પશુ તસ્કરો માટે બિહાર પૂર વરદાન બન્યું, પાણીના રસ્તે ગાયો લઇ જાય છે
બિહારમાં સતત થઇ રહેલો વરસાદ રાજ્યના લોકો માટે સમસ્યા બની ગયો છે, તો તે સમયે બંગાળમાં પશુ તસ્કરો માટે તે ખૂબ જ સારી તક બની ગઈ છે.
બિહારમાં સતત થઇ રહેલો વરસાદ રાજ્યના લોકો માટે સમસ્યા બની ગયો છે, તો તે સમયે બંગાળમાં પશુ તસ્કરો માટે તે ખૂબ જ સારી તક બની ગઈ છે. 28 અને 29 સપ્ટેમ્બરની રાત્રે, બીએસએફ જવાનોએ બંગાળના માલદા અને મુર્શિદાબાદ જિલ્લામાંથી 125 થી વધુ પશુઓને પકડી લીધા હતા, જ્યારે તેઓને ગંગા નદીના પાણીનો ઉપયોગ કરીને બિહારથી બાંગ્લાદેશ લઈ જવાના હતાં. બીએસએફએ આ કેસમાં ત્રણ લોકોની ધરપકડ કરી છે.
પાણી અને કેળના થડની મદદથી પાર કરાવી ગયો
ઓળખાણ ન આપવાની શરતે બીએસએફના એક અધિકારીએ જણાવ્યું કે શનિવારે રાત્રે બીએસએફના જવાનોએ મુર્શિદાબાદ જિલ્લાના ભંગાગોલા પોલીસ સ્ટેશન હેઠળના મદનઘાટ વિસ્તાર નજીક પશુઓ સાથે કેટલાક તસ્કરો જોયા હતા. તસ્કરોનો પીછો કર્યા બાદ બીએસએફએ મહેશ નારાયણગંજનો રહેવાસી આસિફ સરકાર (20) નામના ભારતીય પશુ તસ્કરને 10 પશુઓ સાથે ધરપકડ કરી છે. જો કે, 20 તસ્કરો 200 થી વધુ પશુઓને ગંગા પાર કરવામાં સફળ થયા. જેઓને બીએસએફ પકડી ન શકી.
|
પશુઓને સફળતાપૂર્વક સરહદ પાર કરાવવાના મળે છે 4000 હજાર
બીએસએફએ જણાવ્યું કે, એક તસ્કરને એક પશુને સરહદ સફળતાપૂર્વક પાર કરવા માટે 4000 હજાર રૂપિયા મળે છે. અન્ય એક ઘટનામાં બીએસએફએ મુર્શિદાબાદના શમશેરગંજ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ નીમિતા બોર્ડર નજીક 2 પશુઓ સાથે અન્ય એક ભારતીય પશુ તસ્કરની ધરપકડ કરી હતી. ધરપકડ કરાયેલા યુવકની ઓળખ માલદા જિલ્લાના વૈષ્ણનગર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ અકરમ શેખ (19), દેવનપુરનો રહેવાસી તરીકે થઇ છે. બાંગ્લાદેશમાં પશુઓની તસ્કરી કરવા માટે તે મુર્શિદાબાદ આવ્યો હતો.
બીએસએફએ ઘણી ગાયોને પકડી
બીએસએફના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, તસ્કરો ગંગામાં પાણીના સ્તરમાં થયેલા વધારાનો લાભ લઈ પશુઓને બાંગ્લાદેશ મોકલવાનો પ્રયાસ કરી રહ્યા છે. વૈષ્ણબનગર અને શમશેરગંજ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ અનેક સ્થળોએ નદીઓમાં પશુઓને ઉતારવામાં આવે છે. નદીનો પ્રવાહ એવો છે કે પશુઓ જાતે જ તરીને બાંગ્લાદેશ પહોંચે છે. સૂત્રોએ જણાવ્યું હતું કે સતત વરસાદને કારણે નદીઓમાં પાણી આવ્યું છે. હવે તસ્કરોએ પાણી દ્વારા તસ્કરી કરવાની નવી રીત શોધી કાઢી છે. કેળના થડ પાણીમાં ડૂબતા નથી. ગાયોની બંને બાજુ કેળના થડ બાંધવામાં આવે છે અને તેમને લઈ જવામાં આવ્યા છે. આમાં, મોટા કેળાના ઝાડની થડ કાપીને એકત્રિત કરવામાં આવે છે. ગાયની બંને બાજુ કેળના થડ દોરડાથી બાંધવામાં આવે છે. ગળામાંથી ધડને કવર કરતા ગાયોના શરીર પર બાંધવામાં આવતા થડ, સ્વિમિંગ પુલમાં ટ્યુબની જેમ કાર્ય કરે છે. ગાયોના ગળામાં દોરડું બાંધીને પાણીમાં આગળ ચાલી રહેલા લોકો ખેંચે છે અને કેળનું થડ પાણીમાં ડુબતું નથી. આવી સ્થિતિમાં ગાયોને પાણી દ્વારા સરહદ પાર બાંગ્લાદેશમાં પહોંચાડવામાં આવે છે.
આ પણ વાંચો: આર્ટિકલ 370: રામ માધવે જણાવ્યુ, કાશ્મીરમાં હજુ કેટલા લોકો છે કસ્ટડીમાં