દેહ વેચીને કમાયેલા પૈસાથી ખોલી સ્કૂલ

રાજધાનીના એક વરિષ્ઠ પોલીસ અધિકારીનું કહેવું છે કે, દેહ વ્યાપાર થકી માલદાર બનેલા દેહના સોદાગરો પર પણ પોલીસની બાઝ નજર છે. તેમનું કહેવું છે કે દેહ વ્યાપારમાંથી કમાયેલી સંપત્તિને વિશેષ રણનીતિ સાથે જપ્ત કરવામાં આવશે. રાજધાની ઉપરાંત રાજ્યના અન્ય ઘણા શહેરોમાં પણ આ રણનીતિ હેઠળ પોલીસ દેહવ્યાપારનાં ધંધા સાથે જોડાયેલા લોકોને બેનકાબ કરશે.
પટનાના વરિષ્ઠ પોલીસ અધિકારી મનુ મહારાજ કહે છે કે, બ્યૂટી પાર્લ્ર અને જેન્ટ્સ પાર્લરની આડમાં દેહ વ્યાપારમાં સામેલ ઘણા આકાઓ અંગે ઘણા મહત્વના પુરાવાઓ હાથ લાગ્યા છે. તપાસ બાદ આ લાકોના પુરાવાઓના આધાર પર તેમના વિરુદ્ધ પ્રિવેંશન ઓફ મની લોન્ડ્રિગ એક્ટ હેઠળ મામલો દાખલ કરીને ધંધાથી કમાયેલા ધન વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. તેમણે કહ્યું કે, સંભવ છે કે આ પ્રકારના દેહ વ્યાપારના ધંધામાંથી કમાયેલા ઘનથી બનાવવામાં આવેલી ઇમારતોમાં બાળકો માટે વિદ્યાલયો શરૂ કરવામાં આવે.












Click it and Unblock the Notifications
