UPમાંથી 40 બેઠકો જીતવા ભાજપની રણનીતિ તૈયાર

યુપી ભાજપના ઇન્ચાર્જ અમિત શાહે આ અંગેની રણનીતિ ઘડી છે. ભાજપના સુત્રોનું કહેવુ છે કે અમિત શાહે તાજેતરની પોતાની મુલાકાત દરમિયાન પક્ષના નેતાઓ, કાર્યકરો અને હોદેદારો સાથે ચર્ચા-વિચારણા કરી હતી. તેમને ગત ચૂંટણીમાં 50,000થી ઓછા મતોથી ભાજપે હારેલી તમામ બેઠકો ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યુ છે. આ ઉપરાંત અમિત શાહ 6 જુલાઇના રોજ અયોધ્યા જઇ રહ્યા છે.
યુપીમાં આવી 11 બેઠકો છે. વર્ષ 2009ની લોકસભા ચૂંટણીમાં ભાજપે 10 બેઠકો 17.50 ટકાના વોટશેરથી જીતી હતી. કોંગ્રેસ પક્ષનો વોટશેર 18.25 ટકા જેટલો હતો પરંતુ તેણે 21 બેઠકો મેળવી હતી. ભાજપના સુત્રોના જણાવ્યા પ્રમાણે શિડયુલ કાસ્ટ માટેની 17 અનામત બેઠકો ઉપર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. ભાજપે 2009માં આમાંથી માત્ર બે જ બેઠકો મેળવી હતી. અમિત શાહે પક્ષના નેતાઓને જણાવ્યું છે કે થોડો પ્રયાસ કરીને દલિતોને આકર્ષવા માટે અસરકારક વ્યુહરચના અપનાવાય તો આ અનામત બેઠકો જીતી શકાય તેમ છે.
સુત્રોના જણાવ્યા પ્રમાણે અમિત શાહે પક્ષની નેતાગીરીને જાણાવ્યું છે કે બહુમતી હિન્દુ વોટ બેંકને ભરોસો આપવામાં આવે અને અયોધ્યામાં રામ મંદિર અને હિન્દુત્સવના લગતા બીજા મુદ્દાઓની વાત ગળે ઉતારવામાં આવે તો પક્ષ વધુ બેઠકો જીતી શકે તેમ છે.
નિષ્ણાતોનું માનવું છે કે અનામત 17 બેઠકોમાંથી જો ભાજપ 15 બેઠકો જીતી શકે તો તે સરળતાથી 40 બેઠકોનો ટાર્ગેટ મેળવી શકે તેમ છે. તાજેતરમાં મોદીએ દિલ્હી ખાતે ભાજપના વરિષ્ઠ નેતા અડવાણી અને શિવસેનાના પ્રમુખ ઉધ્ધવ ઠાકરેને મળીને રણનીતિને અંતિમ ઓપ આપવાનું શરૂ કર્યુ છે. મોદીએ પહેલા સંગઠનાત્મક ચુસ્તી ઉપર ભાર મુકયો છે. ભાજપે 80 બેઠકો પર ખાનગી સર્વે કરીને 60 બેઠકો માટે સંભવિત ઉમેદવારોની પસંદગીની રૂપરેખા પણ શરૂ કરી છે.
અમિત શાહ અને તેની ટીમે તૈયાર કરેલા રિપોર્ટ અનુસાર ગોરખપુર સાંસદ યોગી આદિત્યનાથ અને આઝમગઢના બાહુબલી સાંસદ રમાકાંત યાદવને બાદ કરતા તમામ સાંસદો બેઠકો બદલવા માંગે છે અથવા તો ટિકિટ કપાશે તેવુ માની રહ્યા છે. ઉમા ભારતી યુપીથી ચૂંટણી કદાચ નહિ લડે, તેઓ કદાચ ઉત્તરાંચલ જશે. રાજનાથસિંહ, મુરલી મનોહર જોશી, મેનકા ગાંધી, વરૂણ ગાંધી પોતાની બેઠકો બદલવા માંગે છે. લખનૌથી સાંસદ લાલજી ટંડનની ટિકિટ કપાશે તે નક્કી છે.
પક્ષના સુત્રોના જણાવ્યા પ્રમાણે નરેન્દ્ર મોદી ફૈઝાબાદ (અયોધ્યા), રાજનાથ લખનૌ, ડો.જોશી કાનપુર, વરૂણ ગાંધી સુલતાનપુર, મેનકા ગાંધી પીલીભીત, અડવાણી વારાણસીથી ચૂંટણી લડે તેવી શકયતા છે. અમિત શાહ સાથે જોડાયેલા સુત્રોનું કહેવુ છે કે, યુપી વગર દિલ્હીની ગાદી મળે તેમ નથી તેથી પક્ષના કેટલાક નેતાઓને બાદ કરતા 63 વર્ષથી ઉપરના નેતાઓને કદાચ ટિકિટ આપવામાં નહિ આવે.
-
Gujarat News: ઉનાળામાં બાળકને લૂ લાગી શકે, શાળાઓ સવારની કરવા ઉઠી માંગ -
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
LPG ગ્રાહકો માટે એલર્ટ! તાત્કાલિક કરાવો e-KYC, નહીં તો કપાઈ જશે ગેસ કનેક્શન, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ -
LPG Shortage: એલપીજી સંકટ વચ્ચે સરકારનું મોટું નિવેદન, જાણો હવે કેવી રીતે થશે ગેસ બુક? -
Petrol Diesel Price: 12 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Amit Shah Speech: અવિશ્વાસ પ્રસ્તાવ પર બોલ્યા ગૃહમંત્રી શાહ, 'સ્પીકર પર આરોપથી દેશની બદનામી' -
ઈરાન-ઈઝરાયલ યુદ્ધના કારણે રદ થશે IPL 2026? જંગ વચ્ચે BCCIએ લીધો મોટો નિર્ણય -
Weather Today: હરિયાણા-ગુજરાત સહિત 5 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ -
Gold Rate Today: ઈરાન જંગને કારણે સોનામાં ફરી ઉછાળો! શું 1.80 લાખ સુધી પહોંચશે સોનું? જાણો લેટેસ્ટ કિંમત












Click it and Unblock the Notifications
