ભાજપે બધાને પછાડ્યા, દુનિયાની સૌથી મોટી રાજનૈતિક પાર્ટી બની
લોકસભા ચૂંટણી પહેલા રાજનૈતિક પાર્ટી ભારતીય જનતા પાર્ટીને એક મોટી સફળતા હાથ લાગી છે. ભાજપે બધાને પાછળ છોડી દીધા છે.
લોકસભા ચૂંટણી પહેલા રાજનૈતિક પાર્ટી ભારતીય જનતા પાર્ટીને એક મોટી સફળતા હાથ લાગી છે. ભાજપે બધાને પાછળ છોડી દીધા છે. સોશ્યિલ મીડિયા પર ભારતીય જનતા પાર્ટીના ફોલોવર્સની સંખ્યા 11 મિલિયન પાર થઇ ચુકી છે. ભારતીય જનતા પાર્ટીએ બધી જ રાજનૈતિક પાર્ટીઓને પછાડીને આ સફળતા મેળવી છે.
આ પણ વાંચો: 'મેજિક ફિગર' જ બચાવી શક્શે મોદીનું નેતૃત્વ, 2019 ચૂંટણી અંગેની 5 મહત્વની વાત

ભાજપની મોટી સિદ્ધિ
ભારતીય જનતા પાર્ટીએ બધી જ રાજનૈતિક પાર્ટીઓને પછાડતા ટ્વિટર પર રેકોર્ડ ફોલોવર્સની સંખ્યા પાર કરી છે. ટ્વિટર પર ભારતીય જનતા પાર્ટીના ફોલોવર્સની સંખ્યા 11 મિલિયન (1.1 કરોડ) પાર થઇ ચુકી છે. પાર્ટી ઘ્વારા આ વાતની જાણકારી આપવામાં આવી છે અને લોકોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે. ભાજપે ટવિટ કરીને જાણકારી આપી કે તેમને ટ્વિટર પર 11 મિલિયન (1.1 કરોડ) ફોલોવર્સનો આંકડો પાર કરી લીધો છે.

સૌથી મોટી પાર્ટી
આપને જણાવી દઈએ કે ભારતીય જનતા પાર્ટી દુનિયાની સૌથી મોટી રાજનૈતિક પાર્ટી તરીકે આગળ વધી રહી છે. ભાજપે જાતે આ વાતનો દાવો કર્યો છે કે તેમની પાસે 11 કરોડ કરતા પણ વધારે કાર્યકર્તાઓની ફોઝ છે. હવે પાર્ટીએ ટ્વિટર પર પણ 1 કરોડ કરતા વધારે ફોલોવર્સની સંખ્યા પાર કરી લીધી છે. ભાજપા ટ્વિટર પર પણ દુનિયાની સૌથી મોટી રાજનૈતિક પાર્ટી બની ચુકી છે.

કોંગ્રેસના ફોલોવર્સ
લોકસભા ચૂંટણી 2019 દરમિયાન બે પાર્ટી ભાજપ અને કોંગ્રેસ વચ્ચે આરપારની લડાઈ ચાલી રહી છે. જ્યાં એક તરફ ટ્વિટર પર ભાજપના ફોલોવર્સની સંખ્યા 11 મિલિયન પહોંચી ગઈ છે, ત્યારે મુખ્ય વિપક્ષી પાર્ટી કોંગ્રેસના ટ્વિટર પર 5.1 મિલિયન ફોલોવર્સ છે.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના










Click it and Unblock the Notifications
