મોદીની પાઠશાળા, કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર
નવી દિલ્હી, 18 ઓગષ્ટ: ભાજપના ચૂંટણી પ્રચાર સમિતિના અધ્યક્ષ નરેન્દ્ર મોદીએ 2014ની તૈયારીઓ શરૂ કરી દિધી છે. નરેન્દ્ર મોદીએ ભાજપ કાર્યકર્તાને તેના તૈયારી શરૂ કરી દિધી છે. ચૂંટણી તૈયારીમાં જોડાયેલા નરેન્દ્ર મોદીએ કાર્યકર્તાઓની ક્લાસ લીધી હતી. તેમને મીડિયા અને વિરોધીઓ સામે લડવાની શિખામણ લે.
નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ વિરૂદ્ધ મોરચો ખોલતાં કહ્યું હતું કે જનતાનો મૂડ કોંગ્રેસના વિરોધમાં છે અને તે પરિવર્તન ઇચ્છે છે. નરેન્દ્ર મોદીએ પાર્ટીના પ્રવક્તાઓને શિખામણ આપતાં કહ્યું હતું કે કોંગ્રેસના જાળમાં ન ફસાય અને ના કે મીડીયાને પણ ન આવવા દે.
ભાજપાએ રાષ્ટ્રીય મીડિયા કાર્યશાળાનું આયોજન કરી પાર્ટી કાર્યકર્તાઓને રણનિતીની શિખામણ આપી હતી. નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે આપણે કોંગ્રેસની જાળમાં ફસાવવું જોઇએ. નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે કોંગ્રેસ આપણા અંગત મુદ્દાને હવા આપીને પોતાની અસફળતાઓથી જનતાનું ધ્યાન હટાવવા માંગે છે, પરંતુ આપણે તેને આમ કરવા દઇશું નહી. નરેન્દ્ર મોદીના કાર્યકર્તાઓને કોંગ્રેસના વિરૂદ્ધ આક્રમક વલણ અપનાવવાની ભલામણ આપી હતી.
કોંગ્રેસ પર હુમલો
નરેન્દ્ર મોદીએ ભાજપ કાર્યકર્તાઓને યુપીએ સરકારની આર્થિક, સામાજિક અને રાજકીય નબળાઇઓને પ્રચારિત કરવાનો સંદેશ આપ્યો. કોંગ્રેસ પર હુમલો કરવાની સાથે-સાથે નરેન્દ્ર મોદીએ ભાજપના પ્રવક્તાઓ અને કાર્યકર્તાઓને સંયમ રાખવાની શિખામણ આપી હતી.
ચર્ચામાં ભાગ ન લેવો
તેમને કહ્યું હતું કે પાર્ટી પ્રવક્તાઓ અને સમાચાર ટીવી વગેરેની ચર્ચામાં ભાગ લેનાર ભાજપના લોકોને તેમને ભારપૂર્વક કહ્યું હતું કે તે તૈયારી વિના ચર્ચામાં ભાગ ન લે અને તે દરેક વિષયનું ગહન અધ્યયન કરે.
જનતા કોંગ્રેસને સત્તામાંથી હાંકી કાઢવા માંગે છે
નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે દેશની જનતા કોંગ્રેસને સત્તામાંથી હાંકી કાઢવા માંગે છે અને પાર્ટીને આ અવસરનો લાભ ઉઠાવવા માટે સમાજના બધા વર્ગો સાથે જોડવા તથા પોતાના જનાધારનો વિસ્તાર કરવામાં જોડાઇ જવું જોઇએ.
કોંગ્રેસ વિરૂદ્ધ વાતાવરણ
લોકસભા ચૂંટણીની પાર્ટીની તૈયારીઓનો મુલાકાત લેવા અહીં આવેલા ભાજપાના રાષ્ટ્રીય પદાધિકારીઓ, પ્રદેશ અધ્યક્ષો અને સંગઠનો મહામંત્રીઓની બેઠકને સંબોધિત કરવા માટે નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે 'દેશમાં ચોતરફ કોંગ્રેસ વિરૂદ્ધ વાતાવરણ બનેલું છે.
ભાજપ જ વિકલ્પ
દેશની જનતા કોંગ્રેસ પાર્ટીને સત્તામાંથી હટાવવા માંગે છે. તેને ભાજપ જ વિકલ્પના રૂપમાં નજરે પડે છે.' સાથે જ તેમને કહ્યું હતું કે પરંતુ આ તકને આપણા પક્ષમાં બદલવી એક મોટો પડકાર છે. તેના માટે દરેક બૂથ સ્તર પર જનતા સુધી પહોંચ બનાવીને તેમને જોડવા પડશે. આ બેઠકમાં લાલકૃષ્ણ અડવાણી સહિત પાર્ટીના અને વરિષ્ઠ નેતા ઉપસ્થિત રહ્યાં હતા.
જનાધારનો વિસ્તાર
પાર્ટી પ્રવક્તા પ્રકાશ જાવડેકરના અનુસાર ભાજપ ચૂંટણી અભિયાન સમિતિના અધ્યક્ષ, નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે આ પડકારને સ્વિકાર કરવા માટે 'પાર્ટીએ પોતાના જનાધારનો વિસ્તાર કરવો પડશો.
પ્રજા સાથે તાલમેલ
સમાજના બધા વર્ગો સાથે તાલમેલ મેળવવો અને તેને પોતાની સાથે જોડવા પડશે.' તેમના અનુસાર નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે 'જનાધારનો વિસ્તાર કરવાનો મુખ્ય મુદ્દો છે. વિભિન્ન વર્ગો સુધી ઝડપથી પહોંચે. તેના માટે ઉંડાણ પૂર્વક યોજનાઓ બનાવે.
રણનિતીની શિખામણ
ભાજપાએ રાષ્ટ્રીય મીડિયા કાર્યશાળાનું આયોજન કરી પાર્ટી કાર્યકર્તાઓને રણનિતીની શિખામણ આપી હતી. નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે આપણે કોંગ્રેસની જાળમાં ફસાવવું જોઇએ.