Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

વાજપેઇના ગઢ પર છે દિગ્ગજ નેતાઓની બાઝનજર!

rajnath singh
લખનઉ, 3 મે: ઉત્તર પ્રદેશની લખનઉ સંસદીય બેઠક પરથી આમતો ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અટલ બિહારી વાજપેઇનો ખાસ સંબંધ રહ્યો છે, પરંતુ હવે પરિસ્થિતિઓ એવી છે કે ભાજપના જ ઘણા દિગ્ગજોની નજર તેમના આ ગઢ પર ટકેલી છે. વર્ષ 2014માં યોજાનાર લોકસભા ચૂંટણીને હજી વાર છે, પરંતુ ભાજપાના ઘણા દિગ્ગજોએ આ સંસદીય બેઠક પરથી ચૂંટણી લડવા માટે કવાયતો શરૂ કરી દીધી છે.

ભાજપા સૂત્રોના જણાવ્યા અનુસાર અધ્યક્ષ રાજનાથ સિંહ પોતે આ બેઠક પરથી ચૂંટણી લડવા માટે ઇચ્છુક છે. રાજનાથના નજીકના સંબંધીઓની માનીએ તો તેમના નામની ચર્ચા આવવાની બાદથી અન્ય દાવેદારોના કાન ઉભા થઇ ગયા છે. તેમના સમર્થકો અનુસાર રાજનાથ સિંહ એકવાર મહોના સીટથી વિધાનસભા ચૂંટણી લડ્યા હતા, પરંતુ તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. એ જ હારની ખોટ પૂરી કરવા માટે કદાચ તેઓ લખનઉથી ચૂંટણી લડવા ઇચ્છે છે.

તેમના ઉપરાંત લખનઉથી વર્તમાન સાંસદ લાલજી ટંડન પણ આ બેઠક પરથી ચૂંટણી લડવાની પોતાની ઇચ્છા વ્યક્ત કરી ચૂક્યા છે. તેમનો તર્ક છે કે ગઇ વખતે તેમને લોકસભા ચૂંટણીમાં વિજય મળ્યો હોવાથી તેમને અત્રેથી લડવા માટે ટીકિટ આપવી જોઇએ. કલરાજ મિશ્રએ પણ આ બેઠક પરથી પોતાની દાવેદારી નોંધાવી છે.

સૂત્ર એ પણ જણાવે છે કે વિકલ્પ તરીકે તેમણે કાનપૂર સંસદીય બેઠકની પણ પસંદગી કરી છે અને તેમણે કાનપૂરથી પોતાની ચૂંટણી તૈયારી શરૂ કરી દીધી છે. ભાજપાના મોટા નેતા મુરલી મનોહર જોશી પણ પોતાની સંસદીય બેઠક બદલવાના મૂડમાં છે. તેમની નજર પણ વાજપેઇના આ ગઢ પર છે.

રાજનૈતિક વિશ્લેષક રાશિદ ખાને જણાવ્યું કે 'રાજનાથ સિંહ પર નિર્ભર છે કે તેઓ ક્યાંથી લડવા માંગે છે. જો તેઓ આ સીટ પરથી લડવાનું મન બનાવી ચૂક્યા હશે તો બાકી કોઇ ઉમેદવારોના નામનો કોઇ મતલબ રહેશે નહીં.'

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X