Bihar election 2025 : 3.66 લાખ મતદારો ક્યાં ગયા? EC ને તાત્કાલિક જવાબ આપવા સુપ્રીમ કોર્ટનો આદેશ
Bihar election 2025 : બિહારમાં આગામી વિધાનસભા ચૂંટણી 2025 ની જાહેરાત સાથે જ રાજ્યની મતદાર યાદી (Voter List) ને લઈને મોટો હોબાળો મચી ગયો છે.
મામલો સુપ્રીમ કોર્ટ (Supreme Court) સુધી પહોંચ્યો છે, જ્યાં સર્વોચ્ચ અદાલતે ચૂંટણી પંચ (Election Commission of India - ECI) ને સણસણતો સવાલ કર્યો છે કે, આખરે અંતિમ મતદાર સૂચિમાંથી 3.66 લાખ મતદારોના નામ કેવી રીતે ગાયબ થયા?

ન્યાયમૂર્તિ સૂર્યકાંત અને ન્યાયમૂર્તિ જૉયમલ્ય બાગચીની બેન્ચે ECI ને સ્પષ્ટપણે કહ્યું છે કે, તેને 9 ઓક્ટોબર સુધીમાં સંપૂર્ણ રિપોર્ટ કોર્ટ સમક્ષ રજૂ કરવો પડશે. કોર્ટે પૂછ્યું છે કે જેમના નામ હટાવવામાં આવ્યા છે તે મતદારો કોણ છે અને કયા આધાર પર આ કાર્યવાહી કરવામાં આવી છે?
આ સાથે 21 લાખ નવા મતદારો ઉમેરાયા છે તે ખરેખર નવા જ છે કે પછી અગાઉ દૂર કરાયેલા નામોને ફરીથી શામેલ કરવામાં આવ્યા છે તેની પણ સ્પષ્ટતા કરવા જણાવાયું છે.
ચૂંટણી પંચ દ્વારા 30 સપ્ટેમ્બરે બહાર પાડવામાં આવેલી અંતિમ મતદાર યાદી મુજબ, બિહારમાં કુલ મતદારોની સંખ્યા ઘટીને 7.42 કરોડ થઈ ગઈ છે, જે પહેલા 7.89 કરોડ હતી. એટલે કે, કુલ 47 લાખ જેટલા મતદારોની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે.
જો કે, ચૂંટણી પંચે દાવો કર્યો છે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હેઠળ મૃત્યુ પામેલા સ્થળાંતર કરનારા અને ડુપ્લિકેટ મતદારોના નામો દૂર કરવાને કારણે આ ઘટાડો થયો છે. ECI તરફથી વરિષ્ઠ વકીલ રાકેશ દ્વિવેદીએ કોર્ટમાં રજૂઆત કરી કે ઉમેરાયેલા મોટાભાગના નામો નવા મતદારોના છે અને નામ હટાવવા બાબતે અત્યાર સુધી કોઈ ફરિયાદ કે અપીલ દાખલ થઈ નથી.
આ આંકડાઓના કારણે બિહારમાં રાજકીય ગરમાવો વધ્યો છે. માહિતી મુજબ, મગધમાં સૌથી વધુ નવા મતદારો ઉમેરાયા છે, જ્યારે સીમાંચલ ક્ષેત્રમાં મુસ્લિમ વસ્તી વધારે છે ત્યાં સૌથી વધુ નામો દૂર કરવામાં આવ્યા છે. આને કારણે ચૂંટણી પહેલાં જ જાતીય અને ધાર્મિક સંતુલનને લઈને નવી રાજકીય ચર્ચા શરૂ થઈ ગઈ છે.
કોંગ્રેસે આ આંકડાઓ પર સવાલ ઉઠાવતા કહ્યું છે કે 2024ની લોકસભા ચૂંટણીમાં 7.72 કરોડ મતદારો હતા, જે હવે ઘટીને 7.42 કરોડ થઈ ગયા છે. પાર્ટીએ પૂછ્યું છે કે આ 30 લાખ મતદારો કોણ છે જે હવે યાદીમાં નથી?
આ ઉપરાંત ECIએ 21.53 લાખ નવા મતદારો ઉમેર્યા હોવાનો દાવો કર્યો છે, પરંતુ ફોર્મ-6ના આધારે માત્ર 16.93 લાખ અરજીઓ જ ઉપલબ્ધ હોવાનો કોંગ્રેસનો આરોપ છે.
સુપ્રીમ કોર્ટે સ્પષ્ટતા કરી છે કે લોકશાહીમાં મતદાર યાદીની પારદર્શિતા જળવાઈ રહે તે અત્યંત જરૂરી છે અને જો કોઈ પણ પ્રકારની અસ્પષ્ટતા હશે, તો તે લોકતંત્ર માટે ખતરો બની શકે છે. હવે સૌની નજર 9 ઓક્ટોબર પર છે, જ્યારે ECI કોર્ટમાં પોતાનો જવાબ રજૂ કરશે.
-
Iran War Updates: સ્ટ્રેટ ઓફ હોર્મુઝથી ભારત માટે ગુડ ન્યૂઝ, એકસાથે કેટલા ટેન્કર થશે રવાના? જાણો લેટેસ્ટ અપડેટ -
શાહરૂખ-સલમાનને પછાડી બોક્સ ઓફિસ પર 'ધુરંધર' બન્યો રણવીર સિંહ, ટોપ 5માં સામેલ છે આ ફિલ્મો -
LPG Crisis: શું તમને પણ નથી મળી રહ્યો સિલિન્ડર? સરકારે એલપીજી સંકટને લઈને આપ્યું મોટું અપડેટ -
ઇરાન યુદ્ધના ભણકારા ભારતમાં, પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં 2.09 રૂપિયાનો વધારો -
છેલ્લા 24 કલાકમાં 121 તાલુકામાં કમોસમી વરસાદ, જાણો સૌથી વધુ ક્યાં? -
ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના આસિસ્ટન્ટ કમિશનર 1 લાખની લાંચ લેતા ઝડપાયા -
Gujarat Weather: રાજ્યમાં કરા સાથે કમોસમી વરસાદની આગાહી, 80થી વધુ તાલુકામાં નોંધાયો વરસાદ -
ગુજરાતમાં હજુ માવઠાની રાહત નહીં, 22 માર્ચ પછી વધુ એક સિસ્ટમનો ખતરો -
Gold Rate Today: સોનું ફરી થયું સસ્તું, જાણો લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: યુદ્ધ વચ્ચે સોનામાં મોટો ઘટાડો, 7000 રુપિયા સસ્તું, કેમ ઘટી રહ્યા છે ભાવ? જાણો લેટેસ્ટ કિંમત -
Gujarat Weather: રાજ્યમાં આજે છૂટાછવાયા વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ -
ઝોમેટોમાં ખાવાનું મંગાવનારાને ઝટકો, પ્લેટફોર્મમાં આટલો વધારો












Click it and Unblock the Notifications
