આડવાણીની ગેરહાજરીમાં રાજનાથ સિંહે કર્યું મોદીનું રાજતિલક
પણજી, 9 જૂન: ગોવામાં બીજેપીની બે દિવસીય રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકનો આજે છેલ્લો દિવસ છે. ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને લઇને પાર્ટીનો મતભેદ સામે આવી ગયો છે. પાર્ટીમાં મોદીને લઇને મતભેદ ખુલીને સામે આવ્યો છે. બીજેપીમાં આડવાણી દળની નારાજગીની વચ્ચે આજે નરેન્દ્ર મોદીને પ્રચાર સમિતિના પ્રમુખ બનાવી દેવાયા છે.
માનવામાં આવી રહ્યું છે કે કાર્યકારિણીની બેઠકના સમાપન દરમિયાન પાર્ટી અધ્યક્ષ રાજનાથ સિંહ મોદીને મળનારી મોટી જવાબદારીની જાહેરાત કરી શકે છે. રાજનાથ સિંહ ભલે આડવાણીની નારાજગીને નજરઅંદાજ કરીને મોદીને મોટી જવાબદારી સોંપે પરંતુ પાર્ટીના ઘણા નેતાઓની નારાજગીમાં વધારો થવો એ સ્વાભાવિક છે. રાજનાથ એ પણ બતાવી શકે છે કે મોદી પર નિર્ણય સૌની સહમતીથી લેવાયો છે.

પોતાના રાજનૈતિક કરિયરમાં આ પહેલી તક છે કે આડવાણી આ રીતે મોટા આયોજનથી દૂર રહ્યા છે. કાર્યકારિણી બેઠકમાં રાષ્ટ્રીય મુદ્દાઓથી હટીને દરેકનું ધ્યાન એ સવાલ પર છે કે શું બીજેપી 2014ની ચૂંટણી માટે નરેન્દ્ર મોદીને પોતાનો સૌથી મોટો ચહેરો બનાવશે.
-
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
અમદાવાદમાં આકાર લેશે ભવ્ય 'સ્પોર્ટ્સ એન્ક્લેવ', ઓલિમ્પિક સ્તરની સુવિધાઓ માટે સરકારે ખોલી તિજોરી -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ







Click it and Unblock the Notifications
