માલેગાંવ બ્લાસ્ટ કેસમાં સાધ્વી પ્રજ્ઞા ઠાકુરને મળ્યા જામીન
સ્પેશ્યલ કોર્ટે એનઆઇએ ક્લીન ચિટ આપ્યા પછી સાધ્વી પ્રજ્ઞાની જામીન અરજી મંજૂર રાખી
માલેગાંવ બ્લાસ્ટ મામલે આરોપી સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરને બોમ્બે હાઇકોર્ટે જામીન આપી દીધી છે. સાધ્વી પ્રજ્ઞાના જામીનના આ આદેશ એનઆઇએની તરફથી તેને મળેલી ક્લિન ચિટના કેટલાક અઠવાડિયા પછી આવ્યો છે. આ પહેલા મુંબઇની વિશેષ અદાલતે એનઆઇએને સવાલ કર્યો હતો કે ક્યા આધાર પર પ્રજ્ઞાને ક્લિન ચીટ આપવામાં આવે છે. તે પછી સાધ્વી પ્રજ્ઞાએ હાઇકોર્ટમાં જમાનત માટે અપીલ કરી હતી. જે બાદ એનઆઇએની ક્લિન ચીટના કારણે તેમને જામીન મળી છે.

સાધ્વી પ્રજ્ઞાને 5 લાખ રૂપિયાની જામીન અને તેટલી જ રકમની બે ગેરંટી જમા કરવ્યા પછી જામીન પર છોડવામાં આવશે. વળી તેમનો પાસપોર્ટ એનઆઇએ પાસે રહેશે અને તેમને તમામ સુનવણીમાં ફરજિયાત હાજર રહેવું પડશે. જો કે આ મામલે આરોપી કર્નલ પ્રસાદ પુરોહિતને જામીન નથી મળી. હાઇકોર્ટે તેમની અરજીને નામંજૂર કરી છે. નોંધનીય છે કે એનઆઇએ દ્વારા અજમેર દરગાહ બ્લાસ્ટ મામલે પણ તેમને ક્લીન ચિટ આપવામાં આવી છે. ક્લોઝર રિપોર્ટ મુજબ સાધ્વી પ્રજ્ઞા વિરુદ્ધ પુરતા પુરાવા નથી.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
