વાજપેઇના ગઢ પર છે દિગ્ગજ નેતાઓની બાઝનજર!

ભાજપા સૂત્રોના જણાવ્યા અનુસાર અધ્યક્ષ રાજનાથ સિંહ પોતે આ બેઠક પરથી ચૂંટણી લડવા માટે ઇચ્છુક છે. રાજનાથના નજીકના સંબંધીઓની માનીએ તો તેમના નામની ચર્ચા આવવાની બાદથી અન્ય દાવેદારોના કાન ઉભા થઇ ગયા છે. તેમના સમર્થકો અનુસાર રાજનાથ સિંહ એકવાર મહોના સીટથી વિધાનસભા ચૂંટણી લડ્યા હતા, પરંતુ તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. એ જ હારની ખોટ પૂરી કરવા માટે કદાચ તેઓ લખનઉથી ચૂંટણી લડવા ઇચ્છે છે.
તેમના ઉપરાંત લખનઉથી વર્તમાન સાંસદ લાલજી ટંડન પણ આ બેઠક પરથી ચૂંટણી લડવાની પોતાની ઇચ્છા વ્યક્ત કરી ચૂક્યા છે. તેમનો તર્ક છે કે ગઇ વખતે તેમને લોકસભા ચૂંટણીમાં વિજય મળ્યો હોવાથી તેમને અત્રેથી લડવા માટે ટીકિટ આપવી જોઇએ. કલરાજ મિશ્રએ પણ આ બેઠક પરથી પોતાની દાવેદારી નોંધાવી છે.
સૂત્ર એ પણ જણાવે છે કે વિકલ્પ તરીકે તેમણે કાનપૂર સંસદીય બેઠકની પણ પસંદગી કરી છે અને તેમણે કાનપૂરથી પોતાની ચૂંટણી તૈયારી શરૂ કરી દીધી છે. ભાજપાના મોટા નેતા મુરલી મનોહર જોશી પણ પોતાની સંસદીય બેઠક બદલવાના મૂડમાં છે. તેમની નજર પણ વાજપેઇના આ ગઢ પર છે.
રાજનૈતિક વિશ્લેષક રાશિદ ખાને જણાવ્યું કે 'રાજનાથ સિંહ પર નિર્ભર છે કે તેઓ ક્યાંથી લડવા માંગે છે. જો તેઓ આ સીટ પરથી લડવાનું મન બનાવી ચૂક્યા હશે તો બાકી કોઇ ઉમેદવારોના નામનો કોઇ મતલબ રહેશે નહીં.'












Click it and Unblock the Notifications
