ભાજપનો ગુપ્ત એજન્ડા છે રામ મંદિર: શરદ યાદવ
વારાણસી, 6 મે: જેડીયૂ પ્રમુખ શરદ યાદવે એક રેલી દરમિયાન મંચ પર ભગવાન રામનું ચિત્ર લગાવવાને લઇને નરેન્દ્ર મોદી પર નિશાન સાધતા આજે આરોપ લગાવ્યો કે રામ મંદિર ભાજપનો ગુપ્ત એજન્ડા છે અને પાર્ટીએ દેશમાં સાંપ્રદાયિકતા ફેલાવવા માટે વારાણસીને કેન્દ્રના રૂપમાં પસંદ કરી છે.
શરદ યાદવે અહીં સંવાદદાતાઓએ કહ્યું 'રામ મંદિરનો મુદ્દો ભાજપનો ગુપ્ત એજન્ડા હતો અને તે આખા દેશમાં સાંપ્રદાયિકતા ફેલાવવા માંગે છે જેની શરૂઆત માટે તેમણે વારાણસીને કેન્દ્રના રૂપમાં પસંદ કર્યું છે.' જેડીયૂ પ્રમુખ આપ પ્રમુખ અરવિંદ કેજરીવાલના સમર્થનમાં પ્રચાર કરવા માટે અહીં આવ્યા હતા. અરવિંદ કેજરીવાલ વડાપ્રધાન પદના ભાજપના ઉમેદવાર નરેન્દ્ર મોદી વિરૂદ્ધ અહીંથી લોકસભા ચૂંટણી લડી રહ્યાં છે. શરદ યાદવે કહ્યું કે તેમનો પક્ષ સાંપ્રદાયિક તાકાતોથી બચાવવા માટે અરવિંદ કેજરીવાલનું સમર્થન કરી રહ્યાં છે.

શરદ યાદવ શહેરમાં કેટલીક જનસભાઓ આયોજિત કરી રહ્યાં છે જેમાં તે લોકો સાથે સમર્થન કરવા અને તથાકથિત ગુજરાત વિકસ મોડલના વાતોમાં ન આવવાની અપીલ કરી છે. તે દિવંગત પર્યાવરણવિદ વીર ભદ્ર મિશ્રને શ્રદ્ધાંજલિ આપવા માટે અહીં તુલસી ઘાટ સ્થિત તેમના આવાસ પર ગયા.
શરદ યાદવે કહ્યું કે તેમણે પોતાના 40 વર્ષથી વધુના રાજકીય કેરિયરમાં સંસદમાં ઘણીવાર ગંગનો મુદ્દો ઉઠાવ્યો છે જેથી તેને પ્રદૂષિત થતાં બચાવવા માટે પગલાં ભરવામાં આવે. તેમણે કહ્યું કે આ નદીને બચાવવામાં ન આવી તો લોકો નજીકના ભવિષ્યમાં જળ સંકટનો સામનો કરવો પડી શકે છે.












Click it and Unblock the Notifications
