવારને મોટો ઝટકો લાગ્યો છે. શરદ પવાર જ્યાં પાર્ટીને એક જુટ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ વચ્ચે નાગાલેન્ડની ઘટનાથી શરદ પવાર ને ઘણુ નુક્શાન પહોચ્યુ છે. વિરોધ પક્ષી સંગઠન INDIA ને પણ ધક્કો લાગ્યો છે. એનસીપીને કમજોર થવાથી વિપક્ષ ગઠબંધન પર ખરાબ પ્રભાવ પડી શકે છે.
હાલમાં જ થયેલી એનડીએની બેઠકમાં અજીત પવાર અને પ્રફુલ પટેલ શામિલ થયા હતા. તો ચાચા શરદ પવાર વિપક્ષની બેગ્લુરુની બેઠકમાં શામિલ થયા હરતા. વિપક્ષ પોતાના નવા સંગઠનુ નામ INDIA રાખ્યુ છે . તો માનસૂન સત્ર પહેલા કોગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ તમા્મ વિપક્ષ સાસંદોની આજે બેઠક બોલાવી છે.












Click it and Unblock the Notifications
