Bihar Earthquake : બિહારના અરરિયામાં ભૂકંપના આંચકા, 4.3ની રહી તીવ્રતા
Bihar Earthquake : બિહારના અરરિયા વિસ્તારમાં બુધવારની સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યા અનુસાર, આ ભૂકંપના આંચકા સવારના 5.35 કલાકે અનુભવાયા હતા. જેની રિક્ટલ સ્કેલ પર 4.3 ની તીવ્રતા મપાઇ હતી.
આ ભૂકંપની ઊંડાઈ 10 કિમી હોવાનું કહેવાય છે. જોકે, ભૂકંપના કારણે હજૂ સુધી કોઈ નુકસાનના અહેવાલ નથી. અત્રે નોંધનીય છે કે, છેલ્લા કેટલાક દિવસોમાં ઉત્તર ભારતના અલગ-અલગ ભાગોમાં ઘણી વખત ભૂકંપના આંચકા અનુભવાયા છે.

ઉલ્લેખનીય છે કે, આ પહેલા 9 એપ્રિલના રોજ આંદામાન અને નિકોબારમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.3 નોંધવામાં આવી હતી. ભૂકંપની ઊંડાઈ 10 કિલોમીટર હતી. આ ભૂકંપના આંચકા રવિવારની સાંજે 4.01 કલાકે નોંધાયા હતા.
ગત મહિનાની વાત કરીએ તો અફઘાનિસ્તાનમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. દિલ્હી NCR વિસ્તારમાં પણ ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. રિપોર્ટ અનુસાર, આ આંચકા તુર્કમેનિસ્તાન, ભારત, કઝાકિસ્તાન, પાકિસ્તાન, ઉઝબેકિસ્તાન, તાજિકિસ્તાન, ચીન, કિર્ગિસ્તાનમાં પણ અનુભવાયા હતા.
ધરતીકંપ વખતે તમારે ઘણી બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. ભૂકંપના આંચકા અનુભવતાની સાથે જ તમારે સુરક્ષિત જગ્યાએ જવું જોઈએ. તમારે કંઈક મજબૂત નીચે બેસવું જોઈએ. જો તમે ખુલ્લામાં હોવ તો તમારે જમીન પર સૂઈ જવું જોઈએ.
-
ડિનર ડિપ્લોમસી: ઈરાન-અમેરિકા યુદ્ધ વચ્ચે ટ્રમ્પનું સર્જિયો ગૌર સાથે ડિનર, શું આ માત્ર સંયોગ છે? -
Video: ક્યાં છે કોંગ્રેસ નેતા પવન ખેરા? વીડિયોએ ખોલી દીધું રહસ્ય, હિમંતા-પાસપોર્ટ કેસમાં પાછળ પડી છે પોલીસ -
ઈરાન-અમેરિકા યુદ્ધવિરામ: ટ્રમ્પે પાકિસ્તાનની અપીલ સ્વીકારી, 14 દિવસ સુધી અમેરિકી બોમ્બમારો બંધ રહેશે, ઈરાનનું -
US-Iran Ceasefire બાદ ક્યાં અને ક્યારે યોજાશે બેઠક? ક્રેડિટ લેવા માટે પાકિસ્તાની PM શહબાઝ શરીફે કરી મોટી ઓફર -
US-Iran Ceasefire: ક્રૂડ ઓઈલના ભાવમાં 14% નો ઘટાડો, ભારતીય બજાર અને અર્થતંત્ર પર કેવી થશે અસર -
સુપ્રસિદ્ધ રોમાનિયન ફૂટબોલ ખેલાડી અને કોચ મિર્સિયા લુસેસ્કુનું ૮૦ વર્ષની વયે અવસાન -
બંગાળની 2026 વિધાનસભા ચૂંટણી: નવા ચૂંટણી નકશાએ TMCના ગઢ અને ભાજપના માટુઆ બેઝને વિક્ષેપિત કર્યો -
આગામી વિધાનસભા ચૂંટણી માટે મતદાન પ્રક્રિયાનું નિરીક્ષણ કરવા માટે વિદેશી પ્રતિનિધિમંડળ કેરળ પહોંચ્યું -
પીએમ-કુસુમ યોજનાનો પ્રથમ તબક્કો કૃષિમાં સૌર ઉર્જા લક્ષ્યાંકો પ્રાપ્ત કરવામાં નિષ્ફળ ગયો -
કોંગ્રેસ પ્રમુખ ખડગેના વિવાદાસ્પદ નિવેદન સામે ગુજરાતી સમુદાયે દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કર્યું -
ભારત યુએન આર્થિક અને સામાજિક પરિષદ સંસ્થાઓમાં ચૂંટાયું -
પત્રકારની ગેરકાયદેસર અટકાયત અને ત્રાસના આરોપો અંગે NHRCએ ગુજરાતના DGPને નોટિસ ફટકારી












Click it and Unblock the Notifications
