લખનઉની કોર્ટમાં બોમ્બ બ્લાસ્ટ, કેટલાય વકીલો ઘાયલ થયા
લખનઉની કોર્ટમાં બોમ્બ બ્લાસ્ટ, કેટલાય વકીલો ઘાયલ થયા
લખનઉઃ લખનઉની એક કોર્ટમાં બોમ્બ બ્લાસ્ટ થયો છે. જાણકારી મુજબ વજીરગંજ કચેરીમાં બોમ્બ બ્લાસ્ટ થયો છે જેમાં કેટલાય વકીલ ઘાયલ થયા છે. સૂચના મેળવીને ઘટના સ્થળે પહોંચેલી પોલીસે સમગ્ર પરિસરને ઘેરી લીધું છે અને તપાસ કરી રહી છે. પોલીસને કોર્ટ પરિસરમાંથી 3 જીવિત બોમ્બ પણ મળ્યા છે. શરૂઆતી તપાસમાં જે વાત સામે આવી રહી છે તે મુજબ વકીલ પર દેસી બોમ્બથી હુમલો કરવામાં આવ્યો છે.
જે જાણકારી મળી રહી છે તે મુજબ વકીલ સંજીવ લોધી પર હુમલો થયો છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ બોમ્બ હુમલો આંતરીક વિવાદના કારણે થયો છે. કચેરીમાં ચૂંટણી પણ થનાર છે, તે કારણે જ દુશ્મનાવટમાં આ હુમલો કરવામાં આવ્યો છે. સૂત્રો પાસેથી મળી રહેલી જાણખારી મુજબ બે વકીલોના અંગત વિવાદમાં આ હુમલો થયો છે. જીતુ યાદવ નામના શખ્સ પર બોમ્બ ફેંકવાનો આરોપ છે. જો કે આ મામલે હજુ સુધી પોલીસે કોઈ સત્તાવાર જાણકારી આપી નથી.
આગરા-લખનઉ એક્સપ્રેસવે પર ગોજારો અકસ્માત, બસ-ટ્રક વચ્ચેની ટક્કરમાં 14ના મોત