Bihar Election 2025 : બિહારના મુખ્યમંત્રી તરીકે લોકોની પહેલી પસંદ કોણ?
Bihar Election 2025 : બિહાર વિધાનસભા ચૂંટણીને (Bihar Assembly Elections 2025) લઈને રાજ્યનું રાજકીય વાતાવરણ ગરમાયું છે. તમામ રાજકીય પક્ષો પ્રચારમાં વ્યસ્ત છે અને સર્વે એજન્સીઓ સતત જનતાનો મૂડ જાણવાનો પ્રયાસ કરી રહી છે.
આ બધા વચ્ચે સી-વોટરનો (C-Voter Opinion Poll) લેટેસ્ટ ઓપિનિયન પોલ સામે આવ્યો છે, જેણે સૌને ચોંકાવી દીધા છે અને આ વખતે મુકાબલો રોમાંચક બની ગયો છે.

ભારતીય જનતા પાર્ટીએ (BJP) ચૂંટણીની જવાબદારી કેન્દ્રીય નેતૃત્વ હેઠળ લીધી છે, જ્યારે બીજી તરફ તેજસ્વી યાદવ (Tejashwi Yadav) પણ ધુઆંધાર પ્રચારમાં લાગેલા છે. આ વખતે પ્રશાંત કિશોરની (Prashant Kishor - PK) એન્ટ્રીએ લડાઈને વધુ રસપ્રદ બનાવી છે.
અત્યાર સુધીના સર્વે અને ઓપિનિયન પોલ પરથી સ્પષ્ટ થાય છે કે આ વખતે મુકાબલો ખૂબ જ કાંટે કી ટક્કરનો રહેવાનો છે, જોકે ઉમેદવારોના નામ જાહેર થયા પછી પરિસ્થિતિ બદલાઈ પણ શકે છે.
લેટેસ્ટ સર્વે અનુસાર, આ વખતની ચૂંટણી ત્રિકોણીય મુકાબલામાં (Trikoniya Muqabla) ફેરવાઈ શકે છે. જન સુરાજની એન્ટ્રીએ NDA અને મહાગઠબંધન (Mahagathbandhan) વચ્ચેની ટક્કરને ત્રિકોણીય બનાવી દીધી છે.
સૌથી મહત્વની વાત એ છે કે મુખ્યમંત્રીની રેસમાં તેજસ્વી યાદવ સૌથી આગળ નીકળતા જોવા મળી રહ્યા છે. જ્યારે આક્રમક પ્રચારને કારણે પ્રશાંત કિશોરની લોકપ્રિયતાનો ગ્રાફ પણ વધ્યો છે, જેમણે ચિરાગ પાસવાન (Chirag Paswan) અને નીતીશ કુમારને (Nitish Kumar) પણ પાછળ છોડી દીધા છે.
મુખ્યમંત્રી પદ માટે પહેલી પસંદ કોણ?
- તેજસ્વી યાદવ - 36%
- પ્રશાંત કિશોર - 23%
- નીતીશ કુમાર - 16%
- ચિરાગ પાસવાન - 10%
બીજી તરફ જ્યાં સુધી વડાપ્રધાન પદની (Prime Minister) પસંદગીની વાત છે ત્યાં સુધી જનતાની પહેલી પસંદ આજે પણ પીએમ નરેન્દ્ર મોદી (PM Narendra Modi) જ છે. એવું લાગી રહ્યું છે કે બિહારની ચૂંટણીમાં NDAને વડાપ્રધાનના ચહેરાનો ફાયદો મળી શકે છે.
- નરેન્દ્ર મોદી : 52% લોકોએ તેમની પહેલી પસંદ જણાવ્યું
- રાહુલ ગાંધી : 41% લોકોએ તેમના પર ભરોસો વ્યક્ત કર્યો
આ ઓપિનિયન પોલ બિહારના રાજકારણમાં મોટા ફેરફારોના સંકેત આપી રહ્યો છે. હવે જોવાનું એ રહે છે કે વાસ્તવિક ચૂંટણીના પરિણામો આ આંકડાઓને કેટલો અનુસરે છે.












Click it and Unblock the Notifications
