RSS ના લોકો લગ્ન નથી કરતા, તેવા લોકો જ વધારે રેપ કરે છે
મધ્યપ્રદેશમાં આ વખતે વિધાનસભા ઈલેક્શન થવા જઈ રહ્યા છે. તેને લઈને ભાજપ અને કોંગ્રેસે પોતાની તૈયારી વધારી દીધી છે.
મધ્યપ્રદેશમાં આ વખતે વિધાનસભા ઈલેક્શન થવા જઈ રહ્યા છે. તેને લઈને ભાજપ અને કોંગ્રેસે પોતાની તૈયારી વધારી દીધી છે. પરંતુ આ તૈયારી વિવાદિત નિવેદન રૂપે વધુ દેખાઈ રહી છે. મધ્યપ્રદેશમાં નેતાઓ ઘ્વારા ભાષાની મર્યાદા તોડીને વિવાદિત નિવેદન આપવાનું ચાલુ કરી દીધું છે. આ લિસ્ટમાં નવું નામ કોંગ્રેસ મીડિયા પ્રભારી માનક અગ્રવાલ છે.
કોંગ્રેસ મીડિયા પ્રભારી માનક અગ્રવાલ ઘ્વારા જણાવવામાં આવ્યું કે મધ્યપ્રદેશમાં બળાત્કારની ઘટના વધી છે. આ મામલે વધારે ફરિયાદ આરએસએસ અને ભાજપા નેતાઓ વિરુદ્ધ નોંધાય છે.

માનક અગ્રવાલ વિવાદિત નિવેદન
માનક અગ્રવાલ ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે આરએસએસ ના લોકો આ ઘટનામાં લિપ્ત છે. માનક અગ્રવાલ ઘ્વારા જણાવવામાં આવ્યું છે આરએસએસ ના લોકો લગ્ન કરતા નથી એટલા માટે રેપની ઘટનામાં તેમનો હાથ હોય છે. તેમને જણાવ્યું કે વધારે મામલામાં બીજેપી અને આરએસએસ નેતાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. તેમને જણાવ્યું કે મધ્યપ્રદેશ બળાત્કાર મામલે દેશમાં ત્રીજા નંબરે છે. માનક અગ્રવાલ ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે ખુબ જ જલ્દી તેઓ તેના આંકડા પણ સાર્વજનિક કરશે.

દિગ્વિજય સિંહના નજીક છે માનક અગ્રવાલ
માનક અગ્રવાલ ઘ્વારા શિવરાજ સિંહ ચૌહાણ પર પણ નિશાનો લગાવવામાં આવ્યું છે. તેમને કહ્યું કે મુખ્યમંત્રીના વિધાનસભા ક્ષેત્રમાં તેમના પરિવારનો જ વિકાસ થયો છે. તેમના વિધાનસભા ક્ષેત્રમાં કોઈ જ વિકાસ નથી થયો. આપણે જણાવી દઈએ કે માનક અગ્રવાલને દિગ્વિજય સિંહના નજીક માનવામાં આવે છે. હાલમાં જ કોંગ્રેસ ઘ્વારા તેમને મીડિયા પ્રભારી તરીકે પસંદ કરવામાં આવ્યા છે.

રાહુલ ગાંધીએ લગ્ન નથી કર્યા, તો શુ તેઓ પણ રેપ ઘટના માં શામિલ હોય છે?
આ પ્રકારના નિવેદનો પછી બીજેપી તરફથી પણ પ્રતિક્રિયા આવવા લાગી. બીજેપી જનરલ સેકેટરી વીડી શર્મા ઘ્વારા પલટવાર કરવામાં આવ્યો કે રાહુલ ગાંધીએ લગ્ન નથી કર્યા, તો શુ તેઓ પણ રેપ ઘટનામાં શામિલ હોય છે? આપણે જણાવી દઈએ કે આ પહેલા વર્ષ 2013 દરમિયાન કાંતિલાલ ભુરીયા ઘ્વારા આરએસએસ નેતાઓ માટે આપત્તીજનક નિવેદન આપવામાં આવ્યું હતું. જેમની સામે માનહાની કેસ પણ પણ કરવામાં આવ્યો હતો.
-
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ: બે સિસ્ટમ સક્રિય થતાં 4 એપ્રિલ સુધી માવઠાની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી








Click it and Unblock the Notifications
