Bihar Earthquake : બિહારના અરરિયામાં ભૂકંપના આંચકા, 4.3ની રહી તીવ્રતા
Bihar Earthquake : બિહારના અરરિયા વિસ્તારમાં બુધવારની સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યા અનુસાર, આ ભૂકંપના આંચકા સવારના 5.35 કલાકે અનુભવાયા હતા. જેની રિક્ટલ સ્કેલ પર 4.3 ની તીવ્રતા મપાઇ હતી.
આ ભૂકંપની ઊંડાઈ 10 કિમી હોવાનું કહેવાય છે. જોકે, ભૂકંપના કારણે હજૂ સુધી કોઈ નુકસાનના અહેવાલ નથી. અત્રે નોંધનીય છે કે, છેલ્લા કેટલાક દિવસોમાં ઉત્તર ભારતના અલગ-અલગ ભાગોમાં ઘણી વખત ભૂકંપના આંચકા અનુભવાયા છે.

ઉલ્લેખનીય છે કે, આ પહેલા 9 એપ્રિલના રોજ આંદામાન અને નિકોબારમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.3 નોંધવામાં આવી હતી. ભૂકંપની ઊંડાઈ 10 કિલોમીટર હતી. આ ભૂકંપના આંચકા રવિવારની સાંજે 4.01 કલાકે નોંધાયા હતા.
ગત મહિનાની વાત કરીએ તો અફઘાનિસ્તાનમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. દિલ્હી NCR વિસ્તારમાં પણ ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. રિપોર્ટ અનુસાર, આ આંચકા તુર્કમેનિસ્તાન, ભારત, કઝાકિસ્તાન, પાકિસ્તાન, ઉઝબેકિસ્તાન, તાજિકિસ્તાન, ચીન, કિર્ગિસ્તાનમાં પણ અનુભવાયા હતા.
ધરતીકંપ વખતે તમારે ઘણી બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. ભૂકંપના આંચકા અનુભવતાની સાથે જ તમારે સુરક્ષિત જગ્યાએ જવું જોઈએ. તમારે કંઈક મજબૂત નીચે બેસવું જોઈએ. જો તમે ખુલ્લામાં હોવ તો તમારે જમીન પર સૂઈ જવું જોઈએ.












Click it and Unblock the Notifications
