For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આતંકની આગ ઠરી નથી ત્યાં થયો નક્સલી હુમલો, 3 શહીદ

|
Google Oneindia Gujarati News

naxalites
ગયા, 22 ફેબ્રુઆરીઃ દેશમાં આતંકવાદી હુમલાની આગ હજુ ઠંડી પણ નથી થઇ ત્યાં હવે નક્સલીઓએ પોલીસ વાહનને નિશાન બનાવ્યું છે. બિહારના ગયા જિલ્લામાં બારુદી સુરંગ વિસ્ફોટમાં ત્રણ પોલીસકર્મીઓ શહીદ થયા છે. નક્સલ પ્રભાવિત ગયા જિલ્લાના રોશનગંજ પોલીસ મથક વિસ્તારમાં શુક્રવારે નક્સલીઓએ દ્વારા એક બારુદી સુરંગમાં કરવામાં આવ્યો હતો.

પોલીસ મુખ્યાલયના એક અધિકારીએ જણાવ્યું કે પોલીસના જવાનો જીપમાં હતા ત્યારે ઉચલા ગામ નજીક નક્સલીઓએ બારુદી સુરંગમાં વિસ્ફોટ કરી દીધો. પ્રાથમિક માહિતી અનુસાર આ વિસ્ફોટમાં ત્રણ પોલીસકર્મીઓનું મોત થયું છે જ્યારે કેટલાક પોલીસકર્મીઓ ઇજાગ્રસ્ત થયા છે. ગયા પોલીસ મુખ્યાલયે વધુ પોલીસદળ ઘટનાસ્થળે મોકલ્યા છે.

આ હુમલો રાષ્ટ્રપતિના એ દાવાને પાંગળો સાબિત કરે છે, જેમાં તેમણે કહ્યું હતું કે દેશ માઓવાદીઓ અને નક્સલીઓ સામેની લડતમાં સફળ રહ્યો છે. તેમણે કહ્યું હતું કે વામપંથી ઉગ્રવાદી હિંસાની ઘટનાઓ ઓછી થઇ છે. નક્સલી હિંસામાં માર્યા ગયેલા લોકોની સંખ્યા વર્ષ 2011માં 611 હતી, જ્યારે વર્ષ 2012માં ઘટીને 414 થઇ ગઇ હતી. સરકાર વામપંથી ઉગ્રવાદ સામે બાથ ભિડવા માટે પ્રતિબદ્ધ છે. સરકાર ઉગ્રવાદીઓ વિરુદ્ધ સક્રિય અને નિરંતર અભિયાન ચલાવવા તથા ઉગ્રવાદ પ્રભાવિત ક્ષેત્રોમાં વિકાસ અને શાસન સંબંધી મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાની દ્વિ-આયામી નીતિ અનુસાર કાર્ય કરી રહી છે.

રાષ્ટ્રપતિએ કહ્યું કે, ઉગ્રવાદ પ્રભાવિત ક્ષેત્રોમાં 400 પોલીસ મથકોનું નિર્માણ અને સુદૃઢીકરણ હેતુ એક નવી યોજના શરૂ કરવામાં આવી છે. સર્વાધિક પ્રભાવિત 34 જિલ્લામાં 7300 કરોડના ખર્ચે રસ્તા સંપર્ક સુધાર યોજનાનું પ્રથમ ચરણ માર્ચ 2015 સુધી પૂરુ થવાની સંભાવના છે.

English summary
Three policemen had been killed in Naxal attack in Roshanganj area of Gaya district in Bihar.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X