બિહારમાં બાગી નેતાઓને BJPની ચેતવણી - પાર્ટીમાં પાછા આવો નહિતર થશે કાર્યવાહી
બિહાર ભાજપના અધ્યક્ષ સંજય જયસ્વાલે બાગી નેતાઓને ચેતવણી આપી છે.
નવી દિલ્લીઃ બિહાર વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કાના મતદાનમાં હવે થોડા જ દિવસ બચ્યા છે પરંતુ એનડીએમાં મચેલી ઉથલપાથલ અટકતી દેખાતી નથી. લોક જનશક્તિ પાર્ટી એનડીએથી અલગ થયા બાદ છેલ્લા થોડા દિવસોમાં જ ભાજપના પાંચ નેતા પાર્ટી છોડીને જઈ ચૂક્યા છે. એક તરફ જ્યાં લોજપા પ્રમુખ ચિરાગ પાસવારે જેડીયુ સામે પોતાના ઉમેદવારને ઉતારવાનુ એલાન કર્યુ છે. ત્યાં ભાજપે પણ ખુલ્લી રીતે કહ્યુ છે કે જેમણે નીતિશ કુમારનુ નેતૃત્વ સ્વીકાર્ય નથી તે એનડીએનો હિસ્સો પણ નહિ રહી શકે. બિહાર ભાજપના અધ્યક્ષ સંજય જયસ્વાલે બાગી નેતાઓને ચેતવણી આપીને કહ્યુ છે કે જો 12 ઓક્ટોબર સુધી આ નેતા પાર્ટીમાં પાછા નહિ આવે તો તેમના પર કાર્યવાહી કરવામાં આવશે.

ઈન્ડિય એક્સપ્રેસના સમાચાર મુજબ સંજય જયસ્વાલે બિહાર ચૂંટણી વિશે કહ્યુ, 'બિહારમાં ભાજપ સંપૂર્ણપણે મજબૂત છે અને એનડીએના નેતા નીતિશ કુમાર જ છે. લોજપાએ એનડીએથી અલગ થઈને ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે કારણકે અત્યારે જે લોકો એ પાર્ટીમાં નિર્ણયો લઈ રહ્યા છે તે ખોટા ટ્રેક પર છે. રામ વિલાસ પાસવાનજી એ વખતે બિમાર હોવાના કારણે એવી સ્થિતિમાં નહોતા કે કોઈ નિર્ણય લઈ શકે. જો તે એ વખતે એ સ્થિતિમાં હોત તો વસ્તુઓ અલગ હોત. અમે સતત વાતચીત દ્વારા મામલાને ઉકેલવાની કોશિશ કરી પરંતુ એ લોકો વ્યાવહારિક રીતે વિચારવા નથી માંગતા.'
પોતાના બાગી નેતાઓને જેડીયુ સામે લોજપાથી ઉભા કરવાના આરોપો પર સંજય જયસ્વાલે કહ્યુ કે, 'ભારતીય જનતા પાર્ટી આવુ રાજકારણ ક્યારેય નથી કરતી. લોજપાથી લડી રહેલા ભાજપના બાગી નેતાઓને અમે ટિકિટની છેલ્લી તારીખ સુધી સમજાવવાની કોશિશ કરીશુ. જો 12 ઓક્ટોબરની સાંજે 5 વાગ્યા સુધ બાગી નેતા ભાજપમાં પાછા નહિ આવે તો પછી તેમના પર અનુશાસનાત્મક કાર્યવાહી કરવામાં આવશે. એ લોકો અમારી પાર્ટીનો હિસ્સો છે અને અમે નથી ઈચ્છતા કે તે ખોટી દિશામાં જાય.'
-
Petrol Diesel Price: 11 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL પહેલા BCCIએ પ્રીતિ ઝિન્ટાને આપ્યો મોટો ઝટકો, પંજાબ કિંગ્સ શરૂઆતની મેચમાંથી બહાર -
Gujarat News: ઉનાળામાં બાળકને લૂ લાગી શકે, શાળાઓ સવારની કરવા ઉઠી માંગ -
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
T20 World Cup : વર્લ્ડ કપ જીત્યા બાદ ઈશાન કિશને ગર્લફ્રેન્ડ સાથે ઉજવણી કરી, જુઓ ફોટો -
T20 world cup : સુર્યકુમાર યાદવ નિવૃતિ લેશે? જાણો ખુદ શું કહ્યું? -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
IND vs NZ: કોહલી સાથે ખાસ ક્લબમાં સંજુ સેમસન સામેલ, ટીમ ઈન્ડિયાએ બનાવ્યો ઐતિહાસિક વર્લ્ડ રેકોર્ડ -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ઈરાન-અમેરિકા યુદ્ધમાં ભારત કયા પક્ષમાં? સંસદમાં શું કહ્યું સરકારે?





Click it and Unblock the Notifications
