છત્તીસગઢઃ CM ભૂપેશ બઘેલ બોલ્યા - બીજાપુર એનકાઉન્ટર ખુફિયા વિભાગની નિષ્ફળતા નથી, નક્સલ વિરોધી અભિયાન ચાલુ રહેશે
ખુફિયા વિભાગ પર ઉઠી રહેલા સવાલો પર CM ભૂપેશ બઘેલે કહ્યુ કે બીજાપુર-સુકમા એનકાઉન્ટર ખુફિયા વિભાગની નિષ્ફળતા નહોતી.
રાયપુરઃ છત્તીસગઢના નક્સલ પ્રભાવિત વિસ્તારો બીજાપુર અને સુકમા જિલ્લાની બૉર્ડર પર થયેલ અથડામણમાં 22 જવાન શહીદ થઈ ગયા છે જેમાંથી 17 જવાનોના શબ પોલિસે જપ્ત કર્યા છે. 31 અન્ય જવાન ઘાયલ થયા છે. આ આ વર્ષની અત્યાર સુધીની સૌથી મોટી નક્સલી ઘટના હતી. આ સમગ્ર મામલે આસામથી રાયપુર પાછા આવ્યા બાદ છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે કહ્યુ કે જવાનોનુ મનોબળ ઉંચુ છે અને નક્સલ વિરોધી અભિયાન ચાલુ રહેશે. તેમણે ખુફિયા વિભાગ પર ઉઠી રહેલા સવાલો પર કહ્યુ કે બીજાપુર-સુકમા એનકાઉન્ટર ખુફિયા વિભાગની નિષ્ફળતા નહોતી. સીએમ બઘેલે કહ્યુ, 'આપણા જવાન લડાઈમાં શહીદ થઈ ગયા પરંતુ તેમણે હિંમતથી લડાઈ લડી. હું તેમને શહીદીને નમન કરુ છુ.' સીમે કહ્યુ કે માઓવાદી પોતાની અંતિમ લડાઈ લડી રહ્યા છે જલ્દી તેમને ખતમ કરી દેવામાં આવશે.

અમે નક્સલ વિરોધી અભિયાન ચાલુ રાખીશુ
મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે કહ્યુ, 'અથડામણ જે જગ્યાએ થઈ છે, તેને નક્સલીઓનો ગઢ કહેવામાં આવે છે. અમે ત્યાં સુરક્ષાબળો દ્વારા કેમ્પ લગાવવાની યોજના બનાવી હતી. લગભગ 2000 સૈનિકોને એ વિસ્તારમાં શિબિર લગાવવા માટે મોકલવામાં આવ્યા હતા જે નક્સલીઓનો ગઢ છે. આ તેમના આંદોલનના પ્રતિબંધિત કરશે, આના કારણે માઓવાદીઓ અકળાયેલા છે. આ ક્યાંયથી પણ ખુફિયા નિષ્ફળતા નહોતી. અમે નિશ્ચિત રીતે ત્યાં ફરીથી કેમ્પ લગાવીશુ અને નક્સલ વિરોધી અભિયાન ચાલુ રાખીશુ.'

ભૂપેશ બઘેલે જણાવ્યુ નક્સલીઓને કેટલુ થયુ નુકશાન
મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે કહ્યુ, 'અમને એ અંગેની સૂચના મળી છે કે નક્સલી 4 ટ્રેક્ટરમાં ઘટના સ્થળથી મૃત અને ઘાયલ નક્સલીઓને ભરીને લઈ ગયા છે. આ વાતથી તમે અંદાજો લગાવી શકો છે કે સુરક્ષાબળોએ તેમને કેટલુ નુકશાન પહોંચાડ્યુ છે.' મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે નક્સલી હુમલામાં સૂચના તંત્રના નિષ્ફળ થવાનો સ્પષ્ટ ઈનકાર કર્યો છે. તેમણે કહ્યુ, 'આ પોલિસ શિબિર પર હુમલો નહોતો. અમે એ વિસ્તારમાં નક્સલ વિરોધી અભિયાન ચલાવી રહ્યા છે. નક્સલી હવે 40 ગણા 40 વર્ગ કિલોમીટર વિસ્તારમાં સમેટાઈને રહી ગયા છે અને આ તેમની નિરાશાનુ કારણ છે. અમારુ આ અભિયાન અટકવાનુ નથી, શિબિર અને રસ્તાનુ નિર્માણ થતુ રહેશે. જવાનોનુ બલિદાન બેકાર નહિ જાય.'

CRPFએ પણ ખુફિયા વિભાગની નિષ્ફળતાનો કર્યો ઈનકાર
કેન્દ્રીય રિઝર્વ પોલિસ બળ(સીઆરપીએફ)ના મહાનિર્દેશક કુલદીપ સિંહ નક્સલી હુમલા બાદ સ્થિતિ પર નજર રાખવા માટે છત્તીસગઢમાં છે. કુલદીપ સિંહે કહ્યુ કે આ સમગ્ર ઑપરેશનમાં ખુફિયા વિભાગની બિલકુલ નિષ્ફળતા નહોતી. લગભગ 25-30 નક્સલીઓને પણ અમે મારી નાખ્યા છે. જો ચોક્કસ આંકડો હજુ જાણી શકાયો નથી.
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી





Click it and Unblock the Notifications
