સમલૈંગિકતા હિંદુત્વ વિરોધી, બિમારી છેઃ ભાજપ સાંસદ સુબ્રમણ્યમ સ્વામી
ભાજપના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ મંગળવારે એક વિવાદિત નિવેદન આપ્યા બાદ તેમની ઘણી ટીકાઓ થઈ રહી છે. સ્વામીએ કહ્યુ કે સમલૈંગિક હોવુ સામાન્ય વસ્તુ નથી, તે હિંદુત્વની વિરુદ્ધમાં છે.
ભાજપના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ મંગળવારે એક વિવાદિત નિવેદન આપ્યા બાદ તેમની ઘણી ટીકાઓ થઈ રહી છે. સ્વામીએ કહ્યુ કે સમલૈંગિક હોવુ સામાન્ય વસ્તુ નથી, તે હિંદુત્વની વિરુદ્ધમાં છે. સ્વામીએ દાવો કર્યો કે આના પર મેડીકલ રિસર્ચની મદદથી છૂટકારો મેળવી શકાય છે.

ન્યૂઝ એજન્સી સાથે વાત કરતા સ્વામીએ કહ્યુ કે, "સમલૈંગિક હોવુ એ કોઈ સામાન્ય વસ્તુ નથી. આપણે આનુ સ્વાગત ન કરી શકીએ, તે હિંદુત્વની વિરુદ્ધમાં છે. મિડીકલ રિસર્ચની મદદથી આને ખતમ કરવાનો વિચાર કરવો જોઈએ." તમને જણાવી દઈએ કે આજે સુપ્રિમ કોર્ટની બંધારણીય બેંચ આઈપીસીની ધારા 377 સામેની પિટીશન પર સુનાવણી કરી રહી છે. સેક્શન-377 હેઠળ સમલૈંગિક યૌન સંબંધોને ગુનો કહેવામાં આવે છે. આ અંગે આજે સુનાવણી થવાની છે. લેસ્બિયન, ગે અથવા ટ્રાન્સજેન્ડરના અધિકારો માટે સેક્શન-377 સામે સુપ્રિમ કોર્ટમાં યાચિકા દાખલ કરવામાં આવી છે.
Legitimizing homosexuality leads to commercial profit since Gay Bars will be opened in all cities on FDI. It is a genetic flaw celebrated
— Subramanian Swamy (@Swamy39) November 29, 2015
આજે પાંચ જજોની ખંડપીઠ આ મામલે સુનાવણી કરવાની છે. ચીફ જસ્ટીસ દીપક મિશ્રા, જસ્ટીસ રોહિંગ્ટન આર નરીમન, જસ્ટીસ એ એમ ખાનવિલકર, જસ્ટીસ ડીવાય ચંદ્રચૂડ અને જસ્ટીસ ઈન્દુ મલ્હોત્રા આ મામલે પોતાનો ચૂકાદો સંભળાવશે. 'હમસફર ટ્રસ્ટ' તરફથી કોર્ટમાં દાખલ કરવામાં આવેલ યાચિકામાં કહેવામાં આવ્યુ છે કે ધારા 377 અંગે સુપ્રિમ કોર્ટનો ચૂકાદો ખામીયુક્ત હતો. ફરિયાદકર્તાએ હાદિયા કેસનું ઉદાહરણ પણ આપ્યુ હતુ જેમાં કહેવામાં આવ્યુ હતુ કે પરિણીત કે અપરિણીત લોકોને સાથી પસંદ કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે તો સમલૈંગિકતાના કેસમાં કેમ નહિ.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના











Click it and Unblock the Notifications
