વીડિયો: એક સમયે મોદીના સૌથી મોટા ફૅન હતા નિતિશ !
નવી દિલ્હી, 17 જૂન: આજે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના સૌથી મોટા વિરોધી બિહારના મુખ્યમંત્રી નિતિશ કુમાર એક સમયે નરેન્દ્ર મોદીના પ્રશંસક હતા. ભાજપે નિતિશ કુમારના તે ભાષણનો વિડિયો લીક કરવામાં આવ્યો છે જેમાં નિતિશ કુમારે નરેન્દ્ર મોદીની ગુજરાતના રમખાણો બાદ પણ નરેન્દ્ર મોદીની જોરદાર પ્રશંસા કરી હતી.
ધર્મનિરપેક્ષતાના નામ પર ભાજપાથી અલગ પડેલા નિતિશ કુમારે એનડીએ સરકારમાં રેલવે મંત્રી તરીકે રમખાણોના એક વર્ષ બાદ નરેન્દ્ર મોદીની કર્મઠતા અને નેતૃત્વ ક્ષમતાની જોરદાર પ્રશંસા કરી હતી. 13 ડિસેમ્બર 2003ના રોજ કચ્છમાં એક રેલવે પ્રોજેક્ટના ઉદઘાટન સમયે નિતિશ કુમારે કહ્યું હતું કે નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય રાજકારણની ક્ષિતિજોને પાર કરશે તેવી ભવિષ્યવાણી કરી હતી. આ ભાષણમાં રેલવે મંત્રીના પદ પર બિરાજમાન નિતિશ કુમાર ભૂજ ગયા હતા ભૂકંપ બાદ પુનનિર્માણના કામ માટે નરેન્દ્ર મોદી પ્રશંસા કરી હતી.

નિતિશ કુમારે કહ્યું હતું કે આટલા ઓછા સમયમાં જે પ્રકારે પુનનિર્માણનું કામ થઇ રહ્યું છે તેના માટે ગુજરાતવાસીઓને સલામ કરું છું. ગુજરાત સરકાર જેનું નેતૃત્વ નરેન્દ્ર મોદી કરી રહ્યાં છે તેને હું ધન્યવાદ અને શુભેચ્છાઓ પાઠવવા માંગું છું. નિતિશ કુમારે કહ્યું હતું કે 'મને આશા છે કે નરેન્દ્ર ભાઇ બહુ દિવસ સુધી ગુજરાતના દાયરામાં સિમિત નહી રહે, દેશને તેમની સેવાનો લાભ મળશે.'
હવે ભાજપે નિતિશ કુમારના આ જૂના ભાષણને લીક કરીને તેમની ધર્મનિરપેક્ષતાની હવા કાઢી નાખી છે. ભાજપા જનતા સમક્ષ એ સાબિત કરવા માંગે છે કે નિતિશ કુમારનો મોદી વિરોધનો સંબંધ સિદ્ધાંત કે વિચારધારા સાથે નથી પરંતુ વોટબેંકનું રાજકારણ અને તકવાદ સાથે છે.












Click it and Unblock the Notifications
