For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બર્ડ ફ્લૂથી ઉત્તરપ્રદેશમાં એક દિવસમાં 70થી વધુ પક્ષીઓનાં મોત- BBC TOP NEWS

બર્ડ ફ્લૂથી ઉત્તરપ્રદેશમાં એક દિવસમાં 70થી વધુ પક્ષીઓનાં મોત- BBC TOP NEWS

By Bbc Gujarati
|
Google Oneindia Gujarati News
પ્રતીકાત્મક

દેશમાં કોરોના વાઇરસની રસી વચ્ચે એવિયન ઇન્ફુએન્ઝાનો ભય ફેલાયો છે.

દેશમાં અલગઅલગ રાજ્યોમાં છેલ્લા કેટલાક દિવસોથી પક્ષીઓનાં મોતના સમાચાર વધ્યા છે.

ઇન્ડિયા ટુડેના એક અહેવાલ અનુસાર, ઉત્તર પ્રદેશના કાનપુરમાં છેલ્લા 24 કલાકમાં 74 પક્ષીઓનાં મૃત હાલતમાં મળી આવ્યાં છે, જેમાં 51 કાગડા અને 9 કબૂતરનો સમાવેશ થાય છે.

અધિકારીઓના જણાવ્યા અનુસાર કાનપુરના જુદાજુદા 13 વિસ્તારોમાં પક્ષીઓનાં મોત થયાં છે.

તેઓએ જણાવ્યું કે બર્ડ ફ્લૂના ડરને પગલે રચાયેલી પાંચ ટીમોએ સ્થળની મુલાકાત લીધી હતી.

તેમજ પક્ષીઓના નમૂના એકત્ર કર્યા હતા અને મૃત પક્ષીઓનો વૈજ્ઞાનિક રીતે નિકાલ કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે ગુજરાત સહિત ભારતનાં 10 રાજ્યો બર્ડફ્લૂની ઝપેટમાં આવી ગયા છે.


સુપ્રીમ કોર્ટનો આદેશ છતાં 'ટ્રેક્ટર પરેડ' કાઢશે ખેડૂતો

ખેડૂત

નરેન્દ્ર મોદી સરકારે પાસ કરેલા નવા ત્રણ કૃષિકાયદાઓ સામે 28 નવેમ્બરથી ખેડૂતોનું આંદોલન ચાલી છે.

અને હવે સુપ્રીમ કોર્ટના હંગામી સ્ટે અને સમિતિના આદેશ બાદ એમાં નવો જ વળાંક આવ્યો છે.

કેન્દ્ર સરકાર દ્વારા પસાર કરવામાં આવેલા ત્રણ કૃષિકાયદા પર સુપ્રીમ કોર્ટે આગલા આદેશ સુધી સ્ટે આપ્યો છે.

જોકે દિલ્હીની બૉર્ડર પર આંદોલન કરતા ખેડૂતોનું કહેવું છે કે તેઓ સુપ્રીમ કોર્ટની પહેલને સ્વાગત કરે છે, પણ તેમનો આરોપ છે કે ખેડૂતોની માગને લઈને જે સમિતિ બનાવાઈ છે એ 'સરકારના પક્ષમાં' જ કામ કરશે.

ખેડૂત સંગઠનોના પ્રતિનિધિ અને ભારતીય કિસાન યુનિયનના નેતા રાકેશ ટિકૈતે બીબીસીને કહ્યું કે જે ચાર લોકોની સમિતિ બનાવી છે તેના પર ખેડૂતોને ભરોસો નથી, કેમ કે તેમાંથી કેટલાકે કૃષિબિલનું ખુલ્લેઆમ સમર્થન કર્યું હતું.

ખેડૂતોએ કહ્યું કે તેઓ તેમનું આંદોલન ચાલુ રાખશે અને આંદોલનનું સ્થળ પણ નહીં બદલે.

ઉલ્લેખનીય છે કે સુપીમ કોર્ટે ચાર સભ્યોની એક સમિતિની રચના કરવાનો નિર્ણય કર્યો છે જે કૃષિકાયદાઓ મામલે ખેડૂતોની સમસ્યાનો અભ્યાસ કરશે અને તેનો અહેવાલ સર્વોચ્ચ અદાલતને બે મહિનામાં આપશે.


ગુજરાતમાં નવી ટૂરિઝમ પૉલિસી 2021-25ની જાહેરાત

અમદાવાદ

ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાં પર્યટનના વિકાસ માટે 'નવી પર્યટન નીતિ 2021-25'ની જાહેરાત કરી છે.

ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર, વિજય રૂપાણીએ કહ્યું, "અમે આ વખતે વિશ્વકક્ષાના પર્યટનને વધુ મહત્ત્વ આપવા માગીએ છીએ. મને વિશ્વાસ છે કે આ નીતિથી પર્યટન માટે ગુજરાતની વૈશ્વિક રીતે પસંદગી થશે."

રૂપાણીએ જણાવ્યું હતું કે તેઓ ઇચ્છે છે કે ડિઝનીલૅન્ડ જેવા મનોરંજન પાર્ક પણ ગુજરાતમાં આવે.

રાજ્યમાં નવી પર્યટન નીતિ 1 જાન્યુઆરી, 2021થી 31 માર્ચ, 2025 સુધી અમલમાં રહેશે.

નવી નીતિ શરૂ કરતી વખતે મુખ્ય મંત્રીએ કહ્યું કે આ નવી આ પ્રવાસન નીતિ 'આત્મનિર્ભર ભારત'ના મિશનને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે, જેથી સ્થાનિક રોજગારને વેગ મળે.

નવી પૉલીસી હેઠળ રાજ્યમાં અલગઅલગ 25 જિલ્લાઓમાં ટૂરિઝમ સેન્ટર પસંદ કરીને ત્યાં પ્રોજેક્ટને લાગુ કરાશે.

કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર
કોરોના વાઇરસ ફર્નિચર

https://www.youtube.com/watch?v=1-wIGE4-8_I

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

English summary
Bird flu kills more than 70 birds a day in Uttar Pradesh.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X