For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

15 જન્મ લઈને પણ તમારા બાપ-દાદા હિંદુઓનો વાળ પણ વાંકો નહિ કરી શકેઃ ભાજપ ધારાસભ્ય

ઑલ ઈન્ડિયા મજલિસ એ ઈત્તેહાદુલ મુસ્લિમીનના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીના ભાઈ અકબરુદ્દીન ઓવૈસીએ જે રીતે વિવાદતિ નિવેદન આપ્યુ છે તે બાદ તેલંગાનાથી ભાજપ ધારાસભ્ય રાજા સિંહે તીખો પલટવાર કર્યો છે.

|
Google Oneindia Gujarati News

ઑલ ઈન્ડિયા મજલિસ એ ઈત્તેહાદુલ મુસ્લિમીનના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીના ભાઈ અકબરુદ્દીન ઓવૈસીએ જે રીતે વિવાદતિ નિવેદન આપ્યુ છે તે બાદ તેલંગાનાથી ભાજપ ધારાસભ્ય રાજા સિંહે તીખો પલટવાર કર્યો છે. રાજા સિંહે પડકાર આપ્યો છે કે અમે તમને 15 મિનિટ નહિ 15 કલાક આપીએ છીએ, 15 કલાક નહિ 15 મહિના આપીએ છીએ, 15 મહિના નહિ 15 વર્ષ આપીએ છીએ પરંતુ તમારા બાપ-દાદા 15 વાર પેદા થશે અને ખાનદાન 15 વાર જન્મ લેશે તો પણ અમારા હિંદુઓનો એક પણ વાળ વાંકો નહિ કરી શકો.

raja singh

પાગલપણાના હુમલા આવે છે

રાજા સિંહે તેલંગાનાની ગોશમહલ વિધાનસભા સીટથી ભાજપના ધારાસભ્ય છે. તેમણે કહ્યુ કે અકબરુદ્દીન ઓવૈસીને ક્યારેક ક્યારેક પાગલપણાના હુમલા આવે છે. તેમની માનસિક સ્થિતિ બગડી ચૂકી છે. રાજા સિંહે કહ્યુ કે ભીડમાં એક શિયાળ ભોંકે છે, એ જ રીતે આ પણ છે. અકબરુદ્દીન પર દેશદ્રોહનો આરોપ છે અને તે એક દેશદ્રોહી છે. તેમના મોટા ભાઈ પણ દેશદ્રોહી છે અને તેમની પાર્ટી દેશદ્રોહનુ સમર્થન કરે છે. આ લોકો વારંવાર લોકોને ભડકાવવાનો પ્રયાસ કરે છે.

માહોલ ખરાબ કરવાની કોશિશ

ભાજપ ધારાસભ્યએ કહ્યુ કે આ લોકો દેશનો માહોલ ખરાબ કરવાની કોશિશ કરી રહ્યા છે. રાજા સિંહે કહ્યુ કે તમને 15 મિનિટ નહિ જેટલો સમય જોઈએ તેટલો લઈ લો, અમે તમને આપીશુ, જો દમ હોય તો હું તમને ચેલેન્જ કરુ છુ, સામ-સામે યુદ્ધ લડો અને પછી જુઓ કે તમારામાં કેટલો દમ છે અને મારી અંદર કેટલો દમ છે. તમને જણાવી દઈએ કે 2013માં અકબરુદ્દીન ઓવૈસીએ કહ્યુ હતુ કે અમે મુસલમાન 25 કરોડ છે અને તમે હિંદુ 100 કરોડ પરંતુ 15 મિનિટ માટે પોલિસ હટાવી દો, જોઈ લઈશુ કોનામાં કેટલો દમ છે.

ઓવૈસીનું વિવાદિત નિવેદન

પોતાના આ નિવેદનને એક વાર ફરીથી ઉલ્લેખ કર્યો છે. તેમણે કહ્યુ કે 15 મિનિટનું એવુ દુઃખ છે જે હજુ સુધી ભરાઈ શકાયુ નથી. ઓવૈસીએ કહ્યુ કે આરએસએસવાળા અમારો વાળ પણ વાંકો નહિ કરી શકે. યાદ રાખો, દુનિયા એને જ ડરાવો છે જે ડરે છે, દુનિયા એનાથી જ ડરે છે જે ડરાવવાનું જાણે છે. દેશભરમાં થઈ રહેલી મૉબ લિચિંગની ઘટનાઓ પર મોદી સરકારને ઘેરતા અકબરુદ્દીને કહ્યુ કે મુસલમાનોએ શેર બનવુ પડશે જેથી કોઈ ચાવાળો તેમની સામે ઉભો ના થઈ શકે.

આ પણ વાંચોઃ જયા પ્રદાએ આઝમ ખાનને 'રોડ સાઈડ રોમિયો' ગણાવી કહ્યુ, 'તેમની માનસિક સ્થિતિ ખરાબ છે'આ પણ વાંચોઃ જયા પ્રદાએ આઝમ ખાનને 'રોડ સાઈડ રોમિયો' ગણાવી કહ્યુ, 'તેમની માનસિક સ્થિતિ ખરાબ છે'

English summary
BJP MLA Raja Singh takes on Akbaruddin Owaisi controversial remark.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X