રક્ષામંત્રીએ OROPની ઘોષણા કરી, 42 વર્ષનો ગતિરોધ પૂર્ણ
નવી દિલ્હી: સેનાના રીટાયર્ડ જવાનોને કેન્દ્ર સરકારે મોટી ભેટ આપી છે. રક્ષામંત્રી મનોહર પર્રિકરે આજે OROPની આધિકારીક ઘોષણા કરી દીધી છે. રક્ષાપ્રધાને કહ્યું સરકાર પોતાની સેનાના જવાનોનું સન્માન કરે છે. સરકારને સેના પર ગર્વ છે અને સૈનિકોના યોગદાનને ભૂલાવી પણ શકાય તેમ નથી.

રક્ષામંત્રીએ કહ્યું પાછલા ચાર દશકથી OROPનો મામલો ડીલે થઈ રહ્યો હતો. વર્ષ 2014ના ફેબ્રુઆરી મહિનામાં યુપીએ સરકારે કહ્યું હતું કે આ યોજના લાગુ કરવામાં આવશે પરંતુ તે માટે કોઈ ઠોસ પગલા ભરાયા ન હતા.
જેના કારણે સરકારને ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો હતો. OROP લાગુ કરવા માટે કેટલીક ટેક્નીકલ અને આર્થિક સમસ્યાઓ હતી જેના કારણે થોડો સમય લાગ્યો. તેમણે વધુમાં જણાવ્યું કે પ્રધાનમંત્રીએ અનેક વખત કહ્યું હતુ કે OROP લાગુ કરવા માટે સરકાર પ્રયત્નશીલ છે.
રક્ષામંત્રીની પ્રેસ કોન્ફરન્સના કેટલાક અંશ:
1) આ યોજનાને લાગુ કરવા માટે 8000થી 10,000 કરોડ રૂપિયાનો ખર્ચ થશે.
2) ચાર હપ્તામાં સેનાના જવાનોને પેન્શનની રકમ આપવામાં આવશે.
3) આ યોજના 1લી એપ્રિલ 2014થી લાગુ થશે.
4) બેઝ વર્ષ 2014 રહેશે.
5) સ્વેચ્છાએ રીટાયરમેન્ટ લેવા વાળા સૈનિકોને આ યોજનાનો લાભ નહીં મળે.
6) દરેક પાંચ વર્ષે પેન્શનને રીવાઈઝ કરવામાં આવશે.
7) OROPની સમીક્ષા માટે જ્યુડીશીયલ કિમિટી બનાવવામાં આવશે. જે 6 મહિનામાં આ મામલે પોતાનો આખો રીપોર્ટ સોંપશે.
8) સૈનિકોની વિધવાને એક જ વારમાં પેન્શનની રકમ આપવામાં આવશે.
9) પાછલી સરકારે OROP માટે માત્ર 500 કરોડની ફાળવણી કરી હતી. તેથી તેને લાગુ કરવું સંભવ ન હતું.
10) OROPની સૌથી મોટી સમસ્યા એ હતી કે જે સૈનિકો VRS લે છે તેમને કેવી રીતે પેન્શન આપવું.
-
રાજીવ ચંદ્રશેખરનો દાવો: કેરળમાં ભાજપના નેતૃત્વ હેઠળના NDAનો ઉદય થશે -
Uttarakhand News: દેહરાદૂન પુસ્તક મેળામાં ગઢવાલી અને કુમાઉની સાહિત્ય છવાયું, ૨૬ નવા પુસ્તકોનું વિમોચન થયું -
તમારી યાદશક્તિ વધારવા માટે પાંચ અસરકારક ટિપ્સ -
તમિલનાડુના મુખ્યમંત્રી મેટ્રો ટ્રેનમાં મુસાફરો સાથે સંવાદ કર્યો -
Artemis II Splash Down: નાસાના અવકાશયાત્રીઓ સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા ફર્યા -
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
ભાજપના નેતા પીસી જ્યોર્જે FCRA સુધારા બિલ પસાર થવા અંગે કેથોલિક બિશપ્સની ટીકા કરી -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા






Click it and Unblock the Notifications
