'ના હિન્દુ ખરાબ છે ના મુસલમાન, ખરાબ છે કોંગ્રેસનું ઇમાન'
નોંધનીય છે કે દિલ્હીમાં ગૃહમંત્રી સુશીલ કુમાર શિંદે વિરુદ્ધ ભાજપના તમામ નેતા જંતર-મંતર પર એકત્ર થયા છે. અહીં ઉપસ્થિત તમામ નેતાઓને સંબોધિત કરતા ભાજપના અધ્યક્ષ રાજનાથ સિંહે કહ્યું કે, કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી ભગવા આતંકવાદને લઇને શિંદેને નિવેદન પરત લેવા માટે કહે. તેમણે કહ્યું છે કે ના તો હિન્દુ ખરાબ છે અને ના તો મુસલમાન, ખરાબ છે તો કોંગ્રેસનું ઇમાન. સર્વદળીય બેઠક બાદ સુષ્મા સ્વરાજે પણ કહ્યું કે પહેલા શિંદે માફી માંગ પછી સંસદમાં સહયોગ કરવામાં આવશે.
નોંધનીય છે કે કોંગ્રેસ પાર્ટીના અધિવેશનમાં ગૃહમંત્રીએ આરએસએસ અને ભાજપના કેમ્પમાં આતંકવાદની ટ્રેનિગ આપવામાં આવી રહી હોવાની વાત કરી હતી. ત્યારબાદ ભાજપે શિંદે વિરુદ્ધ મોરચો ખોલી દીધો હતો. મંગળવારે રવિશંકર પ્રસાદે પણ કહ્યું હતું કે, શિંદેજી લોકસભામાં પક્ષના નેતા છે. તેમના પર આરોપ લાગ્યા છે. તેમણે માફી માંગવી જોઇએ.