Bihar Cabinet : નીતિશ કુમારના મંત્રીમંડળમાં કઈ જાતીના કેટલા મંત્રી?
બિહારમાં NDAની નવી સરકારની રચના થઈ ગઈ છે. પટણાના ઐતિહાસિક ગાંધી મેદાનમાં નીતિશ કુમારે દસમી વખત મુખ્યમંત્રી પદના શપથ લીધા ત્યારે માત્ર સત્તા પરિવર્તન જ નહીં પરંતુ બિહારના રાજકારણમાં એક નવા જ્ઞાતિ સમીકરણનો પણ પાયો નંખાયો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપ અધ્યક્ષ જે.પી. નડ્ડાની હાજરીએ આ શપથ ગ્રહણ સમારોહને વિશેષ બનાવ્યો. પરંતુ સૌથી વધુ ચર્ચા બિહારના રાજકારણના કેન્દ્રબિંદુ જ્ઞાતિ આધારિત સંતુલનની થઈ.

નીતિશ કુમારની સાથે કુલ 26 મંત્રીઓએ પદ અને ગુપ્તતાના શપથ લીધા. રસપ્રદ બાબત એ રહી કે ભલે મુખ્યમંત્રી નીતિશ કુમાર જેડીયુના હોય પરંતુ કેબિનેટમાં ભાજપનું વર્ચસ્વ સ્પષ્ટ દેખાયું.
આ 27 સભ્યોના નવા મંત્રીમંડળમાં ભાજપના 15, જેડીયુના 8, એલજેપી (રામવિલાસ)ના 2, અને HAM તથા RLMના 1-1 મંત્રીનો સમાવેશ કરાયો છે. ચાલો જાણીએ કે આ સમગ્ર મંત્રીમંડળનું જ્ઞાતિગત માળખું કેવું છે અને કયા સમાજને કેટલો હિસ્સો મળ્યો છે.
સવર્ણ સમાજને કેટલી ભાગીદારી?
NDA સરકારે સવર્ણ સમુદાયને 8 મંત્રી આપીને સ્પષ્ટ સંકેત આપ્યો છે કે તેનો મુખ્ય વોટબેંક હજુ પણ મજબૂત રીતે તેની સાથે છે. આ 8 મંત્રીઓમાં ભૂમિહાર, રાજપૂત, બ્રાહ્મણ અને કાયસ્થ બધાને પ્રતિનિધિત્વ મળ્યું છે.
ભાજપના સવર્ણ મંત્રીઓ
- વિજય કુમાર સિંહા (ભૂમિહાર) – નાયબ મુખ્યમંત્રી
- મંગલ પાંડે (બ્રાહ્મણ)
- સંજય સિંહ ટાઈગર (રાજપૂત)
- શ્રેયસી સિંહ (રાજપૂત)
- નિતિન નવીન (કાયસ્થ) – ફરીથી મંત્રી
જેડીયુના સવર્ણ મંત્રીઓ
- વિજય કુમાર ચૌધરી (ભૂમિહાર)
- લેશી સિંહ (રાજપૂત)
એલજેપી (R)ના સવર્ણ મંત્રી
- સંજય કુમાર સિંહ (રાજપૂત)
આના પરથી સ્પષ્ટ થાય છે કે રાજપૂત અને ભૂમિહાર સમુદાયને મુખ્ય ભાગીદારી મળી છે, જ્યારે બ્રાહ્મણ અને કાયસ્થ સમુદાયને પણ મહત્વ આપવામાં આવ્યું છે.
ઓબીસી-ઈબીસી-વૈશ્ય સમુદાયની સૌથી મોટી ભાગીદારી
બિહારના રાજકારણમાં ઓબીસી અને ઈબીસી હંમેશા નિર્ણાયક ભૂમિકામાં રહ્યા છે. આ જ કારણ છે કે આ કેબિનેટમાં આ વર્ગોને સૌથી વધુ બેઠકો મળી છે. મુખ્યમંત્રી સહિત કુલ 13 મંત્રી ઓબીસી, ઈબીસી અને વૈશ્ય સમાજના છે, એટલે કે મંત્રીમંડળની સૌથી મોટી તાકાત આ વર્ગ છે.
ભાજપના OBC-EBC-વૈશ્ય મંત્રીઓ (કુલ 8)
- સમ્રાટ ચૌધરી (કોઈરી) – નાયબ મુખ્યમંત્રી
- રામકૃપાલ યાદવ (યાદવ)
- સુરેન્દ્ર મહેતા (ધાનુક)
- ડો. પ્રમોદ કુમાર ચંદ્રવંશી (કહાર)
- નારાયણ પ્રસાદ (તેલી)
- રમા નિષાદ (મલ્લાહ)
- ડો. દિલીપ જયસ્વાલ (વૈશ્ય)
- અરુણ શંકર પ્રસાદ (વૈશ્ય)
જેડીયુના OBC-EBC-અન્ય મંત્રીઓ (કુલ 4)
- નીતિશ કુમાર (કુર્મી) – મુખ્યમંત્રી
- શ્રવણ કુમાર (કુર્મી)
- વિજેન્દ્ર યાદવ (યાદવ)
- મદન સહની (નિષાદ)
RLMના મંત્રી
- દીપક પ્રકાશ કુશવાહા (કોઈરી) – ઉપેન્દ્ર કુશવાહાના પુત્ર
કુર્મી, કોઈરી, યાદવ, નિષાદ, વૈશ્ય અને મધ્યમ પછાત વર્ગોને મોટા પાયે પ્રતિનિધિત્વ મળ્યું છે. આ સ્પષ્ટ કરે છે કે NDAએ તેની સૌથી મોટી વોટબેંકને મજબૂત રીતે સાચવી રાખી છે.
