અંકિતા મર્ડર કેસમાં રિસોર્ટના સેફનો મોટો ખૂલાસો, ઘટનાની રાત્રે 4 લોકોના ભોજનનો ઓર્ડર હોવાનું જણાવ્યુ!
ઉત્તરાખંડના પૌડી ગઢવાલની રહેવાસી 19 વર્ષની અંકિતા ભંડારીના મર્ડર કેસમાં દરરોજ નવા ખુલાસા થઈ રહ્યા છે.
દહેરાદૂન, 24 સપ્ટેમ્બ : ઉત્તરાખંડના પૌડી ગઢવાલની રહેવાસી 19 વર્ષની અંકિતા ભંડારીના મર્ડર કેસમાં દરરોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ ઉચ્ચ પોલીસ અધિકારીઓને સંપૂર્ણ તપાસ કરવા અને ગુનેગારોને વહેલી તકે ન્યાય આપવાનો આદેશ આપ્યો છે. રાજ્યના લોકો પણ આ ઘટનાને લઈને ભારે નારાજ છે. આવી સ્થિતિમાં તે રિસોર્ટના સ્ટાફે આ કેસમાં એક સનસનીખેજ ખુલાસો કર્યો છે, જ્યાં અંકિતાની કથિત રીતે હત્યા કરવામાં આવી હતી.

ન્યૂઝ એજન્સી ANI અનુસાર, પુલકિત આર્યના રિસોર્ટના કર્મચારી મનવીર ચૌહાણે જણાવ્યું કે, ઘટનાની રાત્રે 8 વાગ્યે તેમને અંકિત આર્યનો ફોન આવ્યો કે 4 લોકો માટે ડિનર તૈયાર કરો. લગભગ 10:45 વાગ્યે અંકિત રિસોર્ટમાં આવ્યો અને સ્ટાફને કહ્યું કે તે આજે અંકિતાના રૂમમાં ડિનર લઈ જશે, પરંતુ મેં કહ્યું કે અમારો સ્ટાફ આ કામ કરશે, પરંતુ તે માન્યા નહીં.
મનવીર ચૌહાણે વધુમાં જણાવ્યું કે અંકિત રિસોર્ટના સ્ટાફને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. મનવીરે કહ્યું કે બીજા દિવસે અંકિતા તેના રૂમમાં નહોતી, તેની બેગ અને ડિનર બધું રૂમમાં હતું. મનવીરે એ પણ જણાવ્યું છે કે અંકિતાએ પણ રડતા રડતા ફોન કર્યો હતો અને તેણે કહ્યું હતું કે મારી બેગ લાવો, મારી બેગ રસ્તા પર મૂકી દો, જ્યારે રિસોર્ટનો સ્ટાફ બેગ લઈને ગયો ત્યારે તે રૂમમાં ન હતી.
તમને જણાવી દઈએ કે, અંકિતા મર્ડર કેસને લઈને ઉત્તરાખંડમાં ભારે હોબાળો મચી ગયો છે. અંકિતા ભંડારીનો મૃતદેહ શનિવારે સવારે ઋષિકેશમાં ચિલ્લા પાવર હાઉસ પાસેની નહેરમાંથી મળી આવ્યો હતો. અંકિતા ભંડારી પુલકિત આર્યના રિસોર્ટમાં રિસેપ્શનિસ્ટ હતી. તે 18-19 સપ્ટેમ્બરથી ગુમ હતો.












Click it and Unblock the Notifications
