આતંકવાદીઓએ અનંતનાગમાં BJPના નેતા ગુલામ રસૂલ ડાર અને તેમની પત્નીની ગોળી મારી કરી હત્યા
દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં સોમવારના રોજ થયેલા આતંકવાદી હુમલામાં ભારતીય જનતા પાર્ટીના નેતા અને તેમની પત્નીનું મોત થયું હતું.
દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં સોમવારના રોજ થયેલા આતંકવાદી હુમલામાં ભારતીય જનતા પાર્ટીના નેતા અને તેમની પત્નીનું મોત થયું હતું. ભાજપના નેતા અલ્તાફ ઠાકુરે જણાવ્યું કે, કુલગામના ભાજપના કિસાન મોરચાના પ્રમુખ ગુલામ રસૂલ ડાર અને તેમની પત્નીનું અનંતનાગના લાલ ચોક વિસ્તારમાં આતંકવાદીઓએ દંપતી પર ગોળીબાર કર્યો હતો. જે બાદ તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું મોત થયું હતું.

ઉલ્લેખનીય છે કે, ભાજપ નેતા ડાર સરપંચ અને અનંતનાગના પક્ષના જિલ્લા પ્રમુખ પણ હતા. આતંકવાદીઓના હુમલા બાદ દંપતીને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, પરંતુ તેમને ગંભીર ઈજાઓને કારણે મૃત્યુ પામ્યા હતા. પોલીસે આ હત્યાકાંડ પાછળ આતંકવાદી સંગઠન લશ્કર એ તૈયબાનો હાથ હોવાની આશંકા વ્યક્ત કરી હતી.

આ ઘટનાની થોડા કલાકો પહેલા સુરક્ષા દળોએ ઘાટીના પૂંછ જિલ્લાના એક ઠેકાણામાંથી હથિયારો અને દારૂગોળાનો મોટો જથ્થો જપ્ત કર્યો હતો. બોર્ડર સિક્યોરિટી ફોર્સ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, સ્વતંત્રતા દિવસ અગાઉ ઝડપાયેલા હથિયારોમાં બે AK-47 રાઇફલ, ચાર AK-47 મેગેઝિન, એક ચાઇનીઝ પિસ્તોલ, 10 પિસ્તોલ મેગેઝિન, ચાર ચાઇનીઝ ગ્રેનેડ અને 257 રાઉન્ડ AK-47 શામેલ હતા.

-
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા






Click it and Unblock the Notifications
