બિહારમાં બાગી નેતાઓને BJPની ચેતવણી - પાર્ટીમાં પાછા આવો નહિતર થશે કાર્યવાહી
બિહાર ભાજપના અધ્યક્ષ સંજય જયસ્વાલે બાગી નેતાઓને ચેતવણી આપી છે.
નવી દિલ્લીઃ બિહાર વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કાના મતદાનમાં હવે થોડા જ દિવસ બચ્યા છે પરંતુ એનડીએમાં મચેલી ઉથલપાથલ અટકતી દેખાતી નથી. લોક જનશક્તિ પાર્ટી એનડીએથી અલગ થયા બાદ છેલ્લા થોડા દિવસોમાં જ ભાજપના પાંચ નેતા પાર્ટી છોડીને જઈ ચૂક્યા છે. એક તરફ જ્યાં લોજપા પ્રમુખ ચિરાગ પાસવારે જેડીયુ સામે પોતાના ઉમેદવારને ઉતારવાનુ એલાન કર્યુ છે. ત્યાં ભાજપે પણ ખુલ્લી રીતે કહ્યુ છે કે જેમણે નીતિશ કુમારનુ નેતૃત્વ સ્વીકાર્ય નથી તે એનડીએનો હિસ્સો પણ નહિ રહી શકે. બિહાર ભાજપના અધ્યક્ષ સંજય જયસ્વાલે બાગી નેતાઓને ચેતવણી આપીને કહ્યુ છે કે જો 12 ઓક્ટોબર સુધી આ નેતા પાર્ટીમાં પાછા નહિ આવે તો તેમના પર કાર્યવાહી કરવામાં આવશે.

ઈન્ડિય એક્સપ્રેસના સમાચાર મુજબ સંજય જયસ્વાલે બિહાર ચૂંટણી વિશે કહ્યુ, 'બિહારમાં ભાજપ સંપૂર્ણપણે મજબૂત છે અને એનડીએના નેતા નીતિશ કુમાર જ છે. લોજપાએ એનડીએથી અલગ થઈને ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે કારણકે અત્યારે જે લોકો એ પાર્ટીમાં નિર્ણયો લઈ રહ્યા છે તે ખોટા ટ્રેક પર છે. રામ વિલાસ પાસવાનજી એ વખતે બિમાર હોવાના કારણે એવી સ્થિતિમાં નહોતા કે કોઈ નિર્ણય લઈ શકે. જો તે એ વખતે એ સ્થિતિમાં હોત તો વસ્તુઓ અલગ હોત. અમે સતત વાતચીત દ્વારા મામલાને ઉકેલવાની કોશિશ કરી પરંતુ એ લોકો વ્યાવહારિક રીતે વિચારવા નથી માંગતા.'
પોતાના બાગી નેતાઓને જેડીયુ સામે લોજપાથી ઉભા કરવાના આરોપો પર સંજય જયસ્વાલે કહ્યુ કે, 'ભારતીય જનતા પાર્ટી આવુ રાજકારણ ક્યારેય નથી કરતી. લોજપાથી લડી રહેલા ભાજપના બાગી નેતાઓને અમે ટિકિટની છેલ્લી તારીખ સુધી સમજાવવાની કોશિશ કરીશુ. જો 12 ઓક્ટોબરની સાંજે 5 વાગ્યા સુધ બાગી નેતા ભાજપમાં પાછા નહિ આવે તો પછી તેમના પર અનુશાસનાત્મક કાર્યવાહી કરવામાં આવશે. એ લોકો અમારી પાર્ટીનો હિસ્સો છે અને અમે નથી ઈચ્છતા કે તે ખોટી દિશામાં જાય.'
-
Tsunami Warning: ઇન્ડોનેશિયામાં 7.4ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, સુનામીનું એલર્ટ -
અમેરિકાની જીદ ભારત સહિત આ દેશોને ભોગવવી પડશે? અર્થતંત્ર ખાડામાં જવાની ચેતવણી -
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ










Click it and Unblock the Notifications
