કોરોના કાળમાં આ રાજ્યના લોકોએ વિજળીનુ બિલ અડધુ જ ભરવુ પડશે
આ રાજ્યમાં લોકોએ વિજળીનુ બિલ અડધુ જમા કરાવવાનુ રહેશે અને બાકીનો ખર્ચ સરકાર ભોગવશે.
કોરોના વાયરસના પ્રકોપના કારણે ભારતમાં 25 માર્ચ, 2020થી લૉકડાઉન લાગુ છે જો કે પાંચમાં તબક્કામાં અમુક ઢીલ આપવામાં આવી છે કારણકે હજુ પણ ઘણા ઘરોમાં જ બંધ છે. ગરમી અને લૉકડાઉન દરમિયાન ઘરેથી કામ કરવાના કારણે મધ્ય પ્રદેશના લોકો વિજળીનુ બિલ વધવાથી મુશ્કેલીમાં છે. એવામાં મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે તેમને મોટી રાહત આપી છે. સીએમ શિવરાજે સોમવારે એલાન કર્યુ કે રાજ્યમાં લોકોએ વિજળીનુ બિલ અડધુ જમા કરાવવાનુ રહેશે અને બાકીનો ખર્ચ સરકાર ભોગવશે.

મુખ્યમંત્રી શિવરાજ સિંહે કહ્યુ કે ઘરે રહેવાના કારણે લોકોના વિજળીના બિલ મોટા આવ્યા છે. જેમને એપ્રિલ મહિનામાં 100 રૂપિયા છે તેમનુ મે, જૂન અને જુલાઈમાં 50 રૂપિયા બિલ લેવામાં આવે. આનાથી 65 લાખ ગ્રાહકોને 255 કરોડનો લાભ મળશે. જે અમે સરકારી ખજાનામાંથી વિજળી વિભાગને આપીશુ.
સીએમે આગળ કહ્યુ કે 100-400 રૂપિયા વીજળી બિલવાળાએ માત્ર 100 અને 400થી વધુ બિલવાળાએ માત્ર અડધુ બિલ આપવાનુ રહેે. આનાથી ગ્રાહકોએ 183 કરોડ રૂપિયાનો ફાયદો થશે જેનુ વહન સરકાર કરશે. તમને જણાવી દઈએ કે સરકારે આ નિર્ણય મે, જૂન, જૂલાઈના વિજળી બિલ ચૂકવણી પર લીધો છે. ત્યારબાદ વિજ ગ્રાહકોને સામાન્ય દરે જ વિજળી બિલની ચૂકવણી કરવાની રહેશે.












Click it and Unblock the Notifications
