Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

છત્તીસગઢઃ CM ભૂપેશ બઘેલ બોલ્યા - બીજાપુર એનકાઉન્ટર ખુફિયા વિભાગની નિષ્ફળતા નથી, નક્સલ વિરોધી અભિયાન ચાલુ રહેશે

ખુફિયા વિભાગ પર ઉઠી રહેલા સવાલો પર CM ભૂપેશ બઘેલે કહ્યુ કે બીજાપુર-સુકમા એનકાઉન્ટર ખુફિયા વિભાગની નિષ્ફળતા નહોતી.

રાયપુરઃ છત્તીસગઢના નક્સલ પ્રભાવિત વિસ્તારો બીજાપુર અને સુકમા જિલ્લાની બૉર્ડર પર થયેલ અથડામણમાં 22 જવાન શહીદ થઈ ગયા છે જેમાંથી 17 જવાનોના શબ પોલિસે જપ્ત કર્યા છે. 31 અન્ય જવાન ઘાયલ થયા છે. આ આ વર્ષની અત્યાર સુધીની સૌથી મોટી નક્સલી ઘટના હતી. આ સમગ્ર મામલે આસામથી રાયપુર પાછા આવ્યા બાદ છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે કહ્યુ કે જવાનોનુ મનોબળ ઉંચુ છે અને નક્સલ વિરોધી અભિયાન ચાલુ રહેશે. તેમણે ખુફિયા વિભાગ પર ઉઠી રહેલા સવાલો પર કહ્યુ કે બીજાપુર-સુકમા એનકાઉન્ટર ખુફિયા વિભાગની નિષ્ફળતા નહોતી. સીએમ બઘેલે કહ્યુ, 'આપણા જવાન લડાઈમાં શહીદ થઈ ગયા પરંતુ તેમણે હિંમતથી લડાઈ લડી. હું તેમને શહીદીને નમન કરુ છુ.' સીમે કહ્યુ કે માઓવાદી પોતાની અંતિમ લડાઈ લડી રહ્યા છે જલ્દી તેમને ખતમ કરી દેવામાં આવશે.

અમે નક્સલ વિરોધી અભિયાન ચાલુ રાખીશુ

અમે નક્સલ વિરોધી અભિયાન ચાલુ રાખીશુ

મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે કહ્યુ, 'અથડામણ જે જગ્યાએ થઈ છે, તેને નક્સલીઓનો ગઢ કહેવામાં આવે છે. અમે ત્યાં સુરક્ષાબળો દ્વારા કેમ્પ લગાવવાની યોજના બનાવી હતી. લગભગ 2000 સૈનિકોને એ વિસ્તારમાં શિબિર લગાવવા માટે મોકલવામાં આવ્યા હતા જે નક્સલીઓનો ગઢ છે. આ તેમના આંદોલનના પ્રતિબંધિત કરશે, આના કારણે માઓવાદીઓ અકળાયેલા છે. આ ક્યાંયથી પણ ખુફિયા નિષ્ફળતા નહોતી. અમે નિશ્ચિત રીતે ત્યાં ફરીથી કેમ્પ લગાવીશુ અને નક્સલ વિરોધી અભિયાન ચાલુ રાખીશુ.'

ભૂપેશ બઘેલે જણાવ્યુ નક્સલીઓને કેટલુ થયુ નુકશાન

ભૂપેશ બઘેલે જણાવ્યુ નક્સલીઓને કેટલુ થયુ નુકશાન

મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે કહ્યુ, 'અમને એ અંગેની સૂચના મળી છે કે નક્સલી 4 ટ્રેક્ટરમાં ઘટના સ્થળથી મૃત અને ઘાયલ નક્સલીઓને ભરીને લઈ ગયા છે. આ વાતથી તમે અંદાજો લગાવી શકો છે કે સુરક્ષાબળોએ તેમને કેટલુ નુકશાન પહોંચાડ્યુ છે.' મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે નક્સલી હુમલામાં સૂચના તંત્રના નિષ્ફળ થવાનો સ્પષ્ટ ઈનકાર કર્યો છે. તેમણે કહ્યુ, 'આ પોલિસ શિબિર પર હુમલો નહોતો. અમે એ વિસ્તારમાં નક્સલ વિરોધી અભિયાન ચલાવી રહ્યા છે. નક્સલી હવે 40 ગણા 40 વર્ગ કિલોમીટર વિસ્તારમાં સમેટાઈને રહી ગયા છે અને આ તેમની નિરાશાનુ કારણ છે. અમારુ આ અભિયાન અટકવાનુ નથી, શિબિર અને રસ્તાનુ નિર્માણ થતુ રહેશે. જવાનોનુ બલિદાન બેકાર નહિ જાય.'

CRPFએ પણ ખુફિયા વિભાગની નિષ્ફળતાનો કર્યો ઈનકાર

CRPFએ પણ ખુફિયા વિભાગની નિષ્ફળતાનો કર્યો ઈનકાર

કેન્દ્રીય રિઝર્વ પોલિસ બળ(સીઆરપીએફ)ના મહાનિર્દેશક કુલદીપ સિંહ નક્સલી હુમલા બાદ સ્થિતિ પર નજર રાખવા માટે છત્તીસગઢમાં છે. કુલદીપ સિંહે કહ્યુ કે આ સમગ્ર ઑપરેશનમાં ખુફિયા વિભાગની બિલકુલ નિષ્ફળતા નહોતી. લગભગ 25-30 નક્સલીઓને પણ અમે મારી નાખ્યા છે. જો ચોક્કસ આંકડો હજુ જાણી શકાયો નથી.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X