બિહાર: 9 બાળકોની મોતના આરોપી BJP નેતાએ કર્યું સરેન્ડર

બિહારમાં 9 બાળકોના મોતના આરોપી તેવા મનોજ ભાટિયાએ સરેન્ડર કર્યું છે. જોકે સરેન્ડર વખતે મનોજ પોતે ગાડી ન ચલાવતો હોવાની વાત કહી છે. જાણો આ સમાચાર અંગે વધુ અહીં.

બિહારના મુઝફ્ફરપુરમાં 9 બાળકોના મોતના આરોપી તેવા ભાજપના નેતા મનોજ ભાટિયાએ છેવટે સરેન્ડર કર્યું છે. શનિવારે બિહારના સીતામઢી અને મુઝફ્ફરપુર વચ્ચે ભીષણ સડક દુર્ઘટના થઇ હતી. જેમાં ભાજપના નેતાની ગાડીએ 9 બાળકોની કચડી નાંખ્યા હતા. અને તેમનું ઘટના સ્થળે જ મોત થઇ ગયું હતું. માનવામાં આવે છે કે ધરમપુર ગામના ભાજપના નેતાની ગાડી એક મહિલાથી ટકરાઇ ગઇ અને પછી ભાગવાના ચક્કરમાં તેમણે રસ્તાના કિનારે ઊભા રહેલા બાળકોને કચડી નાખ્યા. આ માસૂમ બાળકો પોતાની સ્કૂલ પતાવી ઘરે પરત ફરી રહ્યા હતા. નોંધનીય છે કે આ ઘટનામાં 9 બાળકોની મોત થવાની સાથે 15 બાળકો ઇજાગ્રસ્ત પણ છે. જે બતાવે છે કે આ અકસ્માત કેટલો ભયાનક રહ્યો હશે. જો કે ઘટના પછી ભાજપના નેતા ભૂગર્ભમાં ઉતરી ગયા હતા.

પાછળથી બિહાર પોલીસે દબાવમાં આ મામલે એફઆઇઆર પણ દાખલ કરી હતી. તે પછી બુધવારે મનોજ ભાટિયા કે જેણે આ અકસ્માતમાં 9 બાળકોને કચડી નાંખ્યા હતા તેણે પોલીસ સમક્ષ સરેન્ડર કર્યું હતું. જાણવા તે પણ મળ્યું છે કે અકસ્માત સમયે મનોજ પોતે ગાડી ચલાવી રહ્યા હતા. અને અકસ્માતમાં તેમને પણ ઇજા થઇ હોવાના કારણે સરેન્ડર પછી તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જો કે હોસ્પિટલમા મીડિયા દ્વારા પૂછવામાં આવતા મનોજે અકસ્માતના સમયે પોતે વહાન ચલાવી રહ્યા હોવાની વાતનો નનૈયો ભર્યો હતો. ત્યારે હવે પોલીસ આ મામલે આગળ તપાસ કરશે. જો કે આ અકસ્માત પછી બિહારમાં વિપક્ષ દ્વારા શાસન પક્ષનો ભારે વિરોધ કરવામાં આવ્યો હતો. સાથે જ મૃતક બાળકોના પરિવારે આરોપીને સખત સજા આપવાની વાત પણ ઉચ્ચારી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X