રક્ષામંત્રીએ OROPની ઘોષણા કરી, 42 વર્ષનો ગતિરોધ પૂર્ણ
નવી દિલ્હી: સેનાના રીટાયર્ડ જવાનોને કેન્દ્ર સરકારે મોટી ભેટ આપી છે. રક્ષામંત્રી મનોહર પર્રિકરે આજે OROPની આધિકારીક ઘોષણા કરી દીધી છે. રક્ષાપ્રધાને કહ્યું સરકાર પોતાની સેનાના જવાનોનું સન્માન કરે છે. સરકારને સેના પર ગર્વ છે અને સૈનિકોના યોગદાનને ભૂલાવી પણ શકાય તેમ નથી.

રક્ષામંત્રીએ કહ્યું પાછલા ચાર દશકથી OROPનો મામલો ડીલે થઈ રહ્યો હતો. વર્ષ 2014ના ફેબ્રુઆરી મહિનામાં યુપીએ સરકારે કહ્યું હતું કે આ યોજના લાગુ કરવામાં આવશે પરંતુ તે માટે કોઈ ઠોસ પગલા ભરાયા ન હતા.
જેના કારણે સરકારને ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો હતો. OROP લાગુ કરવા માટે કેટલીક ટેક્નીકલ અને આર્થિક સમસ્યાઓ હતી જેના કારણે થોડો સમય લાગ્યો. તેમણે વધુમાં જણાવ્યું કે પ્રધાનમંત્રીએ અનેક વખત કહ્યું હતુ કે OROP લાગુ કરવા માટે સરકાર પ્રયત્નશીલ છે.
રક્ષામંત્રીની પ્રેસ કોન્ફરન્સના કેટલાક અંશ:
1) આ યોજનાને લાગુ કરવા માટે 8000થી 10,000 કરોડ રૂપિયાનો ખર્ચ થશે.
2) ચાર હપ્તામાં સેનાના જવાનોને પેન્શનની રકમ આપવામાં આવશે.
3) આ યોજના 1લી એપ્રિલ 2014થી લાગુ થશે.
4) બેઝ વર્ષ 2014 રહેશે.
5) સ્વેચ્છાએ રીટાયરમેન્ટ લેવા વાળા સૈનિકોને આ યોજનાનો લાભ નહીં મળે.
6) દરેક પાંચ વર્ષે પેન્શનને રીવાઈઝ કરવામાં આવશે.
7) OROPની સમીક્ષા માટે જ્યુડીશીયલ કિમિટી બનાવવામાં આવશે. જે 6 મહિનામાં આ મામલે પોતાનો આખો રીપોર્ટ સોંપશે.
8) સૈનિકોની વિધવાને એક જ વારમાં પેન્શનની રકમ આપવામાં આવશે.
9) પાછલી સરકારે OROP માટે માત્ર 500 કરોડની ફાળવણી કરી હતી. તેથી તેને લાગુ કરવું સંભવ ન હતું.
10) OROPની સૌથી મોટી સમસ્યા એ હતી કે જે સૈનિકો VRS લે છે તેમને કેવી રીતે પેન્શન આપવું.












Click it and Unblock the Notifications
