For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગૃહમંત્રી શિંદે માફી નહી માંગે તો બજેટ સત્ર નહી ચાલે: બીજેપી

|
Google Oneindia Gujarati News

Ravi sankar prasad
નવી દિલ્હી, 19 ફેબ્રુઆરી: બીજેપીએ 21 ફેબ્રુઆરીથી શરૂ થઇ રહેલા સંસદના બજેટ સત્રમાં સરકારને ઘેરવાની રણનીતિ બનાવી લીધી છે. ભારતીય જનતા પાર્ટીએ નક્કી કરી લીધું છે કે જ્યાં સુધી ગૃહમંત્રી ભગવા આતંકવાદ પર કરેલી ટિપ્પણી અંગે માફી નહી માંગે ત્યા સુધી તેઓ સંસદ ચાલવા દેશે નહી.

સંસદમાં સરકારને ઘેરી લેવાની બ્લૂ પ્રીન્ટ બનાવવા આજે લાલકૃષ્ણ આડવાણીના નિવાસસ્થાને બીજેપીના નેતાઓની બેઠક મળી હતી. આ બેઠકમાં બીજેપીએ નક્કી કર્યું છે કે અગસ્તા વેસ્ટલેન્ડ હેલિકોપ્ટર કૌભાંડ અને સુશીલ કુમાર શિંદેના નિવેદન પર સરકારને બાનમાં લેવામાં આવશે.

ભારતીય જનતા પાર્ટીનું કહેવું છે કે બીજેપી અને સંઘને આતંકવાદી ટ્રેનિંગનો અડ્ડો બતાવનારા નિવેદન પર ગૃહમંત્રી સુશીલ શિંદેએ માફી માગવી જોઇએ. પાર્ટીએ નક્કી કર્યું છે કે નરેન્દ્ર મોદી અને બીજેપી પર પ્રેસ કાઉન્સીલના ચેરમેન મારકેન્ડેય કાત્જુની ટિપ્પણીનો મુદ્દો પણ ઉઠાવવામાં આવશે.

આની સાથે જ નિયંત્રણ રેખા પર પાકિસ્તાનની સેનાએ જે રીતે ભારતીય સૈનિકોની હત્યા કરી અને સૈનિકોના શિરચ્છેદ કરવાની ઘટના પર પણ બીજેપી સરકાર પાસે જવાબ માગશે.

English summary
BJP to protest against Sushilkumar Shine during Budget Session.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X