શ્રીનગર, 27 એપ્રિલ: જમ્મૂ કાશ્મીરમાં ફારૂક અબ્દુલાની રેલીમાં બોમ્બ બ્લાસ્ટ થયો છે. બ્લાસ્ટથી રેલીમાં નાસભાગ મચી ગઇ જેમાં 3 લોકો ઘાયલ થયા હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ફારૂક અબ્દુલા જેવા રેલીને સંબોધિત કરવા માટે લિસે મંચ પર આવ્યા ત્યારે જ રેલીમાં એક જોરદાર બ્લાસ્ટ થયો. ધમાકો હેંડ ગ્રેનેડ દ્વારા કરવામાં આવ્યો છે. જાણકારી અનુસાર આ બ્લાસ્ટમાં ફારૂક અબ્દુલા સુરક્ષિત છે અને આખા વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો છે.
જે લોકો ઘાયલ થયા છે તેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે જ્યાં તેમની હાલત ખતરાથી બહાર છે. પોલીસે હજુ સુધી સ્પષ્ટ કરી શકી નથીક એ આ આતંકવાદી હુમલો હતો કે પછી બીજું કંઇ પરંતુ પોલીસનું એટલું કહેવું છે કે ગ્રેનેડનો ઉપયોગ આતંકવાદીઓ હુમલામાં કરતા આવ્યા છે.
Comments