લોકસભામાં નાગરિકતા બિલ પાસ થયાના વિરોધમાં ભાજપના પ્રવક્તાનું રાજીનામું
નાગરિકતા બિલ પાસ થયાના વિરોધમાં ભાજપના પ્રવક્તાનું રાજીનામું
નવી દિલ્હીઃ લોકસભામાં જેવી રીતે નાગરિકતા સંશોધન બિલ પાસ થઈ ગયું છે તે બાદ ભાજપની અંતર નેતાઓએ બગાવતના સુર છેડ્યા છે. આ બિલની વિરુદ્ધમાં ભાજપના નેતાએ નારાજગી વ્યક્ત કરી છે. લોકસભામાં જ્યારે આ બિલ પાસ કરવામાં આવ્યું તો આસામમાં ભાજપના પ્રવક્તા મહેંદી આલમ બોરાએ આ બિલના વિરોધમાં પાર્ટીના તમામ પદ પરથી રાજીનામું આપી દીધું છે. જણાવી દઈએ કે ભાજપમાં બોરા પહેલા એવા નેતા છે જેમણે નાગરિકતા બિલના વિરોધમાં રાજીનામું આપ્યું હોય. બોરાએ પ્રદેશ ભાજપ અધ્યક્ષ રંજીત કુમાર દાસને પોતાનું રાજીનામું સોંપી દીધું છે.

હું ભાજપ સાથે સહમત ન થઈ શકું
પોતાના રાજીનામામાં બોરાએ લખ્યું કે હું નાગરિકતા સંશોધન બિલનો વિરોધ કરું છું અને મને લાગે છે કે આ બિલથી સાચા અર્થમાં આસામના લોકોને નુકસાન થશે. આ બિલ આસામના લોકોના ધર્મનિરપેક્ષ માળખાંને પ્રભાવિત કરશે, જેથી આ બિલનો હું હંમેશા વિરોધ કરતો આવ્યો છું અને આગળ પણ વિરોધ કરતો રહીશ. તેમણે કહ્યું કે લોકસભામાં આ બિલ પાસ થયા બાદ ભાજપ સાથે સહમત નથી, જેથી ભાજપના પ્રાથમિક સભ્યતા અને તમામ પદ પરથી રાજીનામું આપી રહ્યો છું.

વિપક્ષે બિલનો વિરોધ કર્યો
જણાવી દઈએ કે અગાઉ લોકસભામાં વિપક્ષી દળોના ભારે હંગામાની વચ્ચે આ બિલ પાસ કરાવી લેવામાં આવ્યું. આ બિલમાં અફઘાનિસ્તાન, પાકિસ્તાન, બાંગ્લાદેશમાં વિસ્થાપનના કારણે મુશ્કેલીનો સામનો કરી રહેલ હિંદુ, ઈસાઈ, બૌધ, પારસી, જૈન, સિખ લઘુમતીઓને સુરક્ષા આપવાની વાત કહેવામાં આવી છે. આ બિલનું કોંગ્રેસ, તૃણમૂલ કોંગ્રેસે વિરોધ કર્યો અને આ બિલમાં કેટલીય કમી જણાવી. બંને પાર્ટીઓએ કહ્યું કે આ બિલ લોકોમાં ભાગલા કરનાર છે.

સરકારે સ્પષ્ટ વલણ રાખ્યું
જ્યારે આ બિલ વિશે ગૃહમંત્રી રાજનાથ સિંહે કહ્યં કે નાગરિકતા સંશોધન બિલથી શરણાર્થીઓને લાભ મળશે. તેમણે કહ્યું કે આ બિલ માત્ર આસામ માટે જ નથી, આ એવા તમામ પ્રવાસીઓ માટે પણ છે જેઓ પશ્ચિમી બોર્ડરથી આવ્યા છે અને પંજાબ, દિલ્હી અને રાજસ્થાનમાં વસી ગયા છે. રાજનાથ સિંહે કહ્યું કે અમે NCRને લઈ પ્રતિબદ્ધ છીએ. આ બિલના કારણે NCRમાં કોઈ ભેદભાવ નહી થાય.
-
જો એ ગીત ન હોત તો હારી જાત ભારત? T20 World Cup જીત્યા બાદ કેપ્ટન સૂર્યકુમારે કર્યો ચોંકાવનારો ખુલાસો! -
હવે ખેડૂતોને જમીન માપણીની ભૂલો સુધારવા ધક્કા નહીં ખાવા પડે, સરકારનો મોટો નિર્ણય -
Petrol Diesel Price: 13 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
LPG Shortage: ઈરાન યુદ્ધ વચ્ચે ભારતમાં કેટલું બચ્યું છે તેલ? હરદીપ સિંહ પુરીએ જણાવ્યું સત્ય -
ગુજરાતમાં ભરઉનાળે માવઠાની આગાહી, આ જિલ્લાઓમાં કરા પડી શકે -
ગુજરાત સરકારે સરકારી કર્મચારીઓના મેડિકલ ક્લેમ નિયમોમાં મોટા ફેરફાર કર્યા -
Weather Today: હરિયાણા-ગુજરાત સહિત 5 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, જાણો હવામાન વિભાગની આગાહી -
ગેસ સંકટનો બેવડો માર, એલપીજીની અછત વચ્ચે બજારમાંથી ઇન્ડક્શન પણ ગાયબ -
LPG Price Today: એલપીજી અંગે 3 દિવસમાં સરકારે લીધા 7 મોટા નિર્ણય, ક્યાં પહોંચ્યો ગેસ સિલિન્ડરનો ભાવ? -
તમિલનાડુના રાજકારણમાં મોટી ઉથલપાથલ, શશિકલાએ નવી પાર્ટીની જાહેરાત કરી -
Gujarat Titans Schedule: ગુજરાત ટાઇટન્સ આ દિવસે રમાશે પ્રથમ મેચ, રાજસ્થાન અને દિલ્હી સામે પણ થશે જોરદાર ટક્કર -
Gujarat Weather: રાજ્યના આ જિલ્લાઓમાં ગરમીનું યલો એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી












Click it and Unblock the Notifications