દલિત સમુદાયની સ્થિતિ – કુલ 5 મંત્રી
નીતિશ સરકારમાં દલિત સમુદાયને 5 બેઠકો આપવામાં આવી છે. આમાં મુસહર, દુસાદ, પાસી અને રવિદાસ તમામ વર્ગોને અવાજ મળ્યો છે.
ભાજપના દલિત મંત્રીઓ
- લખેન્દ્ર પાસવાન (દુસાદ)
- સુનીલ કુમાર (રવિદાસી)
જેડીયુના દલિત ચહેરા
- અશોક ચૌધરી (મુસહર)
એલજેપી (આર)ના દલિત મંત્રી
- સંજય પાસવાન (પાસવાન)
HAMના દલિત મંત્રી
- સંતોષ સુમન (પસી) – જીતનરામ માંઝીના પુત્ર
દલિત સમુદાયમાં સૌથી વધુ પ્રતિનિધિત્વ દુસાદ સમાજને મળ્યું છે.
મુસ્લિમ કોટામાંથી કેટલા મંત્રી?
નવા મંત્રીમંડળમાં માત્ર એક મુસ્લિમ ચહેરાનો સમાવેશ થાય છે – જમા ખાન (જેડીયુ). જેડીયુએ પોતાના નક્કી કરેલા હિસ્સામાંથી તેમને ફરીથી મંત્રી બનાવ્યા છે. આ એક પ્રતીકાત્મક પરંતુ રાજકીય રીતે મહત્વપૂર્ણ સંદેશ માનવામાં આવે છે.
કેવું છે કુલ જ્ઞાતિગત ગણિત?
નીતિશ કુમારે આ મંત્રીમંડળમાં જ્ઞાતિગત પ્રતિનિધિત્વનું એવું સંતુલન જાળવ્યું છે, જેથી તમામ સમુદાયો પોતાની ઉપસ્થિતિ અનુભવી શકે. બિહારના રાજકારણમાં જ્ઞાતિ માત્ર ઓળખ નથી, પરંતુ ચૂંટણી જીતવાનું સૂત્ર છે અને આ કેબિનેટમાં તે જ સૂત્ર સ્પષ્ટપણે દેખાય છે.
- સવર્ણ : 8
- ઓબીસી-ઈબીસી-વૈશ્ય : 13
- દલિત : 5
- મુસ્લિમ : 1
એટલે કે NDAએ બિહારના દરેક સામાજિક વર્ગને સંતુલિત સંદેશ આપવાનો પ્રયાસ કર્યો છે. સવર્ણ અને પછાત વર્ગ બંનેને ભરપૂર હિસ્સો આપવામાં આવ્યો છે, જ્યારે દલિત અને લઘુમતી સમાજને પણ પ્રતિનિધિત્વ મળ્યું છે.
-
Gold Rate Today: 18 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Petrol Diesel Price: 18 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather Today: યુપી-એમપી સહિત 6 રાજ્યોમાં વરસાદની આશંકા, રાજસ્થાનમાં હીટવેવનું એલર્ટ જાહેર -
IPL 2026 : સનરાઈઝર્સની કમાન ઈશાન કિશના હાથમાં, સ્ટેન્ડઈન કેપ્ટન નિયુક્ત -
IPL 2026 First Match: પહેલી મેચ ક્યારે અને ક્યાં રમાશે? આ બે ટીમો વચ્ચે થશે પ્રથમ મુકાબલો -
ગરમી વચ્ચે માવઠાની આફત, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી -
રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે આવશે, જાણો પુરો કાર્યક્રમ -
અશાંત ધારામાં મોટા ફેરફાર: વિધાનસભામાં રજૂ થશે નવું સુધારા વિધેયક -
ગુજરાતમાં જલ્દી બદલાઈ જશે લગ્ન અને લીવ ઈનના નિયમો, અહેવાલ સોંપાયો -
ગેસ પુરવઠો ખોરવાતા મોરબી સિરામિક ઉદ્યોગમાં વેકેશનની જાહેરાત, આટલા દિવસ બંધ રહેશે -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાના ભાવમાં સતત ઘટાડો, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ રેટ -
જામનગર પંથકમાં કમોસમી વરસાદ, કાલથી આ જિલ્લાઓમાં આગાહી











Click it and Unblock the Notifications
