ભાજપ કાર્યકારિણીમાં પ્રધાનમંત્રી પદના ઉમેદવાર પર થશે ચર્ચા
પણજી, 5 જૂન : ગોવાના પાટનગર પણજીમાં શુક્રવારથી પવિવાર સુધી યોજનાર ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં વર્ષ 2014માં યોજાનાર લોકસભા ચૂંટણી અને તેમાં પાર્ટી તરફથી પ્રધાનમંત્રી પદના ઉમેદવાર પર ચર્ચા કરવામાં આવશે.
ભાજપના વરિષ્ઠ નેતાઓએ જણાવ્યું કે પાર્ટી તરફથી પ્રધાનમંત્રી પદના દાવેદારને સામે લાવવાનો સમય આવી ગયો છે. પાર્ટીના એક નેતાએ નામ જાહેર નહીં કરવાની શરત પર કહ્યું કે 'પાર્ટીમાં એ રીતેની ભાવના છે કે પ્રધાનમંત્રી પદના ઉમેદવારના નામ પર હવે નિર્ણય લેવાઇ જવો જોઇએ.'
ભાજપ માટે જોકે આ નિર્ણય કરવો સરળ નહી હોય, કારણ કે આને લઇને પાર્ટીમાં ઘણા મતભદ છે. આ પદ માટે જ્યાં ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની મહત્વકાંક્ષા કોઇનાથી છૂપાયેલી નથી. જ્યારે પાર્ટીની અંદર તથા બહાર પણ તેમના વિરોધીઓની કમી નથી.
કેટલાંક નેતા પ્રધાનમંત્રી પદ માટે વર્ષ 2009 બાદ એક વાર ફરી અડવાણીના નામને લઇને આગળ વધવા માંગે છે, તો કેટલાંક સુષમા સ્વરાજનું નામ આની માટે આગળ કરી રહ્યા છે.
જ્યારે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર પણ નરેન્દ્ર મોદીને ભાજપના પ્રધાનમંત્રી પદના ઉમેદવાર બનાવવાના પક્ષમાં નથી, જેમની પાર્ટી ભાજપાના નેતૃત્વવાળા રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધનનો ભાગ છે અને બિહારમાં ભાજપાની સાથે મળીને સરકાર ચલાવી રહી છે.