છઠ્ઠ પૂજા દરમિયાન પટનામાં ભાગદોડ, 21 ના મોત

પટનાના વરિષ્ઠ પોલીસ અધિકારી જયંત કાંતના જણાવ્યા અનુસાર અદાલત ઘાટ પર એક લાકડાંનો પુલ બનાવવામાં આવ્યો હતો, જે નબળો હોવાથી ધસી પડ્યો હતો. ત્યારબાદ લોકોએ બીજો રસ્તો પસંદ કર્યો અને તે અચાનક નાસભાગ મચી હતી. તો બીજી તરફ લોકોનું કહેવું છે કે પુલ તૂટવાથી નાસભાગ મચી હતી. જ્યારે પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર સરકાર તરફથી ખૂબ ઓછા સરક્ષાકર્મીઓ ગોઠવવામાં આવ્યા હતા.
મુખ્યમંત્રી નિતિશ કુમારે મોડી રાત્રે યોજેલી પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે પુલ તૂટવાના કારણે આ અકસ્માત સર્જાયો છે. પુલ પર ભીડ વધારે હતી અને લોકોએ બીજા રસ્તા પર જતા રહ્યાં હતા. નિતિશ કુમારે આ કેસ તપાસ ગૃહ સચિવને સોંપી છે. મૃતકોના પરિવારજનોને બે-બે લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે.
આ ઘટના બાદ પટનામાં તણાવ પેદા થયો છે. લોકો રસ્તા પર નિકળી આવ્યાં હતા અને સરકારી કચેરીઓ પર પથ્થરમારો કરવા લાગ્યાં હતા. રાજપથ તરફ આગળ વધતી ભીડ પર કાબૂ મેળવવા માટે પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
