લોકસભામાં નાગરિકતા બિલ પાસ થયાના વિરોધમાં ભાજપના પ્રવક્તાનું રાજીનામું
નાગરિકતા બિલ પાસ થયાના વિરોધમાં ભાજપના પ્રવક્તાનું રાજીનામું
નવી દિલ્હીઃ લોકસભામાં જેવી રીતે નાગરિકતા સંશોધન બિલ પાસ થઈ ગયું છે તે બાદ ભાજપની અંતર નેતાઓએ બગાવતના સુર છેડ્યા છે. આ બિલની વિરુદ્ધમાં ભાજપના નેતાએ નારાજગી વ્યક્ત કરી છે. લોકસભામાં જ્યારે આ બિલ પાસ કરવામાં આવ્યું તો આસામમાં ભાજપના પ્રવક્તા મહેંદી આલમ બોરાએ આ બિલના વિરોધમાં પાર્ટીના તમામ પદ પરથી રાજીનામું આપી દીધું છે. જણાવી દઈએ કે ભાજપમાં બોરા પહેલા એવા નેતા છે જેમણે નાગરિકતા બિલના વિરોધમાં રાજીનામું આપ્યું હોય. બોરાએ પ્રદેશ ભાજપ અધ્યક્ષ રંજીત કુમાર દાસને પોતાનું રાજીનામું સોંપી દીધું છે.

હું ભાજપ સાથે સહમત ન થઈ શકું
પોતાના રાજીનામામાં બોરાએ લખ્યું કે હું નાગરિકતા સંશોધન બિલનો વિરોધ કરું છું અને મને લાગે છે કે આ બિલથી સાચા અર્થમાં આસામના લોકોને નુકસાન થશે. આ બિલ આસામના લોકોના ધર્મનિરપેક્ષ માળખાંને પ્રભાવિત કરશે, જેથી આ બિલનો હું હંમેશા વિરોધ કરતો આવ્યો છું અને આગળ પણ વિરોધ કરતો રહીશ. તેમણે કહ્યું કે લોકસભામાં આ બિલ પાસ થયા બાદ ભાજપ સાથે સહમત નથી, જેથી ભાજપના પ્રાથમિક સભ્યતા અને તમામ પદ પરથી રાજીનામું આપી રહ્યો છું.

વિપક્ષે બિલનો વિરોધ કર્યો
જણાવી દઈએ કે અગાઉ લોકસભામાં વિપક્ષી દળોના ભારે હંગામાની વચ્ચે આ બિલ પાસ કરાવી લેવામાં આવ્યું. આ બિલમાં અફઘાનિસ્તાન, પાકિસ્તાન, બાંગ્લાદેશમાં વિસ્થાપનના કારણે મુશ્કેલીનો સામનો કરી રહેલ હિંદુ, ઈસાઈ, બૌધ, પારસી, જૈન, સિખ લઘુમતીઓને સુરક્ષા આપવાની વાત કહેવામાં આવી છે. આ બિલનું કોંગ્રેસ, તૃણમૂલ કોંગ્રેસે વિરોધ કર્યો અને આ બિલમાં કેટલીય કમી જણાવી. બંને પાર્ટીઓએ કહ્યું કે આ બિલ લોકોમાં ભાગલા કરનાર છે.

સરકારે સ્પષ્ટ વલણ રાખ્યું
જ્યારે આ બિલ વિશે ગૃહમંત્રી રાજનાથ સિંહે કહ્યં કે નાગરિકતા સંશોધન બિલથી શરણાર્થીઓને લાભ મળશે. તેમણે કહ્યું કે આ બિલ માત્ર આસામ માટે જ નથી, આ એવા તમામ પ્રવાસીઓ માટે પણ છે જેઓ પશ્ચિમી બોર્ડરથી આવ્યા છે અને પંજાબ, દિલ્હી અને રાજસ્થાનમાં વસી ગયા છે. રાજનાથ સિંહે કહ્યું કે અમે NCRને લઈ પ્રતિબદ્ધ છીએ. આ બિલના કારણે NCRમાં કોઈ ભેદભાવ નહી થાય.
-
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
Weather Update: આસામ-બંગાળ સહિત 13 રાજ્યોમાં આંધી-તોફાનની આગાહી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત




Click it and Unblock the Notifications
